વિવાદીત ધમણ વેન્ટીલેનટરમાં ભડકો થતાં કોરોના દર્દીઓની કેવી હાલત થઇ હતી, તે વિડિયોમાં તમે જોઇ શકો છો.
પહેલા સામાન્ય ધુમાડા નિકળ્યો અને અચાનક ધડાકો થતાં આખા રૂમમાં ધુમાડાના ગોટેગોટા વળી ગયા
વડોદરા. મંગળવારે મોડી સાંજે 7-30 વાગ્યાના અરસામાં સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરના આઇસીયુમાં વિવાદીત ધમણ-1 વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટના કારણે ભડકો થયો હતો. જેના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ દર્દીઓ અને સ્ટાફમાં ભારે ભાગદોડ મચી હતી. જોકે આ ઘટનામાં કોરોનાના તમામ દર્દીઓને સહી સલામત આઇસીયુમાંથી બહાર ખસેડી તાત્કાલીક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં બનેલી આ ઘટના અંગે watchgujarat દ્વારા અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો કે, આઇસીયુમાં ધમણ-1 વેન્ટીલેટરે કોરોનાના દર્દીઓનો જીવ જોખમમાં મુક્યો હતો. જોકે ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગેનો એક સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે.
https://twitter.com/WatchGujarat/status/1303578622528163840?s=19
ગત રોજ સયાજી હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાને લઇને એફ.એસ.એલને તપાસ સોંપવામાં આવી હતી. જેના પરિણામે આજે સયાજી હોસ્પિટલમાં એફ.એસ.એલની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ઇલેકટ્રીક વાયરીંગની કોઇ તકલીફ જણાઇ આવી ન હતી, વેન્ટીલેટર મશીનમાં કંઇ ફોલ્ટ થવાથી આગનો બનાવ બન્યો હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ વેન્ટીલેટર મશીન કયુ હતુ તે હજી સ્પષ્ટ થયુ નથી. જ્યારે આ મામલે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ફોન ન ઉપાડી જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.
https://youtu.be/YJ_8YhPmRhQ
- વિવાદીત ધમણ વેન્ટીલેનટરમાં ભડકો થતાં કોરોના દર્દીઓની કેવી હાલત થઇ હતી, તે વિડિયોમાં તમે જોઇ શકો છો.
- પહેલા સામાન્ય ધુમાડા નિકળ્યો અને અચાનક ધડાકો થતાં આખા રૂમમાં ધુમાડાના ગોટેગોટા વળી ગયા
વડોદરા. મંગળવારે મોડી સાંજે 7-30 વાગ્યાના અરસામાં સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરના આઇસીયુમાં વિવાદીત ધમણ-1 વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટના કારણે ભડકો થયો હતો. જેના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ દર્દીઓ અને સ્ટાફમાં ભારે ભાગદોડ મચી હતી. જોકે આ ઘટનામાં કોરોનાના તમામ દર્દીઓને સહી સલામત આઇસીયુમાંથી બહાર ખસેડી તાત્કાલીક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં બનેલી આ ઘટના અંગે watchgujarat દ્વારા અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો કે, આઇસીયુમાં ધમણ-1 વેન્ટીલેટરે કોરોનાના દર્દીઓનો જીવ જોખમમાં મુક્યો હતો. જોકે ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગેનો એક સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે.
https://twitter.com/WatchGujarat/status/1303578622528163840?s=19
ગત રોજ સયાજી હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાને લઇને એફ.એસ.એલને તપાસ સોંપવામાં આવી હતી. જેના પરિણામે આજે સયાજી હોસ્પિટલમાં એફ.એસ.એલની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ઇલેકટ્રીક વાયરીંગની કોઇ તકલીફ જણાઇ આવી ન હતી, વેન્ટીલેટર મશીનમાં કંઇ ફોલ્ટ થવાથી આગનો બનાવ બન્યો હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ વેન્ટીલેટર મશીન કયુ હતુ તે હજી સ્પષ્ટ થયુ નથી. જ્યારે આ મામલે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ફોન ન ઉપાડી જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.