જમવા બાબતે પિતા અને પુત્રનો ઝગડો થતા પુત્રએ પિતાને લાતો મારી
રોષે ઉભરાયેલા પિતાએ સુતેલા પુત્રની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા
વાઘોડિયા પોલીસને પતિ વિરુદ્ધ બાજુમાં સુતેલી માતાએ હત્યાની ફરિયાદ આપી
વાઘોડિયા પોલીસે ફરિયાદ લઇ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો
WatchGujarat. વડોદરા શહેર નજીકના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે પિતા અને પુત્રનો જમવા બાબતે ઝગડો થયા હતો. પિતાએ રોષે ઉભરાઈને સુતેલા પુત્રના ગળા પર એક નહિ પણ ચારથી પાંચ કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ મામલે વાઘોડિયા પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. અને વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં પિતાની (આરોપી) ધરપકડ કરી લીધી હતી.
[caption id="attachment_1396286" align="aligncenter" width="1280"] Father Stabbed a son, Waghodia, Vadodara, Gujarat[/caption]
વડોદરા શહેર નજીકના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ સ્થિત નવી નગરીના રહેવાસી કૈલાસબેન કનુભાઈ પરમાર (ઉ.50વર્ષ) જે મૃત્યુ પામનાર રાકેશ કનુભાઈ પરમારની માતા છે, તેમને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓને સંતાનમાં બે છોકરા અને એક છોકરી છે. જેમાં છોકરી સૌથી મોટી અને તે તેના બાદ છોકરો રાજુ અને સૌથી નાનો રાકેશ (ઉ.25 વર્ષ) છે. ગત તા.10 સપ્ટેબરના રોજ તેઓ ઘરના બધા સદસ્યો જમવા બેઠા હતા. તે વખતે આઠ વાગ્યાની આસપાસ રાકેશ અને તેના પિતા કનુભાઈ વચ્ચે જમવા બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો. જેમાં રાકેશે તેના પિતાને બે-ત્રણ લાતો મારી દીધી હતી. આ સમયે આ મામલો શાંત થઇ જતા. ઘરના બધા સદસ્યો જમીને સુઈ ગયા હતા.
રોષે ભરાયેલા પિતાએ પુત્રની હત્યા કરી
રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ લાકડા ખખડવાનો અવાજ થતા રાકેશની માતા જાગી ગઇ હતી. અને ઉઠતાજ તેઓ ચોંકી ગયા હતા. આ સમયે તેમનો પુત્ર રાકેશ સુઈ રહ્યો હતો. અને તેના પિતા કનુભાઈએ સુતેલા પુત્ર રાકેશના ગળા પર કુહાડી વડે એક નહિ પરંતુ ઉપરા-છાપરી ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા. માતા કૈલાસબેન બનાવથી ગભરાઈ જતા તેઓ આ સમયે કશું કરી શક્ય નહોતા.
પરિવારને સુઈ જાવ કહી હત્યા કરનાર પિતા નાશી છૂટ્યો
કૈલાસબેન પોતાના પુત્ર રાકેશને લોહીના ખાબોચિયામા પડ્યો જોઈને પડી ભાંગ્યા હતા. આ સાથેજ તેની બાજુમાં લોહીવાળી કુહાડી પડી હતી. પુત્ર રાકેશ મૃત્ય પામી ગયો હોવાની જાણ થતા. માતાએ ગામના લોકોને બનાવ વિશે જાણ કરી હતી. જેથી થોડી જ ક્ષણમાં ગામના રહીશો ત્યાં આવી ગયા હતા. અને સાથેજ તેઓએ પોલીસને જાણ કરી દેતા વાઘોડિયા પોલીસ મથકનો કાફલો ઘટન સ્થળે દોડી આવ્યો હતો.
વાઘોડીયા પોલીસે માતા કૈલાસબેનની ફરિયાદ લઇ કનુભાઈ સામે હત્યાની ગુનો નોંધી તેની ખોજ આરંભી દીધી હતી. જોકે પોલીસે તેને ગણતરીના જ કલાકોમાં ઝડપી પડ્યો હતો.
આ મામલે વાઘોડિયા પોલીસ મથકના પી.આઈ. અંકુર પ્રજાપતિએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું. કે, હત્યાનો બનાવ બન્યો હોવાની જાણ થતાજ તેઓ તેમની ટિમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃત્યુ પામનાર રાકેશની માતાની ફરિયાદ લીધી હતી. ફરિયાદ લેતાની સાથેજ પોલીસે આરોપીની ઓળખ, ફોટો,વગેરે જેવું મેળવી લઇ તેની ખોજ આરંભી દીધી હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે , આ બનાવ અંગે તેમને ચાર અલગ-અલગ ટિમ બનાવી હતી. અને બધાને અલગ-અલગ ટાસ્ક સોંપવામાં આવ્યા હતા. તેની સાથેજ ઘટના સ્થળેથી આવવા જવાના રસ્તા, નજીકના રસ્તા, જિલ્લા બહાર જવાના રસ્તા, વગેરે જેવા તમામ રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા.
સવારના સાડા છથી સાત વાગ્યાની આજુબાજુ વડોદરા-હાલોલ સ્ટેટ હાઇવે તરફના ખેતરો તરફથી બહાર આવતી એક અજાણી વ્યક્તિ પોલીસની નજરે ચઢી હતી. સાથેજ તે છુપાઈ છુપાઈને આવતો હતો. જેથી પોલીસને શંકા ગઈ અને તેની પુછપરછ કરતા આ વ્યક્તિ રાકેશની હત્યા કરનાર તેનો પિતા હોવાનુ ખુલ્યું હતુ. આમ પોલીસે ગુનો બન્યાના બેથી અઢી કલાકમાં જ હત્યારા પિતાને દબોચી લીધા હતો.
WatchGujarat. વડોદરા શહેર નજીકના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે પિતા અને પુત્રનો જમવા બાબતે ઝગડો થયા હતો. પિતાએ રોષે ઉભરાઈને સુતેલા પુત્રના ગળા પર એક નહિ પણ ચારથી પાંચ કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ મામલે વાઘોડિયા પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. અને વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં પિતાની (આરોપી) ધરપકડ કરી લીધી હતી.
[caption id="attachment_1396286" align="aligncenter" width="1280"] Father Stabbed a son, Waghodia, Vadodara, Gujarat[/caption]
વડોદરા શહેર નજીકના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ સ્થિત નવી નગરીના રહેવાસી કૈલાસબેન કનુભાઈ પરમાર (ઉ.50વર્ષ) જે મૃત્યુ પામનાર રાકેશ કનુભાઈ પરમારની માતા છે, તેમને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓને સંતાનમાં બે છોકરા અને એક છોકરી છે. જેમાં છોકરી સૌથી મોટી અને તે તેના બાદ છોકરો રાજુ અને સૌથી નાનો રાકેશ (ઉ.25 વર્ષ) છે. ગત તા.10 સપ્ટેબરના રોજ તેઓ ઘરના બધા સદસ્યો જમવા બેઠા હતા. તે વખતે આઠ વાગ્યાની આસપાસ રાકેશ અને તેના પિતા કનુભાઈ વચ્ચે જમવા બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો. જેમાં રાકેશે તેના પિતાને બે-ત્રણ લાતો મારી દીધી હતી. આ સમયે આ મામલો શાંત થઇ જતા. ઘરના બધા સદસ્યો જમીને સુઈ ગયા હતા.
રોષે ભરાયેલા પિતાએ પુત્રની હત્યા કરી
રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ લાકડા ખખડવાનો અવાજ થતા રાકેશની માતા જાગી ગઇ હતી. અને ઉઠતાજ તેઓ ચોંકી ગયા હતા. આ સમયે તેમનો પુત્ર રાકેશ સુઈ રહ્યો હતો. અને તેના પિતા કનુભાઈએ સુતેલા પુત્ર રાકેશના ગળા પર કુહાડી વડે એક નહિ પરંતુ ઉપરા-છાપરી ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા. માતા કૈલાસબેન બનાવથી ગભરાઈ જતા તેઓ આ સમયે કશું કરી શક્ય નહોતા.
પરિવારને સુઈ જાવ કહી હત્યા કરનાર પિતા નાશી છૂટ્યો
કૈલાસબેન પોતાના પુત્ર રાકેશને લોહીના ખાબોચિયામા પડ્યો જોઈને પડી ભાંગ્યા હતા. આ સાથેજ તેની બાજુમાં લોહીવાળી કુહાડી પડી હતી. પુત્ર રાકેશ મૃત્ય પામી ગયો હોવાની જાણ થતા. માતાએ ગામના લોકોને બનાવ વિશે જાણ કરી હતી. જેથી થોડી જ ક્ષણમાં ગામના રહીશો ત્યાં આવી ગયા હતા. અને સાથેજ તેઓએ પોલીસને જાણ કરી દેતા વાઘોડિયા પોલીસ મથકનો કાફલો ઘટન સ્થળે દોડી આવ્યો હતો.
વાઘોડીયા પોલીસે માતા કૈલાસબેનની ફરિયાદ લઇ કનુભાઈ સામે હત્યાની ગુનો નોંધી તેની ખોજ આરંભી દીધી હતી. જોકે પોલીસે તેને ગણતરીના જ કલાકોમાં ઝડપી પડ્યો હતો.
આ મામલે વાઘોડિયા પોલીસ મથકના પી.આઈ. અંકુર પ્રજાપતિએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું. કે, હત્યાનો બનાવ બન્યો હોવાની જાણ થતાજ તેઓ તેમની ટિમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃત્યુ પામનાર રાકેશની માતાની ફરિયાદ લીધી હતી. ફરિયાદ લેતાની સાથેજ પોલીસે આરોપીની ઓળખ, ફોટો,વગેરે જેવું મેળવી લઇ તેની ખોજ આરંભી દીધી હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે , આ બનાવ અંગે તેમને ચાર અલગ-અલગ ટિમ બનાવી હતી. અને બધાને અલગ-અલગ ટાસ્ક સોંપવામાં આવ્યા હતા. તેની સાથેજ ઘટના સ્થળેથી આવવા જવાના રસ્તા, નજીકના રસ્તા, જિલ્લા બહાર જવાના રસ્તા, વગેરે જેવા તમામ રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા.
સવારના સાડા છથી સાત વાગ્યાની આજુબાજુ વડોદરા-હાલોલ સ્ટેટ હાઇવે તરફના ખેતરો તરફથી બહાર આવતી એક અજાણી વ્યક્તિ પોલીસની નજરે ચઢી હતી. સાથેજ તે છુપાઈ છુપાઈને આવતો હતો. જેથી પોલીસને શંકા ગઈ અને તેની પુછપરછ કરતા આ વ્યક્તિ રાકેશની હત્યા કરનાર તેનો પિતા હોવાનુ ખુલ્યું હતુ. આમ પોલીસે ગુનો બન્યાના બેથી અઢી કલાકમાં જ હત્યારા પિતાને દબોચી લીધા હતો.