સ્વામીજીના નશ્વર દેહને મંદિર પરિસરમાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો
આગામી 4 દિવસ દરમિયાન દેશ-વિદેશના 2 લાખ જેટલા ભક્તો સ્વામીજીના અંતિમ દર્શન કરશે
આજે સવારથી હરિભક્તો સ્વામીનાં અંતિમ દર્શન માટે લાઇનો લગાવી દીધી હતી
અંતિમ ઈચ્છા મુજબ અક્ષર દેરી સામે અંતિમસંસ્કાર કરાશે
હરિભક્તો ઓનલાઈન દર્શન કરી શકે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી
WatchGujarat. પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજીના (Hariprasad swamy) દેહાંત બાદ સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. ત્યારે આજે સ્વામીજીના નશ્વર દેહને ભક્તોનાં દર્શન માટે મંદિર (Haridham Sokhda) પરિસરમાં મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી હરિભક્તોએ સ્વામીનાં અંતિમ દર્શન માટે લાઇનો લગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે આગામી ચાર દિવસ દરમિયાન દેશ-વિદેશના 2 લાખ જેટલા ભક્તો સ્વામીનાં અંતિમ દર્શન કરશે.
https://youtu.be/IUVBDRFMxtU
મહત્વનું છે કે ભક્તો ઓનલાઈન દર્શન કરી શકે એ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. જેમાં આજે 28 જુલાઇથી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે. જે બાદ સ્વામીજીની અંતિમ ઈચ્છા મુજબ અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર સ્વામીજીનાં અંતિમ દર્શન માટે ચાર દિવસ દરમિયાન અનેક નેતાઓ આવશે. જેમાં આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા, આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે, આવતીકાલે મંત્રી સૌરભ પટેલ દર્શન માટે આવશે.
આ ઉપરાંત શુક્રવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, 31 જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને 1 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. ઉલ્લેખનીય છે કે પીએમઓ સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેશના ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દર્શન માટે આવશે.
અંતિમ દર્શન માટે ચાર દિવસ વ્યવસ્થા કરાઈ
-28 જુલાઈ
સવારે 8થી બપોરે 12: કૃષ્ણજી પ્રદેશ, જ્ઞાનયજ્ઞ પ્રદેશ, સેવાયજ્ઞ પ્રદેશ.
બપોરે 12થી 4: પુરુષોત્તમ પ્રદેશ,સર્વાતીત પ્રદેશ,જાગાસ્વામી પ્રદેશ,અક્ષર પ્રદેશ.
સાંજે 4થી રાતે 8: આત્મીય પ્રદેશ,યોગીસૌરભ પ્રદેશ,ભગતજી પ્રદેશ.
-29 જુલાઈ
સવારે 8થી બપોરે 12: ઘનશ્યામ પ્રદેશ, સંતસૌરભ પ્રદેશ, સહજાનંદ પ્રદેશ,બેંગલોર મંડળ તથા દક્ષિણ ભારત.
12થી 4: શ્રીહરિ પ્રદેશ,સુનૃત પ્રદેશ, ધર્મભક્તિ પ્રદેશ, નારાયણ પ્રદેશ, યોગીજી પ્રદેશ.
સાંજે 4થી રાતે 8: સનાતન પ્રદેશ.
-30 જુલાઈ
સવારે 8થી બપોરે 12: સુહૃદ પ્રદેશ, હરિવંદન પ્રદેશ, ગોપાળાનંદ પ્રદેશ, હરિકૃષ્ણ પ્રદેશ, નીલકંઠ પ્રદેશ
12થી રાતે 8: નિર્ગુણ પ્રદેશ,ગુણાતીત પ્રદેશ, ભૂલકું પ્રદેશ, શ્રીજીમહારાજ પ્રદેશ, પંજાબ મંડળ
-31 જુલાઈ
સંતો-મહાનુભાવો-મહેમાનો તેમજ ગુણાતીત સમાજના મુક્તો.
1 ઓગષ્ટ: અંતિમ સંસ્કારવિધિ - દરેક પ્રદેશમાંથી સિલેક્ટેડ મુક્તો.
- સ્વામીજીના નશ્વર દેહને મંદિર પરિસરમાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો
- આગામી 4 દિવસ દરમિયાન દેશ-વિદેશના 2 લાખ જેટલા ભક્તો સ્વામીજીના અંતિમ દર્શન કરશે
- આજે સવારથી હરિભક્તો સ્વામીનાં અંતિમ દર્શન માટે લાઇનો લગાવી દીધી હતી
- અંતિમ ઈચ્છા મુજબ અક્ષર દેરી સામે અંતિમસંસ્કાર કરાશે
- હરિભક્તો ઓનલાઈન દર્શન કરી શકે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી
WatchGujarat. પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજીના (Hariprasad swamy) દેહાંત બાદ સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. ત્યારે આજે સ્વામીજીના નશ્વર દેહને ભક્તોનાં દર્શન માટે મંદિર (Haridham Sokhda) પરિસરમાં મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી હરિભક્તોએ સ્વામીનાં અંતિમ દર્શન માટે લાઇનો લગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે આગામી ચાર દિવસ દરમિયાન દેશ-વિદેશના 2 લાખ જેટલા ભક્તો સ્વામીનાં અંતિમ દર્શન કરશે.
મહત્વનું છે કે ભક્તો ઓનલાઈન દર્શન કરી શકે એ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. જેમાં આજે 28 જુલાઇથી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે. જે બાદ સ્વામીજીની અંતિમ ઈચ્છા મુજબ અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર સ્વામીજીનાં અંતિમ દર્શન માટે ચાર દિવસ દરમિયાન અનેક નેતાઓ આવશે. જેમાં આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા, આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે, આવતીકાલે મંત્રી સૌરભ પટેલ દર્શન માટે આવશે.
આ ઉપરાંત શુક્રવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, 31 જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને 1 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. ઉલ્લેખનીય છે કે પીએમઓ સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેશના ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દર્શન માટે આવશે.
અંતિમ દર્શન માટે ચાર દિવસ વ્યવસ્થા કરાઈ
-28 જુલાઈ
સવારે 8થી બપોરે 12: કૃષ્ણજી પ્રદેશ, જ્ઞાનયજ્ઞ પ્રદેશ, સેવાયજ્ઞ પ્રદેશ.
બપોરે 12થી 4: પુરુષોત્તમ પ્રદેશ,સર્વાતીત પ્રદેશ,જાગાસ્વામી પ્રદેશ,અક્ષર પ્રદેશ.
સાંજે 4થી રાતે 8: આત્મીય પ્રદેશ,યોગીસૌરભ પ્રદેશ,ભગતજી પ્રદેશ.
-29 જુલાઈ
સવારે 8થી બપોરે 12: ઘનશ્યામ પ્રદેશ, સંતસૌરભ પ્રદેશ, સહજાનંદ પ્રદેશ,બેંગલોર મંડળ તથા દક્ષિણ ભારત.
12થી 4: શ્રીહરિ પ્રદેશ,સુનૃત પ્રદેશ, ધર્મભક્તિ પ્રદેશ, નારાયણ પ્રદેશ, યોગીજી પ્રદેશ.
સાંજે 4થી રાતે 8: સનાતન પ્રદેશ.
-30 જુલાઈ
સવારે 8થી બપોરે 12: સુહૃદ પ્રદેશ, હરિવંદન પ્રદેશ, ગોપાળાનંદ પ્રદેશ, હરિકૃષ્ણ પ્રદેશ, નીલકંઠ પ્રદેશ
12થી રાતે 8: નિર્ગુણ પ્રદેશ,ગુણાતીત પ્રદેશ, ભૂલકું પ્રદેશ, શ્રીજીમહારાજ પ્રદેશ, પંજાબ મંડળ
-31 જુલાઈ
સંતો-મહાનુભાવો-મહેમાનો તેમજ ગુણાતીત સમાજના મુક્તો.
1 ઓગષ્ટ: અંતિમ સંસ્કારવિધિ - દરેક પ્રદેશમાંથી સિલેક્ટેડ મુક્તો.