શહીદોની સ્મૃતિમાં મૌન પાળવા અપીલ, સવારે 10.59 કલાકે 1 મિનિટ સુધી સાયરન વાગશે
11 થી 11.02 મિનિટ સુધી જે તે સ્થળે તમામ કામકાજ અટકાવી મૌન પાળી અપાશે અંજલી
WatchGujarat. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. તેવા શહીદોની સ્મૃતિમાં તા.30 જાન્યુઆરી એ સવારના 11 કલાકે 2 મિનિટ મૌન પાળવું અને આખા દેશમાં કામકાજ અને વાહન વ્યવહારની ગતિ એટલો સમય પુરી બંધ રાખવી એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
શનિવારે સહુ કોઇ આ સમયે એક સાથે ગંભીરતાપૂર્વક મૌન પાળી શકે તે માટે ભરૂચ શહેરમાં સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જગ્યાએ સાયરનની વ્યવસ્થા ન હોય તે સ્થળોએ પણ નિયત સમયે મૌન પાળવાનું રહેશે.
સવારે 10.59 કલાકે 1 મીનીટ માટે એટલે કે 11 કલાક સુધી એક મીનીટ માટે સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરર્ત જ જ્યાં કામ થતું હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતે પોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શકય હોય તો ભેગા મળી, મૌન પાળે જ્યાં શક્ય હોય ત્યાં વર્કશોપ અને કારખાનાનું કામકાજ બંધ કરવામાં આવે.
રસ્તાઓ પરનો વાહન વ્યવહાર થંભી જાય તે જોવા વિનંતી કરવામાં આવી છે. 11 વાગ્યે ઉપાડવાની ટ્રેનો તેમના મથકે 2 મિનિટ માટે અટકાવવામાં આવશે. મૌનનો સમય પુરો થયો છે. એ બાબતના બરાબર 11.02 મિનિટે સાયરન ફરીથી વાગશે. ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવા સૌ નાગરિકો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન તથા ઉદ્યોગોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે.
શહીદો પ્રત્યેનો આ અવસર ગંભીરતાથી લેવાય અને શહીદો પ્રત્યે શ્રધ્ધા સન્માનની ભાવના પણ જાગૃત થાય તેથી શહીદ દિને શહીદો પ્રત્યે દરેક વર્ગના લોકોને સક્રિય સાથ-સહકાર આપવા અને શહીદ દિનને ગૌરવ પૂર્ણ બનાવવા ભરૂચ કલેક્ટર ડો. એમ.ડી. મોડિયા એ જણાવ્યું છે.
11 થી 11.02 મિનિટ સુધી જે તે સ્થળે તમામ કામકાજ અટકાવી મૌન પાળી અપાશે અંજલી
WatchGujarat. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. તેવા શહીદોની સ્મૃતિમાં તા.30 જાન્યુઆરી એ સવારના 11 કલાકે 2 મિનિટ મૌન પાળવું અને આખા દેશમાં કામકાજ અને વાહન વ્યવહારની ગતિ એટલો સમય પુરી બંધ રાખવી એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
શનિવારે સહુ કોઇ આ સમયે એક સાથે ગંભીરતાપૂર્વક મૌન પાળી શકે તે માટે ભરૂચ શહેરમાં સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જગ્યાએ સાયરનની વ્યવસ્થા ન હોય તે સ્થળોએ પણ નિયત સમયે મૌન પાળવાનું રહેશે.
સવારે 10.59 કલાકે 1 મીનીટ માટે એટલે કે 11 કલાક સુધી એક મીનીટ માટે સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરર્ત જ જ્યાં કામ થતું હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતે પોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શકય હોય તો ભેગા મળી, મૌન પાળે જ્યાં શક્ય હોય ત્યાં વર્કશોપ અને કારખાનાનું કામકાજ બંધ કરવામાં આવે.
રસ્તાઓ પરનો વાહન વ્યવહાર થંભી જાય તે જોવા વિનંતી કરવામાં આવી છે. 11 વાગ્યે ઉપાડવાની ટ્રેનો તેમના મથકે 2 મિનિટ માટે અટકાવવામાં આવશે. મૌનનો સમય પુરો થયો છે. એ બાબતના બરાબર 11.02 મિનિટે સાયરન ફરીથી વાગશે. ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવા સૌ નાગરિકો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન તથા ઉદ્યોગોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે.
શહીદો પ્રત્યેનો આ અવસર ગંભીરતાથી લેવાય અને શહીદો પ્રત્યે શ્રધ્ધા સન્માનની ભાવના પણ જાગૃત થાય તેથી શહીદ દિને શહીદો પ્રત્યે દરેક વર્ગના લોકોને સક્રિય સાથ-સહકાર આપવા અને શહીદ દિનને ગૌરવ પૂર્ણ બનાવવા ભરૂચ કલેક્ટર ડો. એમ.ડી. મોડિયા એ જણાવ્યું છે.