સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 248 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.
WatchGujarat રાજ્યમાં અનેક દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ મંત્રી ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ભાજપનાં દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જાતે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી હતી. #Amreli
https://twitter.com/Dileep_Sanghani/status/1341312709988593666?s=19
દિલીપ સંઘાણીએ શું લખ્યું છે ટ્વિટમાં
દિલીપ સંઘાણીએ ટ્વિટમાં લખ્યું છે કે, મેં અને મારા પત્નીએ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ તો અમારી બંનેની તબિયત સારી છે, પરંતુ છેલ્લા થોડાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને મારી અપીલ છે કે, તેઓ જરૂર જણાયે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. #Amreli
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યું છે. અને છેલ્લા 24 કલાકમાં 248 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ જીલ્લામાં 122, જામનગર જીલ્લામાં 8, અમરેલીમા 6, મોરબીમાં 9, સુરેન્દ્રનગરમાં 10, જુનાગઢ જિલ્લામાં 24, ગીરસોમનાથમાં 10, ભાવનગરમાં 19, દેવભૂમિ દ્વારકામાં 2, પોરબંદરમાં 3, બોટાદ 4 અને કચ્છમાં 31 કેસ પોઝીટીવ નોંધાયા છે. જ્યારે આજે 373 દર્દીએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના કમજોર બનતા આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
More #Amreli #Ex-minister #Dilipbhai sanghani #tweeted #corona #infected #WatchGujarat
સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 248 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.
WatchGujarat રાજ્યમાં અનેક દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ મંત્રી ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ભાજપનાં દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જાતે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી હતી. #Amreli
દિલીપ સંઘાણીએ ટ્વિટમાં લખ્યું છે કે, મેં અને મારા પત્નીએ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ તો અમારી બંનેની તબિયત સારી છે, પરંતુ છેલ્લા થોડાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને મારી અપીલ છે કે, તેઓ જરૂર જણાયે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. #Amreli
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યું છે. અને છેલ્લા 24 કલાકમાં 248 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ જીલ્લામાં 122, જામનગર જીલ્લામાં 8, અમરેલીમા 6, મોરબીમાં 9, સુરેન્દ્રનગરમાં 10, જુનાગઢ જિલ્લામાં 24, ગીરસોમનાથમાં 10, ભાવનગરમાં 19, દેવભૂમિ દ્વારકામાં 2, પોરબંદરમાં 3, બોટાદ 4 અને કચ્છમાં 31 કેસ પોઝીટીવ નોંધાયા છે. જ્યારે આજે 373 દર્દીએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના કમજોર બનતા આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
More #Amreli #Ex-minister #Dilipbhai sanghani #tweeted #corona #infected #WatchGujarat