સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો હતો.
સામૂહિક આપઘાત કરતાં પહેલાં નરેન્દ્ર સોનીએ પુત્રી પાસે ચાર પાનાની સ્યૂસાઈડ નોટ લખાવી હતી.
કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લેતા પરિવારના 6 સભ્યો પૈકી 3ના મોત નિપજ્યાં હતા.
ઝેરી દવા ગટગટાવ્યા બાદ ઉલ્ટી થતાં સ્યુસાઈડ નોટ પલળી ગઈ હતી.
ભાવીન સોનીની તબીયત સ્થિર જ્યારે તેની પત્ની ઉર્વીબેન અને માતા દિપ્તીબેનની હાલત ગંભીર
વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના જ્યોતિષોએ વાસ્તુ દોષ દુર કરવાના બહાને રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
WatchGujarat સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં બે દિવસ અગાઉ બનેલી સામૂહિક આપઘાતની ચકચારી ઘટનાની પોલીસ તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ ભાવીન સોનીનુ પોલીસે નિવેદન લેતા ચોંકવનારી વિગતો સામે આવી છે. લાખોનુ દેવુ થઇ જતા ઘરના મોભી નરેન્દ્રભાઇ સોનીએ જ સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. અને સૂઈ રહેલા 3 વર્ષના પૌત્રને પોતાના હાથે જ ઝેરી દવા પીવડાવી દીધી હતી. જ્યારે અન્ય લોકોએ સ્વેચ્છાએ દવા ગટગટાવી હતી. અંધશ્રદ્ધાના ચુંગાલમાં ફસાઈને સમગ્ર પરિવારનુ અનિષ્ટ કરનાર નરેન્દ્રભાઈ સોની કેવી રીતે પાંખડી જ્યોતિષીઓના હાથે છેતરાયાં તેની સીલસીલાવાર વિગતો આ પ્રમાણે છે.
મૃતક નરેન્દ્ર સોની કંઇ રીતે દેવામાં ડૂબ્યા?
નરેન્દ્રભાઇ મંગળબજારમાં દુકાન ભાડે રાખી પ્લાસ્ટીકની સામગ્રીનો વેપાર કરતા હતા. વર્ષ 2015માં દુકાન ખાલી કરવા માટે રૂ. 11 લાખ નરેન્દ્રભાઇને મળ્યાં હતા. જે રૂપિયા થકી તેમણે ઘરમાં રિનોવેશનનુ કામ કરાવ્યું હતુ. થોડા સમય બાદ તેમણે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. જોકે 2 વર્ષ બાદ ભાગીદારો વચ્ચે મનદુઃખ થતાં ધંધો બંધ કરી દેવાયો હતો. ત્યાર બાદથી નરેન્દ્રભાઇ ઘરે જ રહેવા લાગ્યા હતા. વર્ષ 2018માં રૂપિયાની જરૂર પડતા આવાસ ફાયનાન્સમાંથી રૂ. 7 લાખની લોન લીધી હતી. જે રકમમાંથી અગાઉ વર્ષ 2010-11માં એચ.એસ.બી.સી બેન્કમાંથી રૂ. 3 લાખની લીધેલી લોનની ચુંકવણી કરી હતી. જ્યારે બાકીની રકમમાંથી અભિલાષા ચોકડી પાસે ભાડે દુકાન રાખી ફરી એક વખત પ્લાસ્ટીકનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ તેમાં પણ સફળતા મળી ન હતી. એક લોન ચુંકવવા બીજી લોન લીધી હોવાથી માસીક રૂ. 11 હજારનો હપ્તો ભરવામાં પરિવારને તકલીફ પડવા લાગી હતી. તેવામાં દેવુ ચુંકવવા માટે વર્ષ 2018માં નરેન્દ્રભાઇ રૂ. 40 લાખમાં પોતાનુ મકાન વેચવા કાઢ્યું હતુ. જોકે મકાન વેચાતુ ન હોવાથી તેમણે સમાચારપત્રમાં આવેલી જ્યોતિષની જાહેરાત વાંચી વડોદરાના હેમંત જોષીનો સંપર્ક કર્યો હતો.
https://youtu.be/hBBARzTaODw
ઘટના નં-1 : વડોદરા ગોત્રી વિસ્તારના જ્યોતિષ હેમંત જોષી
નરેન્દ્રભાઇને દેવુ વધી જતા તેમણે પોતાનુ મકાન વેચવા માટે કાઢ્યું હતુ. જોકે મકાન વેચાતુ ન હોવાથી તેમણે ગોત્રી વિસ્તારના જ્યોતિષ હેમંત જોષીનો સંપર્ક કર્યો હતો. હેમંત જોષીને તેમણે પોતાની સમસ્યા વર્ણવી હતી. જેથી પાખંડી જ્યોતિષ એક દિવસ તેમના ઘરે આવ્યો અને જણાવ્યું કે “તમને વાસ્તુદોષ નડે છે. તમારા ઘરમાં ગુપ્ત ઘન દાટેલું છે. જે ખાડો ખોદી કાઢવુ પડશે અને તેની વિધી હું કરીશ જેનો ખર્ચ રૂ. 35 હજાર થશે”. જેથી નરેન્દ્રભાઇએ રૂપિયા આપવાની હા પાડતા અમદાવાદના સ્વરાજ નામના વ્યક્તિએ ઘરે આવી રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી બે તાંબાના કળશ બહાર કાઢી આપ્યાં હતા. જેમાં એક કળશમાં સોનાની દાગીના અને બીજામાં હાડકાં ભરેલા હતા. તે પછી સ્વરાજે જણાવ્યું કે, ઘરના રસોડામાં હજી 16 કળશ છે. જે કાઢવાનો ખર્ચ રૂ. 13 લાખ થશે, જેથી નરેન્દ્રભાઇએ આ વિધી કરાવવા માટે ફરી એક વખત રૂ. 15 લાખની લોન લીધી હતી.
ઘટના નં-2 : રૂ. 5 લાખની લોનમાંથી રૂ. 8 લાખ અગાઉ લીધેલી ફાયનાન્સ કંપનીને ચુંકવ્યાં
દેવુ ચુંકવવા માટે નરેન્દ્રભાઇ મકાન વેચવા કાઢ્યું હતુ. વર્ષ 2019 એપ્રિલ મહિનામાં દલાલ રાજેશ રાઠોડ મારફતે અશોક મિસ્ત્રી સાથે રૂ. 25 લાખમાં મકાનનો સોદો નક્કી થયો હતો. જેથી અશોક મિસ્ત્રીએ રૂ. 7 લાખ નરેન્દ્રભાઇને આપ્યાં હતા. 16 કળશ કાઢવાની વિધી માટે લીધેલી લોનમાંથી બચેલા રૂ. 7 લાખ અને અશોક મિસ્ત્રીએ રૂ. 7 લાખ મળી કુલ રૂ. 14 થઇ હતી. જેમાંથી રૂ. 13 લાખ અમદાવાદના સ્વરાજ જ્યોતિષને વિધી કરવા માટે આપવામાં આવ્યાં હતા. જોકે સ્વરાજ જ્યોતિષે ઘરમાં આવી ફરી એક વખત વિધી કરી 3 કળશ કાઢ્યાં, જેમાંથી સોનાનો કળશ પાણીમાં પધરાવી દેવાયો હતો. બીજા કળશ કાઢવા માટે જ્યોતિષ સ્વરાજે વધુ રૂ. 9 લાખની માગણી કરતા સોની પરિવારે વિધી કરાવવાનો ઇન્કાર કર્યો હતો.
ઘટના નં-3 : સમાચાર પત્રોમાં જ્યોતિષની જાહેરાત જોઇ અમદાવાદના પ્રહલાદનો સંપર્ક કરાયો
સમાચારપત્રોમાં ગુરૂવાર અને મંગળવારે આવતી પુર્તીઓમાં જ્યોતિષોની જાહેરાત જોઇ લાખોના દેવામાં ઉતરી ગયેલા નરેન્દ્રભાઇ સોનીએ અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષનો સંપર્ક કરી તેને મળ્યાં હતા. પ્રહલાદે પણ વાસ્તુદોષ નિવારણની વિધી કરવાનુ જણાવી દિનેશ નામની વ્યક્તિને વિધી કરવા માટે નરેન્દ્રભાઇના ઘરે મોકલ્યો હતો. દિનેશે નરેન્દ્રભાઇના ઘરમાંથી સાડા ત્રણ ફુટનો સાપ કાઢી પ્લાસ્ટીકના ડબ્બામાં ભરી દીધો હતો. સાપનુ નિવારણની વિધી કરવા માટે પ્રહલાદે સોની પરિવારને રૂ. 7 લાખનો ખર્ચ હોવાનુ જણાવ્યું હતુ. જેથી તેમણે વિધી માટે ના પાડી દીધી હતી.
ઘટના નં-4 : દેવુ ઉતારવા અમદાવાદના રાણીપના જ્યોતિષ સમીર જોષીનો સંપર્ક કરાયો
આ દરમિયાન મકાન વેચાણના રજીસ્ટર્ડ બાનાખાત માટે વર્ષ 2019માં અશોક મિસ્ત્રી તથા સંજય મિસ્ત્રીએ રૂ. 5 લાખનો ચેક અને રૂ. 6.50 લાખ રોકડા ચુંકવ્યા હતા. જોકે દેવુ વધી ગયુ હોવાથી નરેન્દ્રભાઇ એક બાદ એક પાખંડી જ્યોતિષોના ચુંગાલમાં ફસાતા ફરી એક વખત અમદાવાદના રાણીપના જ્યોતિષ સમીર જોષીનો સંપર્ક કર્યો હતો. સમીર જોષીએ પણ વાસ્તુદોષ નિવારણ માટેની વિધીનો ખર્ચ રૂ. 5 લાખ જણાવ્યો હતો. જેથી સમીર જોષીને વિધી માટે રૂ. 5 લાખ આપતા તે પણ નરેન્દ્રભાઇ સોનીના ઘરે આવી ચાર કલશ કાઢેલા જેમાંથી એક કળશમાં ચાંદી અને બીજામાં હાડકાં નિકળ્યા હતા. જે ચાંદી વેચંતા સોની પરિવારને દોઢ લાખ રૂપિયા મળ્યા હતા. જ્યારે વિધી સંપન્ન કરવા માટે સમીર જોષીએ વધુ રૂ. 8 લાખ માંગતા સોની પરિવારે ઇન્કાર કર્યો હતો.
ઘટના નં-5: આર્થીક ભીંસમાં આવેલા નરેન્દ્ર સોનીએ હવે રાજસ્થાનના પુષ્કરના જ્યોતિષનો સંપર્ક કર્યો
વર્ષ 2019માં નરેન્દ્રભાઇ સોની રાજસ્થાન પુષ્કર ખાતે દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં તેમને એક જ્યોતિષ મળ્યો હતો. આ જ્યોતિષને નરેન્દ્રભાઇએ પોતાની સમસ્યા વર્ણવી અને તેમણે વિધી કરવા માટે રૂ. 4 લાખનો ખર્ચ ગણાવ્યો હતો. જેથી નરેન્દ્રભાઇએ આ જ્યોતિષને પણ અગાઉના પાખંડી જ્યોતિષોની જેમ વિધી માટેની પુરેપુરી રકમ ચુંકવી દીધી હતી. જોકે, નરેન્દ્રભાઈના ઘરે વિધી કરવા આવતાં પહેલાં જ પુષ્કરના જ્યોતિષીનું મોત નિપજ્યું હતુ.
ઘટના નં-6 : હવે નરેન્દ્રભાઇ સોની પાણીગેટના જ્યોતિષ સાહિલ વ્હોરાના સંપર્કમાં આવ્યાં
વર્ષ 2020ના ઓગષ્ટ મહિના સુધીમાં આર્થીક ભીંસમાં સરી પડેલા નરેન્દ્રભાઇ સતત અંધવિશ્વાસના રસ્તા પર ચાલી રહ્યાં હતા. જેમાં હવે તેમણે વડોદરાના પાણીગેટ આર્યુવેદિક ત્રણ રસ્તા પાસેના જ્યોતિષ સોહિલ વ્હોરાનો સંપર્ક કર્યો હતો. તેણે પણ વિધી કરવા માટે રૂ. 3.50 લીધા અને ઘરે આવી ખાડો ખોદી દસ ચાંદીના સિક્કા તથા સન 1920ની સાલના ચલણી સિક્કા કાઢી બતાવ્યાં હતા. જે જૂના સિક્કા સાહિલ વ્હોરા પોતે જ લઇ ગયો હતો. પરંતુ સોની પરિવારની સમસ્યાનો અંત ન આવ્યો.
ઘટના નં-7 : વધુ એક અમદાવાદના જ્યોતિષે નરેન્દ્રભાઇ પાસેથી વિધીના નામે રૂ. 4.50 લાખ પડાવી લીધા
હવે તો પોતાનુ ઘર છોડી સોની પરિવાર ભાડાના મકાનમાં રહેવા ચાલી ગયો હતો. આર્થીક રીતે પડી ભાંગેલા સોની પરિવાર જ્યોતિષોની ચુંગાલમાંથી નિકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજી તરફ નરેન્દ્રભાઇ ફરી એક વખત અમદાવાદના વિજય જોષી નામના જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. જેણે વિધી કરવા માટે અલ્કેશ જોષીને તેઓના ભાડાના મકાનમાં મોકલ્યો હતો. પરંતુ રસોડામાં ખાડા ખોદતા કંઇ મળી ન આવતા આ જ્યોતિષ પણ રૂ. 4.50 લાખનો ચુનો ચોપડી નિકળી ગયો હતો.
ઘટના નં-8: વેચવા કાઢેલા મકાનના બાના પેટે લીધેલી રકમ હવે પરત આપવાની હતી.
વર્ષ 2019માં નરેન્દ્રભાઇ સોનીને અશોક મિસ્ત્રીએ મકાનના વેચાણ બાનાખાત પેટે રૂ. 23.50 લાખ ચુંકવી દીધી હતી. પરંતુ મકાન પર લોન ચાલતી હોવાની દસ્તાવેજ કરી આપવા શક્ય ન હતા. જેથી નરેન્દ્રભાઇને ચુંકવેલી રકમ અશોક મિસ્ત્રીને ગત તા. 31 માર્ચ 2020 સુધીમાં પરત કરવાનો વાયદો કરી સમાધાન કરાર કર્યો હતો. આ દરમિયાન નરેન્દ્રભાઇએ ભરત વાઘેલા નામની વ્યક્તિને મકાન વેચવાના બાના પેટે રૂ. 2 લાખ લીધા હતા. જે પૈકીના એક લાખ ભરત વાઘેલાને પરત પણ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, એક દેવુ ઉતારવા એક પછી એક લોન લઇ જ્યોતિષીઓના ચક્કરમાં ફસાયેલા નરેન્દ્રભાઇ હવે ભાંગી પડ્યા હતા.
અંતિમ ઘટનાઃ પાખંડી જ્યોતિષોના ચક્કરમાં ફસાયેલો સોની પરિવાર ભાંગી પડ્યો
બે વર્ષમાં નરેન્દ્રભાઇએ અશોક મિસ્ત્રી પાસેથી મકાન વેચાણ માટે રૂ. 23.50 લાખ લઇ લીધા હતા. પરંતુ વેચાણ દસ્તાવેજની શક્યતા નહીવત હોવાથી રૂપિયા પરત કરવાનો વારો આવ્યો હતો. જોકે રૂપિયાની સગવડ ન હોવાથી અને જ્યોતિષોના ચક્કરમાં આવી રૂ. 32.50 લાખ ગુમાવી દેનાર સોની પરિવાર પાસે કોઇ રસ્તો બચ્યો ન હતો. જેથી ઘરના મોભી નરેન્દ્રભાઇએ પરિવારના તમામ સભ્યોને ભેગા કરી સામૂહિક આપઘાત કરી લેવા માટે જણાવ્યું હતુ. ગત તા. 3 માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યા પહેલા નરેન્દ્રભાઇ બજારમાંથી ઝેરી દવા લઇ આવ્યાં હતા. ઝેર ડ્રોપર મારફતે કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવી દઇ પરિવારના 6 પૈકી પાંચ સભ્યોએ સ્વેચ્છિક પી લીધું હતું. જ્યારે 3 વર્ષનો પૌત્ર પાર્થ પલંગમાં સૂતો હોવાથી દાદા નરેન્દ્રભાઇએ પોતાના હાથે ઝેરી દવા ડ્રોપરથી પૌત્ર પાર્થને પીવડાવી મોતને વ્હાલુ કરી લીધુ હતુ.
નોંધનીય છે કે, ઉપરોક્ત તમામ જણાવેલી વિગતો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ભાવીન સોનીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવી છે. જેના આધારે પોલીસે મૃતક નરેન્દ્ર સોની સામે પૌત્રની હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે 9 પાંખડી જ્યોતિષો સામે છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
ઝેરી દવા ગટગટાવ્યા બાદ ઉલ્ટી થતાં સ્યુસાઈડ નોટ પલળી ગઈ હતી.
ભાવીન સોનીની તબીયત સ્થિર જ્યારે તેની પત્ની ઉર્વીબેન અને માતા દિપ્તીબેનની હાલત ગંભીર
વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના જ્યોતિષોએ વાસ્તુ દોષ દુર કરવાના બહાને રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
WatchGujarat સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં બે દિવસ અગાઉ બનેલી સામૂહિક આપઘાતની ચકચારી ઘટનાની પોલીસ તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ ભાવીન સોનીનુ પોલીસે નિવેદન લેતા ચોંકવનારી વિગતો સામે આવી છે. લાખોનુ દેવુ થઇ જતા ઘરના મોભી નરેન્દ્રભાઇ સોનીએ જ સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. અને સૂઈ રહેલા 3 વર્ષના પૌત્રને પોતાના હાથે જ ઝેરી દવા પીવડાવી દીધી હતી. જ્યારે અન્ય લોકોએ સ્વેચ્છાએ દવા ગટગટાવી હતી. અંધશ્રદ્ધાના ચુંગાલમાં ફસાઈને સમગ્ર પરિવારનુ અનિષ્ટ કરનાર નરેન્દ્રભાઈ સોની કેવી રીતે પાંખડી જ્યોતિષીઓના હાથે છેતરાયાં તેની સીલસીલાવાર વિગતો આ પ્રમાણે છે.
મૃતક નરેન્દ્ર સોની કંઇ રીતે દેવામાં ડૂબ્યા?
નરેન્દ્રભાઇ મંગળબજારમાં દુકાન ભાડે રાખી પ્લાસ્ટીકની સામગ્રીનો વેપાર કરતા હતા. વર્ષ 2015માં દુકાન ખાલી કરવા માટે રૂ. 11 લાખ નરેન્દ્રભાઇને મળ્યાં હતા. જે રૂપિયા થકી તેમણે ઘરમાં રિનોવેશનનુ કામ કરાવ્યું હતુ. થોડા સમય બાદ તેમણે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. જોકે 2 વર્ષ બાદ ભાગીદારો વચ્ચે મનદુઃખ થતાં ધંધો બંધ કરી દેવાયો હતો. ત્યાર બાદથી નરેન્દ્રભાઇ ઘરે જ રહેવા લાગ્યા હતા. વર્ષ 2018માં રૂપિયાની જરૂર પડતા આવાસ ફાયનાન્સમાંથી રૂ. 7 લાખની લોન લીધી હતી. જે રકમમાંથી અગાઉ વર્ષ 2010-11માં એચ.એસ.બી.સી બેન્કમાંથી રૂ. 3 લાખની લીધેલી લોનની ચુંકવણી કરી હતી. જ્યારે બાકીની રકમમાંથી અભિલાષા ચોકડી પાસે ભાડે દુકાન રાખી ફરી એક વખત પ્લાસ્ટીકનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ તેમાં પણ સફળતા મળી ન હતી. એક લોન ચુંકવવા બીજી લોન લીધી હોવાથી માસીક રૂ. 11 હજારનો હપ્તો ભરવામાં પરિવારને તકલીફ પડવા લાગી હતી. તેવામાં દેવુ ચુંકવવા માટે વર્ષ 2018માં નરેન્દ્રભાઇ રૂ. 40 લાખમાં પોતાનુ મકાન વેચવા કાઢ્યું હતુ. જોકે મકાન વેચાતુ ન હોવાથી તેમણે સમાચારપત્રમાં આવેલી જ્યોતિષની જાહેરાત વાંચી વડોદરાના હેમંત જોષીનો સંપર્ક કર્યો હતો.
ઘટના નં-1 : વડોદરા ગોત્રી વિસ્તારના જ્યોતિષ હેમંત જોષી
નરેન્દ્રભાઇને દેવુ વધી જતા તેમણે પોતાનુ મકાન વેચવા માટે કાઢ્યું હતુ. જોકે મકાન વેચાતુ ન હોવાથી તેમણે ગોત્રી વિસ્તારના જ્યોતિષ હેમંત જોષીનો સંપર્ક કર્યો હતો. હેમંત જોષીને તેમણે પોતાની સમસ્યા વર્ણવી હતી. જેથી પાખંડી જ્યોતિષ એક દિવસ તેમના ઘરે આવ્યો અને જણાવ્યું કે “તમને વાસ્તુદોષ નડે છે. તમારા ઘરમાં ગુપ્ત ઘન દાટેલું છે. જે ખાડો ખોદી કાઢવુ પડશે અને તેની વિધી હું કરીશ જેનો ખર્ચ રૂ. 35 હજાર થશે”. જેથી નરેન્દ્રભાઇએ રૂપિયા આપવાની હા પાડતા અમદાવાદના સ્વરાજ નામના વ્યક્તિએ ઘરે આવી રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી બે તાંબાના કળશ બહાર કાઢી આપ્યાં હતા. જેમાં એક કળશમાં સોનાની દાગીના અને બીજામાં હાડકાં ભરેલા હતા. તે પછી સ્વરાજે જણાવ્યું કે, ઘરના રસોડામાં હજી 16 કળશ છે. જે કાઢવાનો ખર્ચ રૂ. 13 લાખ થશે, જેથી નરેન્દ્રભાઇએ આ વિધી કરાવવા માટે ફરી એક વખત રૂ. 15 લાખની લોન લીધી હતી.
દેવુ ચુંકવવા માટે નરેન્દ્રભાઇ મકાન વેચવા કાઢ્યું હતુ. વર્ષ 2019 એપ્રિલ મહિનામાં દલાલ રાજેશ રાઠોડ મારફતે અશોક મિસ્ત્રી સાથે રૂ. 25 લાખમાં મકાનનો સોદો નક્કી થયો હતો. જેથી અશોક મિસ્ત્રીએ રૂ. 7 લાખ નરેન્દ્રભાઇને આપ્યાં હતા. 16 કળશ કાઢવાની વિધી માટે લીધેલી લોનમાંથી બચેલા રૂ. 7 લાખ અને અશોક મિસ્ત્રીએ રૂ. 7 લાખ મળી કુલ રૂ. 14 થઇ હતી. જેમાંથી રૂ. 13 લાખ અમદાવાદના સ્વરાજ જ્યોતિષને વિધી કરવા માટે આપવામાં આવ્યાં હતા. જોકે સ્વરાજ જ્યોતિષે ઘરમાં આવી ફરી એક વખત વિધી કરી 3 કળશ કાઢ્યાં, જેમાંથી સોનાનો કળશ પાણીમાં પધરાવી દેવાયો હતો. બીજા કળશ કાઢવા માટે જ્યોતિષ સ્વરાજે વધુ રૂ. 9 લાખની માગણી કરતા સોની પરિવારે વિધી કરાવવાનો ઇન્કાર કર્યો હતો.
સમાચારપત્રોમાં ગુરૂવાર અને મંગળવારે આવતી પુર્તીઓમાં જ્યોતિષોની જાહેરાત જોઇ લાખોના દેવામાં ઉતરી ગયેલા નરેન્દ્રભાઇ સોનીએ અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષનો સંપર્ક કરી તેને મળ્યાં હતા. પ્રહલાદે પણ વાસ્તુદોષ નિવારણની વિધી કરવાનુ જણાવી દિનેશ નામની વ્યક્તિને વિધી કરવા માટે નરેન્દ્રભાઇના ઘરે મોકલ્યો હતો. દિનેશે નરેન્દ્રભાઇના ઘરમાંથી સાડા ત્રણ ફુટનો સાપ કાઢી પ્લાસ્ટીકના ડબ્બામાં ભરી દીધો હતો. સાપનુ નિવારણની વિધી કરવા માટે પ્રહલાદે સોની પરિવારને રૂ. 7 લાખનો ખર્ચ હોવાનુ જણાવ્યું હતુ. જેથી તેમણે વિધી માટે ના પાડી દીધી હતી.
આ દરમિયાન મકાન વેચાણના રજીસ્ટર્ડ બાનાખાત માટે વર્ષ 2019માં અશોક મિસ્ત્રી તથા સંજય મિસ્ત્રીએ રૂ. 5 લાખનો ચેક અને રૂ. 6.50 લાખ રોકડા ચુંકવ્યા હતા. જોકે દેવુ વધી ગયુ હોવાથી નરેન્દ્રભાઇ એક બાદ એક પાખંડી જ્યોતિષોના ચુંગાલમાં ફસાતા ફરી એક વખત અમદાવાદના રાણીપના જ્યોતિષ સમીર જોષીનો સંપર્ક કર્યો હતો. સમીર જોષીએ પણ વાસ્તુદોષ નિવારણ માટેની વિધીનો ખર્ચ રૂ. 5 લાખ જણાવ્યો હતો. જેથી સમીર જોષીને વિધી માટે રૂ. 5 લાખ આપતા તે પણ નરેન્દ્રભાઇ સોનીના ઘરે આવી ચાર કલશ કાઢેલા જેમાંથી એક કળશમાં ચાંદી અને બીજામાં હાડકાં નિકળ્યા હતા. જે ચાંદી વેચંતા સોની પરિવારને દોઢ લાખ રૂપિયા મળ્યા હતા. જ્યારે વિધી સંપન્ન કરવા માટે સમીર જોષીએ વધુ રૂ. 8 લાખ માંગતા સોની પરિવારે ઇન્કાર કર્યો હતો.
ઘટના નં-5: આર્થીક ભીંસમાં આવેલા નરેન્દ્ર સોનીએ હવે રાજસ્થાનના પુષ્કરના જ્યોતિષનો સંપર્ક કર્યો
વર્ષ 2019માં નરેન્દ્રભાઇ સોની રાજસ્થાન પુષ્કર ખાતે દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં તેમને એક જ્યોતિષ મળ્યો હતો. આ જ્યોતિષને નરેન્દ્રભાઇએ પોતાની સમસ્યા વર્ણવી અને તેમણે વિધી કરવા માટે રૂ. 4 લાખનો ખર્ચ ગણાવ્યો હતો. જેથી નરેન્દ્રભાઇએ આ જ્યોતિષને પણ અગાઉના પાખંડી જ્યોતિષોની જેમ વિધી માટેની પુરેપુરી રકમ ચુંકવી દીધી હતી. જોકે, નરેન્દ્રભાઈના ઘરે વિધી કરવા આવતાં પહેલાં જ પુષ્કરના જ્યોતિષીનું મોત નિપજ્યું હતુ.
વર્ષ 2020ના ઓગષ્ટ મહિના સુધીમાં આર્થીક ભીંસમાં સરી પડેલા નરેન્દ્રભાઇ સતત અંધવિશ્વાસના રસ્તા પર ચાલી રહ્યાં હતા. જેમાં હવે તેમણે વડોદરાના પાણીગેટ આર્યુવેદિક ત્રણ રસ્તા પાસેના જ્યોતિષ સોહિલ વ્હોરાનો સંપર્ક કર્યો હતો. તેણે પણ વિધી કરવા માટે રૂ. 3.50 લીધા અને ઘરે આવી ખાડો ખોદી દસ ચાંદીના સિક્કા તથા સન 1920ની સાલના ચલણી સિક્કા કાઢી બતાવ્યાં હતા. જે જૂના સિક્કા સાહિલ વ્હોરા પોતે જ લઇ ગયો હતો. પરંતુ સોની પરિવારની સમસ્યાનો અંત ન આવ્યો.
ઘટના નં-7 : વધુ એક અમદાવાદના જ્યોતિષે નરેન્દ્રભાઇ પાસેથી વિધીના નામે રૂ. 4.50 લાખ પડાવી લીધા
હવે તો પોતાનુ ઘર છોડી સોની પરિવાર ભાડાના મકાનમાં રહેવા ચાલી ગયો હતો. આર્થીક રીતે પડી ભાંગેલા સોની પરિવાર જ્યોતિષોની ચુંગાલમાંથી નિકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજી તરફ નરેન્દ્રભાઇ ફરી એક વખત અમદાવાદના વિજય જોષી નામના જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. જેણે વિધી કરવા માટે અલ્કેશ જોષીને તેઓના ભાડાના મકાનમાં મોકલ્યો હતો. પરંતુ રસોડામાં ખાડા ખોદતા કંઇ મળી ન આવતા આ જ્યોતિષ પણ રૂ. 4.50 લાખનો ચુનો ચોપડી નિકળી ગયો હતો.
ઘટના નં-8: વેચવા કાઢેલા મકાનના બાના પેટે લીધેલી રકમ હવે પરત આપવાની હતી.
વર્ષ 2019માં નરેન્દ્રભાઇ સોનીને અશોક મિસ્ત્રીએ મકાનના વેચાણ બાનાખાત પેટે રૂ. 23.50 લાખ ચુંકવી દીધી હતી. પરંતુ મકાન પર લોન ચાલતી હોવાની દસ્તાવેજ કરી આપવા શક્ય ન હતા. જેથી નરેન્દ્રભાઇને ચુંકવેલી રકમ અશોક મિસ્ત્રીને ગત તા. 31 માર્ચ 2020 સુધીમાં પરત કરવાનો વાયદો કરી સમાધાન કરાર કર્યો હતો. આ દરમિયાન નરેન્દ્રભાઇએ ભરત વાઘેલા નામની વ્યક્તિને મકાન વેચવાના બાના પેટે રૂ. 2 લાખ લીધા હતા. જે પૈકીના એક લાખ ભરત વાઘેલાને પરત પણ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, એક દેવુ ઉતારવા એક પછી એક લોન લઇ જ્યોતિષીઓના ચક્કરમાં ફસાયેલા નરેન્દ્રભાઇ હવે ભાંગી પડ્યા હતા.
બે વર્ષમાં નરેન્દ્રભાઇએ અશોક મિસ્ત્રી પાસેથી મકાન વેચાણ માટે રૂ. 23.50 લાખ લઇ લીધા હતા. પરંતુ વેચાણ દસ્તાવેજની શક્યતા નહીવત હોવાથી રૂપિયા પરત કરવાનો વારો આવ્યો હતો. જોકે રૂપિયાની સગવડ ન હોવાથી અને જ્યોતિષોના ચક્કરમાં આવી રૂ. 32.50 લાખ ગુમાવી દેનાર સોની પરિવાર પાસે કોઇ રસ્તો બચ્યો ન હતો. જેથી ઘરના મોભી નરેન્દ્રભાઇએ પરિવારના તમામ સભ્યોને ભેગા કરી સામૂહિક આપઘાત કરી લેવા માટે જણાવ્યું હતુ. ગત તા. 3 માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યા પહેલા નરેન્દ્રભાઇ બજારમાંથી ઝેરી દવા લઇ આવ્યાં હતા. ઝેર ડ્રોપર મારફતે કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવી દઇ પરિવારના 6 પૈકી પાંચ સભ્યોએ સ્વેચ્છિક પી લીધું હતું. જ્યારે 3 વર્ષનો પૌત્ર પાર્થ પલંગમાં સૂતો હોવાથી દાદા નરેન્દ્રભાઇએ પોતાના હાથે ઝેરી દવા ડ્રોપરથી પૌત્ર પાર્થને પીવડાવી મોતને વ્હાલુ કરી લીધુ હતુ.
નોંધનીય છે કે, ઉપરોક્ત તમામ જણાવેલી વિગતો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ભાવીન સોનીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવી છે. જેના આધારે પોલીસે મૃતક નરેન્દ્ર સોની સામે પૌત્રની હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે 9 પાંખડી જ્યોતિષો સામે છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.