એકાદશી નિમિત્તે સુરતનો પરિવાર નાની રાવલ મંદિરે દર્શન કરવા આવ્યો હતો.
Watch Gujarat. ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડેલાં પિતા – પુત્રી સહિતના ત્રણ શખ્સોનું ડૂબી જવાને કારણે મોત નિપજ્યું હતું. કરૂણંતિકાને પગલે સુરતથી નાની રાવલ આવેલાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પાણીમાં ગરકાવ થઈ ગયેલાં પિતા – પુત્રી સહિતના ત્રણેયનાં મૃતદેહ સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યા હતાં.
એકાદશી નિમિત્તે નાની રાવલ મંદિરે દર્શન કરવા માટે સુરતનો એક પરિવાર આવ્યો હતો. મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ સુરતના હીરાબાગના રહેવાસી 44 વર્ષિય અનિલભઆઈ અજુવાડીયા, કતારગામના રહેવાસી 45 વર્ષિય મગનભાઈ નાગલીયા અને તેમની 15 વર્ષિય પુત્રી આરજુ નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતાં. દરમિયાનમાં ત્રણેય જણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતાં કિનારે બેઠેલાં લોકોએ બૂમરાણ મચાવી હતી. જોકે, કોઈ મદદ પહોંચે એ પૂર્વે ત્રણેય જણ પાણીમાં ડૂબી ગયા હતાં.
બનાવને પગલે દોડી આવેલાં સ્થાનિક તરવૈયાઓએ ત્રણ મૃતદેહને બહાર કાઢ્યા હતાં. ગરૂડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એકાદશી નિમિત્તે સુરતનો પરિવાર નાની રાવલ મંદિરે દર્શન કરવા આવ્યો હતો.
Watch Gujarat. ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડેલાં પિતા – પુત્રી સહિતના ત્રણ શખ્સોનું ડૂબી જવાને કારણે મોત નિપજ્યું હતું. કરૂણંતિકાને પગલે સુરતથી નાની રાવલ આવેલાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પાણીમાં ગરકાવ થઈ ગયેલાં પિતા – પુત્રી સહિતના ત્રણેયનાં મૃતદેહ સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યા હતાં.
એકાદશી નિમિત્તે નાની રાવલ મંદિરે દર્શન કરવા માટે સુરતનો એક પરિવાર આવ્યો હતો. મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ સુરતના હીરાબાગના રહેવાસી 44 વર્ષિય અનિલભઆઈ અજુવાડીયા, કતારગામના રહેવાસી 45 વર્ષિય મગનભાઈ નાગલીયા અને તેમની 15 વર્ષિય પુત્રી આરજુ નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતાં. દરમિયાનમાં ત્રણેય જણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતાં કિનારે બેઠેલાં લોકોએ બૂમરાણ મચાવી હતી. જોકે, કોઈ મદદ પહોંચે એ પૂર્વે ત્રણેય જણ પાણીમાં ડૂબી ગયા હતાં.
બનાવને પગલે દોડી આવેલાં સ્થાનિક તરવૈયાઓએ ત્રણ મૃતદેહને બહાર કાઢ્યા હતાં. ગરૂડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.