રવિવારે ઝાલોદ ડીવાયએસપી કચેરીના ખાતમુહૂર્ત ટાણે ઝાલોદ આવેલા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વ.હિરેન પટેલના નિવાસસ્થાને જઈ સ્વજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી
પાલિકા થી લઇ વિધાનસભા સુધી ભાજપની સત્તા હોવા છતાં ત્રણ માસ પૂર્વે ભાજપના અગ્રણી અને આગેવાન ની હત્યા બાદ પણ તેના મૂળ સુધી પહોંચી શકાયું
WatchGujarat. ઝાલોદ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ તથા કાઉન્સિલર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે થયેલી હત્યાનું કારણ ઝાલોદ પાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર હોવાનું જ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. રવિવારે ઝાલોદ ડીવાયએસપી કચેરીના ખાતમુહૂર્ત ટાણે ઝાલોદ આવેલા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વ.હિરેન પટેલના નિવાસસ્થાને જઈ સ્વજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. વાતને હજી 24 કલાક પણ ન થયા ત્યાં તો પતિના અકાળે થયેલ અવસાનથી ઘેરા આઘાતમાં સરી પડી માંદગીના બિછાને પડેલ સ્વ હિરેન પટેલની પત્નીનું લાંબી માંદગી બાદ ગતરોજ સવારે દુઃખદ અવસાન થયું હતું. #Dahod
ત્રણેક માસ પહેલા ઝાલોદ નગરના કાઉન્સિલર હિરેન પટેલની વહેલી સવારે મોર્નિંગ વોક કરી પરત ઘરે આવતા રસ્તામાં જ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીની ટક્કર મારી હત્યા કરવામાં આવી હતી. પતિના મોતના આઘાતમાં સરી પડેલ ધર્મ પત્ની બીનાબેન માંદગીના બિછાને પડ્યા હતા. અને ગૃહમંત્રીની મુલાકાતના બીજા જ દિવસે એટલે કે ગતરોજ વહેલી સવારે બીનાબેન નું ત્રણ માસની લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. ત્યારે ત્રણ માસમાં જ એક જ પરિવારના બે સભ્યોના થયેલ મોતના પગલે ઝાલોદ પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે. #Dahod
[caption id="attachment_58136" align="aligncenter" width="1280"] Social Media Image[/caption]
ત્યારે બીજી તરફ પાલિકા થી લઇ વિધાનસભા સુધી ભાજપની સત્તા હોવા છતાં ત્રણ માસ પૂર્વે ભાજપના અગ્રણી અને આગેવાન ની હત્યા બાદ પણ તેના મૂળ સુધી પહોંચી શકાયું નથી. જેને પગલે સત્તાધારીઓ સામે વ્યાપક રોષ ની લાગણી ફેલાવા પામી છે. ઝાલોદ નગર પાલિકા માં તખ્તો પલટાતા સત્તા ભાજપની તરફેણમાં લાવ્યાના એક માસમાં જ પાલિકાની સત્તામાં જેનો મહત્વનો ફાળો રહ્યો હતો એવા હિરેન પટેલની હત્યા કરી દેવામાં આવી હતી. #Dahod
ઘટનાના માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા સમયગાળામાં તેમના પત્ની બીનાબેન નું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થતાં હિરેન પટેલ નો પરિવાર સત્તાની બલિ ચડી ગયો હતો અને હવે માત્ર તેમનો પુત્ર પંથ એકલો જ રહી ગયો હતો.
More #Dahod #Bjp #Counselor #Murdered case #panchmahal #WatchGujarat
રવિવારે ઝાલોદ ડીવાયએસપી કચેરીના ખાતમુહૂર્ત ટાણે ઝાલોદ આવેલા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વ.હિરેન પટેલના નિવાસસ્થાને જઈ સ્વજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી
પાલિકા થી લઇ વિધાનસભા સુધી ભાજપની સત્તા હોવા છતાં ત્રણ માસ પૂર્વે ભાજપના અગ્રણી અને આગેવાન ની હત્યા બાદ પણ તેના મૂળ સુધી પહોંચી શકાયું
WatchGujarat. ઝાલોદ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ તથા કાઉન્સિલર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે થયેલી હત્યાનું કારણ ઝાલોદ પાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર હોવાનું જ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. રવિવારે ઝાલોદ ડીવાયએસપી કચેરીના ખાતમુહૂર્ત ટાણે ઝાલોદ આવેલા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વ.હિરેન પટેલના નિવાસસ્થાને જઈ સ્વજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. વાતને હજી 24 કલાક પણ ન થયા ત્યાં તો પતિના અકાળે થયેલ અવસાનથી ઘેરા આઘાતમાં સરી પડી માંદગીના બિછાને પડેલ સ્વ હિરેન પટેલની પત્નીનું લાંબી માંદગી બાદ ગતરોજ સવારે દુઃખદ અવસાન થયું હતું. #Dahod
ત્રણેક માસ પહેલા ઝાલોદ નગરના કાઉન્સિલર હિરેન પટેલની વહેલી સવારે મોર્નિંગ વોક કરી પરત ઘરે આવતા રસ્તામાં જ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીની ટક્કર મારી હત્યા કરવામાં આવી હતી. પતિના મોતના આઘાતમાં સરી પડેલ ધર્મ પત્ની બીનાબેન માંદગીના બિછાને પડ્યા હતા. અને ગૃહમંત્રીની મુલાકાતના બીજા જ દિવસે એટલે કે ગતરોજ વહેલી સવારે બીનાબેન નું ત્રણ માસની લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. ત્યારે ત્રણ માસમાં જ એક જ પરિવારના બે સભ્યોના થયેલ મોતના પગલે ઝાલોદ પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે. #Dahod
[caption id="attachment_58136" align="aligncenter" width="1280"] Social Media Image[/caption]
ત્યારે બીજી તરફ પાલિકા થી લઇ વિધાનસભા સુધી ભાજપની સત્તા હોવા છતાં ત્રણ માસ પૂર્વે ભાજપના અગ્રણી અને આગેવાન ની હત્યા બાદ પણ તેના મૂળ સુધી પહોંચી શકાયું નથી. જેને પગલે સત્તાધારીઓ સામે વ્યાપક રોષ ની લાગણી ફેલાવા પામી છે. ઝાલોદ નગર પાલિકા માં તખ્તો પલટાતા સત્તા ભાજપની તરફેણમાં લાવ્યાના એક માસમાં જ પાલિકાની સત્તામાં જેનો મહત્વનો ફાળો રહ્યો હતો એવા હિરેન પટેલની હત્યા કરી દેવામાં આવી હતી. #Dahod
ઘટનાના માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા સમયગાળામાં તેમના પત્ની બીનાબેન નું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થતાં હિરેન પટેલ નો પરિવાર સત્તાની બલિ ચડી ગયો હતો અને હવે માત્ર તેમનો પુત્ર પંથ એકલો જ રહી ગયો હતો.
More #Dahod #Bjp #Counselor #Murdered case #panchmahal #WatchGujarat