પહેલા પતિના મૃત્યુબાદ વિશાલની માતા ચંદ્રિકાબેને, કમલેશભાઈ કેશુભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા
મામલતદાર ની હાજરી માં પેનલ ડોકટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું
WatchGujarat. ચાંપાનેર ગામમાં ધર્મશાળાની પાસે રહેતા 16 વર્ષીય કિશોરે રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પરિવારજનોએ કિશોરની આત્મહત્યા અંગે શંકા વ્યક્ત કરતા મૃતદેહને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ,મોકલવામાં આવી હતી. જ્યાં મામલતદાર ની હાજરી માં પેનલ ડોકટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. જો કે મરણ જનાર 16 વર્ષીય કિશોરના સગા ફોઈ એ કિશોરે આત્મહત્યા કરી ન હોવાનું અને તેની સાથે કઈ અજુગતું થયું હોવાનો ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. #Pavagadh
તળેટી ખાતે આવેલ શિવશક્તિ ધર્મશાળા પાસે રહેતા વિશાલના (ઉં.વ 16) ના પિતા ચંદુભાઈ આજથી છ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા.વિશાલની માતા ચંદ્રિકાબેને, કમલેશભાઈ કેશુભાઈ નામના ઈસમ સાથે બીજા લગ્ન કર્યા હતા. વિશાલ પણ તેઓની સાથે રહેતો હતો. ગત રોજ વિશાલે પોતાના ઘરના પંખામાં ઓઢણીનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે જાણ કરાતા પાવાગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ કરાતા હાલોલ મામલતદાર પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાવ અંગે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. #Pavagadh
જો કે બીજી તરફ જીવન ટુંકાવનાર કિશોર વિશાલના ફોઈ અને અન્ય સંબંધીઓને જાણ થતા તેઓ પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ફોઇએ વિશાલે આત્મહત્યા નથી કરી તેની સાથે કંઈ અજુગતું થયું હોવાનો ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓને ટેલિફોન કરી જાણ કરવામાં આવી હતી કે વિશાલ ને તાવ આવ્યો હોય અને ગંભીર રીતે બિમાર થતા તેનું મોત થયું છે. પરંતુ તેઓએ પાવાગઢ ખાતે તેના મકાનમાં આવીને જોતા વિશાલે ગળે ફાંસો ખાધો હોવાનું જોવા મળ્યું હતું. અને ગળામાં હળદર લગાવવી તેના ગળામાંથી કોઈ નિશાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. #Pavagadh
ફોઇએ ઉમેર્યું હતું કે, વિશાલ અત્યંત સીધો સાદો અને કોઇપણ જાતનો વ્યસન ધરાવતો ન હતો. જેમાં તેની સાથે કંઈ પણ અજુગતું થયું હોવાથી અમે લોકોએ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેથી તેઓએ પણ ન્યાયની માગણી કરી વિશાલ સાથે ખરેખર શું ઘટના બની છે તે સત્યને ઉજાગર કરવા માંગણી કરી હતી. વિશાલના મોત અંગેના કારણ જાણવા માટે પોલીસ પીએમ રિપોર્ટ ની રાહ જોઈ રહી છે.
More #panchmahal #Pavagadh #boy #end-life #allegation #Gujaratinews #Watchgujarat
પહેલા પતિના મૃત્યુબાદ વિશાલની માતા ચંદ્રિકાબેને, કમલેશભાઈ કેશુભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા
મામલતદાર ની હાજરી માં પેનલ ડોકટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું
WatchGujarat. ચાંપાનેર ગામમાં ધર્મશાળાની પાસે રહેતા 16 વર્ષીય કિશોરે રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પરિવારજનોએ કિશોરની આત્મહત્યા અંગે શંકા વ્યક્ત કરતા મૃતદેહને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ,મોકલવામાં આવી હતી. જ્યાં મામલતદાર ની હાજરી માં પેનલ ડોકટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. જો કે મરણ જનાર 16 વર્ષીય કિશોરના સગા ફોઈ એ કિશોરે આત્મહત્યા કરી ન હોવાનું અને તેની સાથે કઈ અજુગતું થયું હોવાનો ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. #Pavagadh
તળેટી ખાતે આવેલ શિવશક્તિ ધર્મશાળા પાસે રહેતા વિશાલના (ઉં.વ 16) ના પિતા ચંદુભાઈ આજથી છ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા.વિશાલની માતા ચંદ્રિકાબેને, કમલેશભાઈ કેશુભાઈ નામના ઈસમ સાથે બીજા લગ્ન કર્યા હતા. વિશાલ પણ તેઓની સાથે રહેતો હતો. ગત રોજ વિશાલે પોતાના ઘરના પંખામાં ઓઢણીનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે જાણ કરાતા પાવાગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ કરાતા હાલોલ મામલતદાર પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાવ અંગે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. #Pavagadh
જો કે બીજી તરફ જીવન ટુંકાવનાર કિશોર વિશાલના ફોઈ અને અન્ય સંબંધીઓને જાણ થતા તેઓ પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ફોઇએ વિશાલે આત્મહત્યા નથી કરી તેની સાથે કંઈ અજુગતું થયું હોવાનો ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓને ટેલિફોન કરી જાણ કરવામાં આવી હતી કે વિશાલ ને તાવ આવ્યો હોય અને ગંભીર રીતે બિમાર થતા તેનું મોત થયું છે. પરંતુ તેઓએ પાવાગઢ ખાતે તેના મકાનમાં આવીને જોતા વિશાલે ગળે ફાંસો ખાધો હોવાનું જોવા મળ્યું હતું. અને ગળામાં હળદર લગાવવી તેના ગળામાંથી કોઈ નિશાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. #Pavagadh
ફોઇએ ઉમેર્યું હતું કે, વિશાલ અત્યંત સીધો સાદો અને કોઇપણ જાતનો વ્યસન ધરાવતો ન હતો. જેમાં તેની સાથે કંઈ પણ અજુગતું થયું હોવાથી અમે લોકોએ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેથી તેઓએ પણ ન્યાયની માગણી કરી વિશાલ સાથે ખરેખર શું ઘટના બની છે તે સત્યને ઉજાગર કરવા માંગણી કરી હતી. વિશાલના મોત અંગેના કારણ જાણવા માટે પોલીસ પીએમ રિપોર્ટ ની રાહ જોઈ રહી છે.
More #panchmahal #Pavagadh #boy #end-life #allegation #Gujaratinews #Watchgujarat