વ્યામોહનો અર્થ ખોટા વિશ્વાસથી થાય છે
આ રોગનાં રોગીમાં વ્યામોહ તંત્ર એટલું જટિલ હોય છે કે તેનાથી તેમનાં વર્તનમાં અસામાન્યતા તથા કુસમાયોજન સ્પષ્ટરૂપથી જોવા મળે છે
આ પ્રકારના રોગીને એવો ખોટો વિશ્વાસ થઇ જાય છે કે તે ઈશ્વરીય અવતાર કે દેવદૂત છે
Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવન દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર રમેશચંદ્ર ફેફરનાં વ્યક્તિત્વ અને માનસિકતાનું આલેખન કરાયું છે. આ અંગે ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણનાં કહેવા મુજબ દરેક માણસમાં વત્તા ઓછા પ્રમાણમાં કોઈને કોઈ બાબતને લઈ પોતાની જાત પરનો વિશ્વાસ હોય છે. વિશ્વાસ હકારાત્મક હોય તો આત્મવિશ્વાસ બને છે. પરંતુ કેટલાકને ભ્રામક વહેમ હોય છે, જેમાં કેટલાકને દુઃખદર્દનો વ્યામોહ તો કેટલાકને સુંદરતાનો અને કેટલાકને કોર્ટ કચેરીનો વ્યામોહ પણ હોય છે. આ રમેશચંદ્ર ફેફરની માફક જ નારાયણસાંઈ અને રાધામાં જેવા અનેક મહાનતાનાં વ્યામોહથી પીડિત માનસિક રોગીઓ છે
ડો. જોગસનનાં જણાવ્યા મુજબ, વ્યામોહનો અર્થ ખોટા વિશ્વાસથી હોય છે. જેમાં રોગી એક જટિલ વ્યામોહ તંત્ર વિકસીત કરી લે છે. તેમાં કોઇ પ્રકારના વિભ્રમ, ભાષા તથા ક્રિયા કરવામાં કોઈ મુશ્કેલી તથા સ્થિતીભ્રમ વગેરેનાં કોઈ લક્ષણ હોતા નથી. સ્પષ્ટ થયું છે કે આ રોગનાં રોગીમાં વ્યામોહ તંત્ર એટલું જટિલ હોય છે કે તેનાથી તેમનાં વર્તનમાં અસામાન્યતા તથા કુસમાયોજન સ્પષ્ટરૂપથી જોવા મળે છે. સુવ્યવસ્થિત તેમજ સ્થિર વ્યામોહ સિવાય આ પ્રકારનાં રોગીઓમાં અન્ય કોઈ લક્ષણ અસામાન્ય હોતા નથી. વ્યામોહના ઘણા પ્રકારો હોય છે. જેમ કે દંડ, સજા, સુંદરતા, ઈર્ષા, મહાનતાનો વ્યામોહ વિગેરે ગણી શકાય. ત્યારે પોતાને કલ્કી અવતાર ગણાવતા આ રમેશચંદ્રમાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે.*
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના રોગીને એવો ખોટો વિશ્વાસ થઇ જાય છે કે, તેનામાં કોઈને કોઈ શારીરિક ક્ષુબ્ધતા છે, અથવા તે ઈશ્વરીય અવતાર કે દેવદૂત છે. હું જે કરું અને કહું એ જ સાચું એવી એક માનસિકતા તેમનામાં વિકસે છે. આવા રોગી પહેલા એવું કહેતા જોવા મળે છે કે તેનાં કોઈ મોટા રાજનૈતિક નેતાઓ સાથે વ્યક્તિગત સંબંધ છે અથવા તેઓ દેવ દૂત છે. આ વિકૃતિવાળી વ્યક્તિઓમાં આત્મ મહત્વની ભાવના વધારે તીવ્ર હોય છે. આવી વ્યક્તિ પોતાની જાતને વધારે મહત્વપૂર્ણ વ્યક્તિ સમજે છે. અને લોકો પાસેથી વિશેષ અને અલગ સેવાની આશા પણ રાખતા હોય છે.
આવી વ્યક્તિમાં મહત્વકાંક્ષા વઘુ હોય છે. તેઓ પોતાની ઈચ્છા અને વિચારનો અમલ ફરજિયાત જ્યારે અન્યની ઈચ્છા તથા વિચારોને તુચ્છ સમજે છે. આવી વ્યક્તિ અન્ય વ્યક્તિને પોતાની નજીક આવવા દેતી નથી. સાથે તે પોતાની ઉપર તેને આધારિત પણ થવા દેતી નથી. આવી વ્યક્તિ પોતાનામાં દોષ કે વિકૃતિ છે તેને સ્વીકારી શકતી નથી. આ રોગ એવી વ્યક્તિઓમાં વિકસિત થાય છે જેને જીવનની મહત્વની અવસ્થાઓ સામાજિક જીવન, વ્યવસાયિક જીવન, દાંમ્પત્ય જીવનમાં અસફળતાઓની હારમાળા હોય છે. અતિ મહત્વકાંક્ષા, દોષપૂર્ણ શિક્ષણ અને વિકાસ, જાતિય સમાયોજનમાં ખામી, વ્યક્તિને જ્યારે ફેમસ થવાની કે જાહેરમાં પોતાની અલગ ઓળખ કરવાની માનસિકતા હોય, બાલ્યઅવસ્થામાં માતા-પિતાનો તિરસ્કાર વગેરે કારણો હોય છે. માનસિક રોગના ડોક્ટરની સલાહ મુજબ દવા લેવાથી કે સાયકોથેરાપી લેવાથી આવી વ્યક્તિમાં સુધારો આવી શકે છે.
વ્યામોહનો અર્થ ખોટા વિશ્વાસથી થાય છે
આ રોગનાં રોગીમાં વ્યામોહ તંત્ર એટલું જટિલ હોય છે કે તેનાથી તેમનાં વર્તનમાં અસામાન્યતા તથા કુસમાયોજન સ્પષ્ટરૂપથી જોવા મળે છે
આ પ્રકારના રોગીને એવો ખોટો વિશ્વાસ થઇ જાય છે કે તે ઈશ્વરીય અવતાર કે દેવદૂત છે
Watchgujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવન દ્વારા પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર રમેશચંદ્ર ફેફરનાં વ્યક્તિત્વ અને માનસિકતાનું આલેખન કરાયું છે. આ અંગે ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણનાં કહેવા મુજબ દરેક માણસમાં વત્તા ઓછા પ્રમાણમાં કોઈને કોઈ બાબતને લઈ પોતાની જાત પરનો વિશ્વાસ હોય છે. વિશ્વાસ હકારાત્મક હોય તો આત્મવિશ્વાસ બને છે. પરંતુ કેટલાકને ભ્રામક વહેમ હોય છે, જેમાં કેટલાકને દુઃખદર્દનો વ્યામોહ તો કેટલાકને સુંદરતાનો અને કેટલાકને કોર્ટ કચેરીનો વ્યામોહ પણ હોય છે. આ રમેશચંદ્ર ફેફરની માફક જ નારાયણસાંઈ અને રાધામાં જેવા અનેક મહાનતાનાં વ્યામોહથી પીડિત માનસિક રોગીઓ છે
ડો. જોગસનનાં જણાવ્યા મુજબ, વ્યામોહનો અર્થ ખોટા વિશ્વાસથી હોય છે. જેમાં રોગી એક જટિલ વ્યામોહ તંત્ર વિકસીત કરી લે છે. તેમાં કોઇ પ્રકારના વિભ્રમ, ભાષા તથા ક્રિયા કરવામાં કોઈ મુશ્કેલી તથા સ્થિતીભ્રમ વગેરેનાં કોઈ લક્ષણ હોતા નથી. સ્પષ્ટ થયું છે કે આ રોગનાં રોગીમાં વ્યામોહ તંત્ર એટલું જટિલ હોય છે કે તેનાથી તેમનાં વર્તનમાં અસામાન્યતા તથા કુસમાયોજન સ્પષ્ટરૂપથી જોવા મળે છે. સુવ્યવસ્થિત તેમજ સ્થિર વ્યામોહ સિવાય આ પ્રકારનાં રોગીઓમાં અન્ય કોઈ લક્ષણ અસામાન્ય હોતા નથી. વ્યામોહના ઘણા પ્રકારો હોય છે. જેમ કે દંડ, સજા, સુંદરતા, ઈર્ષા, મહાનતાનો વ્યામોહ વિગેરે ગણી શકાય. ત્યારે પોતાને કલ્કી અવતાર ગણાવતા આ રમેશચંદ્રમાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે.*
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના રોગીને એવો ખોટો વિશ્વાસ થઇ જાય છે કે, તેનામાં કોઈને કોઈ શારીરિક ક્ષુબ્ધતા છે, અથવા તે ઈશ્વરીય અવતાર કે દેવદૂત છે. હું જે કરું અને કહું એ જ સાચું એવી એક માનસિકતા તેમનામાં વિકસે છે. આવા રોગી પહેલા એવું કહેતા જોવા મળે છે કે તેનાં કોઈ મોટા રાજનૈતિક નેતાઓ સાથે વ્યક્તિગત સંબંધ છે અથવા તેઓ દેવ દૂત છે. આ વિકૃતિવાળી વ્યક્તિઓમાં આત્મ મહત્વની ભાવના વધારે તીવ્ર હોય છે. આવી વ્યક્તિ પોતાની જાતને વધારે મહત્વપૂર્ણ વ્યક્તિ સમજે છે. અને લોકો પાસેથી વિશેષ અને અલગ સેવાની આશા પણ રાખતા હોય છે.
આવી વ્યક્તિમાં મહત્વકાંક્ષા વઘુ હોય છે. તેઓ પોતાની ઈચ્છા અને વિચારનો અમલ ફરજિયાત જ્યારે અન્યની ઈચ્છા તથા વિચારોને તુચ્છ સમજે છે. આવી વ્યક્તિ અન્ય વ્યક્તિને પોતાની નજીક આવવા દેતી નથી. સાથે તે પોતાની ઉપર તેને આધારિત પણ થવા દેતી નથી. આવી વ્યક્તિ પોતાનામાં દોષ કે વિકૃતિ છે તેને સ્વીકારી શકતી નથી. આ રોગ એવી વ્યક્તિઓમાં વિકસિત થાય છે જેને જીવનની મહત્વની અવસ્થાઓ સામાજિક જીવન, વ્યવસાયિક જીવન, દાંમ્પત્ય જીવનમાં અસફળતાઓની હારમાળા હોય છે. અતિ મહત્વકાંક્ષા, દોષપૂર્ણ શિક્ષણ અને વિકાસ, જાતિય સમાયોજનમાં ખામી, વ્યક્તિને જ્યારે ફેમસ થવાની કે જાહેરમાં પોતાની અલગ ઓળખ કરવાની માનસિકતા હોય, બાલ્યઅવસ્થામાં માતા-પિતાનો તિરસ્કાર વગેરે કારણો હોય છે. માનસિક રોગના ડોક્ટરની સલાહ મુજબ દવા લેવાથી કે સાયકોથેરાપી લેવાથી આવી વ્યક્તિમાં સુધારો આવી શકે છે.