WatchGujarat. કોરોના કાળ બાદ લોકોમાં બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર જોવા મળ્યો છે. જેમાં વ્યક્તિ પોતાના જ શારીરિક દેખાવથી અકારણ ચિંતિત બની જાય છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડોક્ટર યોગેશભાઈ જોગસણના માર્ગદર્શનમાં પુરોહિત અમીએ સર્વે કર્યો હતો. જેમાં 77% લોકો વજન કાબુમાં રાખવા ઓછો ખોરાક લેતા થયા હોવા સહિતનાં અનેક રોચક તારણો સામે આવ્યા છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ પોતાનું શારીરિક બંધારણ અચોક્કસ છે અથવા તેનું નાક કે કાન મોટા હોય તેવા વિચારોથી વ્યક્તિ પોતાનો મોટા ભાગનો સમય અરીસા અથવા વિવિધ કોસ્મેટિક્સના ઉપયોગમાં વેડફી નાખે છે.
હાલ સોશિયલ મીડીયાના ઉપયોગથી માનવી પોતાનો બાહ્ય દેખાવ સારો દેખાડવા તરફ બેબાકળો થયો છે. તેમાં પોતાને ગમતી પ્રતિભાશાળી પર્સનાલિટી અથવા પોતાના ચાહિતા અભિનેતાઓ જેવા દેખાવ જેવો પોતાનો દેખાવ લાગે તેવા પ્રયત્ન કરે છે. અથવા તેઓ જેવા દેખાય છે તેવા પોતે પણ લાગવા જોઈએ તેવા તુચ્છ વિચારોથી પોતાને ક્યારેક આર્થિક, સામાજિક, શારીરિક ઉપરાંત માનસિક નુકસાન પણ ભોગવતો હોય છે. ત્યારે 18 થી 60 વર્ષના 990 લોકોની રૂબરૂ મુલાકાત કરીને મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત અમીએ આ સર્વે કર્યો છે. જેમાં પુરોષોની સરખામણીએ સ્ત્રીઓમા દેખાવ બાબતની અકારણ ચિંતા વઘુ હોવાનું અને અપરણિત યુવતીઓમાં સૌથી વઘુ દેખાવ બાબતની ચિંતા હોવાનું સામે આવ્યું છે.
કોરોના પછી તમારા શરીરમાં કોઈ ફેરફાર થયા છે?
- હા 58%
- ના 42%
તમારા શારીરિક બંધારણથી સંતુષ્ટ છો?
- હા 69%
- ના 31%
સતત સુંદર દેખાવા પ્રયત્નશીલ રહો છો?
- હા 80.20%
- ના 19.8%
વજન કાબુમાં રાખવા અપૂરતો ખોરાક લેવાનું પસંદ કરો છો?
- હા 77%
- ના 23%
શારીરિક કસરત કરવા છતાં તમારું શરીર વધતું હોય તેવું લાગે છે?
- હા 65%
- ના 35%
6.તમારી ઉંમરને છુપાવવા વધારે પડતાં કોસ્મેટિક્સનો ઉપયોગ કરો છો?
- હા 70%
- ના 30%
સોશિયલ મીડિયાના માધ્યમથી સારા દેખાવા પ્રયત્નશીલ રહો છો?
- હા 46%
- ના 33%
- કયારેક 21%
અન્ય વ્યક્તિ તમારાંથી સુંદર દેખાતી હોય તો હીનતાભાવનો અનુભવ કરો છો?
- હા 78.5%
- ના 21.5%
બહાર જતી વખતે વારંવાર અરીસામાં જોયા કરો છો?
- હા 89%
- ના 11%
10 તમે સુંદર હસો તો જ તમને કોઈ સારી રીતે બોલાવશે, સારું વર્તન કરશે એવું માનો છો?
- હા 67%
- ના 33%
આવા વિચારો ધરાવતા લોકો અન્ય સાથે પોતાના દેખાવની સરખામણી કરતા જોવા મળે છે. જેને લીધે તેઓ વધુમાં વધુ સારા દેખાવ માટે પ્રયત્ન કરશે. તેઓને સતત એવી ચિંતા રહે છે કે પોતાના શારીરિક બાંધો સરખો નથી. અને લોકો તેને જોશે તો તેની મજાક ઉડાવશે કે પોતે અન્ય માટે હાસ્ય ને પાત્ર બનશે. આવી માનસિક પરિસ્થિતિને કારણે તે અન્ય લોકો સાથે સમાયોજન સાધવાનું ટાળે છે. વળી પોતે સુંદર દેખાશે તો જ વ્યક્તિઓ તેને બોલાવશે અને ચાહશે તેવા મનોવલણો પોતાનામાં વિકસાવે છે. મોટાભાગે આવું વર્તન સ્ત્રીઓમાં હોય તો કેટલેક અંશે તે સામાન્ય કહી શકાય. કારણ કે સ્ત્રીઓને સુંદરતાના પ્રતિક સમાન ગણવામાં છે. પરંતુ તેમાં પણ અમુક માત્રા પછી વધુ પડતા પ્રમાણમાં આવું વર્તન જો સ્ત્રી દ્વારા કરવામાં આવે ત્યારે તે વર્તન મનોવિકારમાં પરિણમે છે. પરંતુ માસ મીડિયાના આધુનિક યુગમાં પુરુષોમાં પણ આવો દોર વધવા લાગ્યો છે. વળી કોરોનાકાળમાં આખો દિવસ ઘરમાં બંધ રહી વ્યક્તિ આવી અનેક માનસિક મુસીબતો નો ભોગ બનતો રહ્યો છે.
બીડીડી ઔપચારિક રીતે ડીસમોર્ફોબિયા તરીકે પણ ઓળખાય છે, આ એક એવી માનસિક સ્થિતિ છે જે DSM- 5માં વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે આમ તો સામાન્ય લાગે છે, પરંતુ હકીકતમાં તે ખૂબ ગંભીર માનસિક વિકાર છે. જેના કારણે વ્યક્તિ ઘરથી બહાર જવામાં પણ સંકોચ અનુભવે છે. લોકો સાથે વાતચીત કરવામાં અટકે છે. ઘરમાં માત્ર એક રૂમમાં પુરાઈ રહેવું તેમને ગમે છે. તે વારંવાર અરીસા સામે જાય છે અને પોતાના રૂપની સતત ચકાસણી કર્યા કરે છે.
સોશિયલ મીડિયાના યુગમાં લોકો પોતાનો દેખાવ સારો નથી તેવું માની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવા માંગે છે. ઉપરાંત ટેલિવિઝનમાં આવતા ફિલ્મ સ્ટાર પર પણ પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે, જેના લીધે તેઓને ચાહતી આમ જનતામાં પણ આવી ઈચ્છાઓ ઉદ્દભવે છે. વળી કેટલાક કેસમાં જોવા મળ્યું છે કે, લોકો તેના ચહેરા પર રહેલા તલ કે મસાઓનો નાશ લેઝર પદ્ધતિથી કરાવતા હોય છે, પરંતુ તેઓ એ વાતથી અજાણ હોય છે કે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને લેઝર શરીર અને મગજના કોષો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના કારણો
સામાન્યત 15થી 25 વર્ષનો સમયગાળો એવો હોય છે કે, જેમાં બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે છે. ત્યારે તેનામાં શારીરિક કે હોર્મોનલ ફેરફારો થતા હોય છે. જેને લીધે તેઓ પોતે આકર્ષક દેખાવા માગે છે. જેના પરિણામે તેઓ બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર ભોગ પણ બની શકે છે. પરંતુ વર્તમાન સમયમાં આવા લક્ષણો મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. અલબત્ત, કેટલાક લોકો પોતાના સામાજીક મોભાને કારણે પોતાની સાચી ઉંમર છુપાવવા માટે પણ આવા અનેક વર્તન દાખવે છે. તદુપરાંત આના કારણોમાં ડિપ્રેશન, ચિંતા, હતાશા અને લાગણીઓનો અભાવ જોવા મળે છે. અને કેટલીકવાર તે વારસાગત પણ હોઇ શકે છે.
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર અસરો
સતત માનસિક તણાવ, ઊંડા વિચારો, અન્ય વ્યક્તિ દ્વારા ટીકાનો ભય વગેરે 1/5% લોકો આના કારણે આત્મહત્યા તરફ પણ વળે છે. લોકડાઉને લીધે થયેલા શારીરિક ફેરફારોમાં મુખ્યત્વે જોઈએ તો મોટાભાગના લોકોનું એવું કહેવાનું છે કે બહાર ચાલવા જવાનું બંધ થયું, શારીરિક કસરત થતી નથી, જેથી વજન સતત વધી રહ્યું છે. વળી, કેટલાક લોકોને શારીરિક સુસ્તીનો અનુભવ થાય છે. મોટા ભાગની મહિલાઓ કહે છે કે, પહેલા તો બહારના અને ઘરના બંને કામ સહેલાઈથી કરી શકતા, પરંતુ અત્યારે થોડું કામ કરીએ તો પણ થાકી જવાય છે. અને વધુ વજન ને લીધે કોઈ પણ કામ કરવામાં પહેલા જેવો ઉત્સાહ રહેતો નથી. મોટા ભાગની સ્ત્રીઓને એવું લાગે છે કે, લોકડાઉનની અસર તેમના શરીર પર પડી છે અને તેમનું શરીર તેમનો સાથ આપતું નથી
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના ઉપચારો
આ માનસિક બીમારી નો ઉપચાર પણ અન્ય માનસિક વિકૃતિઓની જેમ શક્ય છે. જેમાં સલાહકાર દ્વારા સલાહ મેળવવી, દવાઓ, તેમજ જરૂર લાગે ત્યારે થેરાપીનો પણ સમાવેશ કરવો, તેમજ તેના ઉપચાર માટે સૌથી જરૂરી વ્યક્તિનો પોતાનો આત્મવિશ્વાસ છે.
WatchGujarat. કોરોના કાળ બાદ લોકોમાં બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર જોવા મળ્યો છે. જેમાં વ્યક્તિ પોતાના જ શારીરિક દેખાવથી અકારણ ચિંતિત બની જાય છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડોક્ટર યોગેશભાઈ જોગસણના માર્ગદર્શનમાં પુરોહિત અમીએ સર્વે કર્યો હતો. જેમાં 77% લોકો વજન કાબુમાં રાખવા ઓછો ખોરાક લેતા થયા હોવા સહિતનાં અનેક રોચક તારણો સામે આવ્યા છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ પોતાનું શારીરિક બંધારણ અચોક્કસ છે અથવા તેનું નાક કે કાન મોટા હોય તેવા વિચારોથી વ્યક્તિ પોતાનો મોટા ભાગનો સમય અરીસા અથવા વિવિધ કોસ્મેટિક્સના ઉપયોગમાં વેડફી નાખે છે.
હાલ સોશિયલ મીડીયાના ઉપયોગથી માનવી પોતાનો બાહ્ય દેખાવ સારો દેખાડવા તરફ બેબાકળો થયો છે. તેમાં પોતાને ગમતી પ્રતિભાશાળી પર્સનાલિટી અથવા પોતાના ચાહિતા અભિનેતાઓ જેવા દેખાવ જેવો પોતાનો દેખાવ લાગે તેવા પ્રયત્ન કરે છે. અથવા તેઓ જેવા દેખાય છે તેવા પોતે પણ લાગવા જોઈએ તેવા તુચ્છ વિચારોથી પોતાને ક્યારેક આર્થિક, સામાજિક, શારીરિક ઉપરાંત માનસિક નુકસાન પણ ભોગવતો હોય છે. ત્યારે 18 થી 60 વર્ષના 990 લોકોની રૂબરૂ મુલાકાત કરીને મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત અમીએ આ સર્વે કર્યો છે. જેમાં પુરોષોની સરખામણીએ સ્ત્રીઓમા દેખાવ બાબતની અકારણ ચિંતા વઘુ હોવાનું અને અપરણિત યુવતીઓમાં સૌથી વઘુ દેખાવ બાબતની ચિંતા હોવાનું સામે આવ્યું છે.
અન્ય વ્યક્તિ તમારાંથી સુંદર દેખાતી હોય તો હીનતાભાવનો અનુભવ કરો છો?
- હા 78.5%
- ના 21.5%
બહાર જતી વખતે વારંવાર અરીસામાં જોયા કરો છો?
- હા 89%
- ના 11%
10 તમે સુંદર હસો તો જ તમને કોઈ સારી રીતે બોલાવશે, સારું વર્તન કરશે એવું માનો છો?
- હા 67%
- ના 33%
આવા વિચારો ધરાવતા લોકો અન્ય સાથે પોતાના દેખાવની સરખામણી કરતા જોવા મળે છે. જેને લીધે તેઓ વધુમાં વધુ સારા દેખાવ માટે પ્રયત્ન કરશે. તેઓને સતત એવી ચિંતા રહે છે કે પોતાના શારીરિક બાંધો સરખો નથી. અને લોકો તેને જોશે તો તેની મજાક ઉડાવશે કે પોતે અન્ય માટે હાસ્ય ને પાત્ર બનશે. આવી માનસિક પરિસ્થિતિને કારણે તે અન્ય લોકો સાથે સમાયોજન સાધવાનું ટાળે છે. વળી પોતે સુંદર દેખાશે તો જ વ્યક્તિઓ તેને બોલાવશે અને ચાહશે તેવા મનોવલણો પોતાનામાં વિકસાવે છે. મોટાભાગે આવું વર્તન સ્ત્રીઓમાં હોય તો કેટલેક અંશે તે સામાન્ય કહી શકાય. કારણ કે સ્ત્રીઓને સુંદરતાના પ્રતિક સમાન ગણવામાં છે. પરંતુ તેમાં પણ અમુક માત્રા પછી વધુ પડતા પ્રમાણમાં આવું વર્તન જો સ્ત્રી દ્વારા કરવામાં આવે ત્યારે તે વર્તન મનોવિકારમાં પરિણમે છે. પરંતુ માસ મીડિયાના આધુનિક યુગમાં પુરુષોમાં પણ આવો દોર વધવા લાગ્યો છે. વળી કોરોનાકાળમાં આખો દિવસ ઘરમાં બંધ રહી વ્યક્તિ આવી અનેક માનસિક મુસીબતો નો ભોગ બનતો રહ્યો છે.
બીડીડી ઔપચારિક રીતે ડીસમોર્ફોબિયા તરીકે પણ ઓળખાય છે, આ એક એવી માનસિક સ્થિતિ છે જે DSM- 5માં વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે આમ તો સામાન્ય લાગે છે, પરંતુ હકીકતમાં તે ખૂબ ગંભીર માનસિક વિકાર છે. જેના કારણે વ્યક્તિ ઘરથી બહાર જવામાં પણ સંકોચ અનુભવે છે. લોકો સાથે વાતચીત કરવામાં અટકે છે. ઘરમાં માત્ર એક રૂમમાં પુરાઈ રહેવું તેમને ગમે છે. તે વારંવાર અરીસા સામે જાય છે અને પોતાના રૂપની સતત ચકાસણી કર્યા કરે છે.
સોશિયલ મીડિયાના યુગમાં લોકો પોતાનો દેખાવ સારો નથી તેવું માની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવા માંગે છે. ઉપરાંત ટેલિવિઝનમાં આવતા ફિલ્મ સ્ટાર પર પણ પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે, જેના લીધે તેઓને ચાહતી આમ જનતામાં પણ આવી ઈચ્છાઓ ઉદ્દભવે છે. વળી કેટલાક કેસમાં જોવા મળ્યું છે કે, લોકો તેના ચહેરા પર રહેલા તલ કે મસાઓનો નાશ લેઝર પદ્ધતિથી કરાવતા હોય છે, પરંતુ તેઓ એ વાતથી અજાણ હોય છે કે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને લેઝર શરીર અને મગજના કોષો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના કારણો
સામાન્યત 15થી 25 વર્ષનો સમયગાળો એવો હોય છે કે, જેમાં બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે છે. ત્યારે તેનામાં શારીરિક કે હોર્મોનલ ફેરફારો થતા હોય છે. જેને લીધે તેઓ પોતે આકર્ષક દેખાવા માગે છે. જેના પરિણામે તેઓ બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર ભોગ પણ બની શકે છે. પરંતુ વર્તમાન સમયમાં આવા લક્ષણો મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. અલબત્ત, કેટલાક લોકો પોતાના સામાજીક મોભાને કારણે પોતાની સાચી ઉંમર છુપાવવા માટે પણ આવા અનેક વર્તન દાખવે છે. તદુપરાંત આના કારણોમાં ડિપ્રેશન, ચિંતા, હતાશા અને લાગણીઓનો અભાવ જોવા મળે છે. અને કેટલીકવાર તે વારસાગત પણ હોઇ શકે છે.
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર અસરો
સતત માનસિક તણાવ, ઊંડા વિચારો, અન્ય વ્યક્તિ દ્વારા ટીકાનો ભય વગેરે 1/5% લોકો આના કારણે આત્મહત્યા તરફ પણ વળે છે. લોકડાઉને લીધે થયેલા શારીરિક ફેરફારોમાં મુખ્યત્વે જોઈએ તો મોટાભાગના લોકોનું એવું કહેવાનું છે કે બહાર ચાલવા જવાનું બંધ થયું, શારીરિક કસરત થતી નથી, જેથી વજન સતત વધી રહ્યું છે. વળી, કેટલાક લોકોને શારીરિક સુસ્તીનો અનુભવ થાય છે. મોટા ભાગની મહિલાઓ કહે છે કે, પહેલા તો બહારના અને ઘરના બંને કામ સહેલાઈથી કરી શકતા, પરંતુ અત્યારે થોડું કામ કરીએ તો પણ થાકી જવાય છે. અને વધુ વજન ને લીધે કોઈ પણ કામ કરવામાં પહેલા જેવો ઉત્સાહ રહેતો નથી. મોટા ભાગની સ્ત્રીઓને એવું લાગે છે કે, લોકડાઉનની અસર તેમના શરીર પર પડી છે અને તેમનું શરીર તેમનો સાથ આપતું નથી
બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના ઉપચારો
આ માનસિક બીમારી નો ઉપચાર પણ અન્ય માનસિક વિકૃતિઓની જેમ શક્ય છે. જેમાં સલાહકાર દ્વારા સલાહ મેળવવી, દવાઓ, તેમજ જરૂર લાગે ત્યારે થેરાપીનો પણ સમાવેશ કરવો, તેમજ તેના ઉપચાર માટે સૌથી જરૂરી વ્યક્તિનો પોતાનો આત્મવિશ્વાસ છે.