ભરવાડ પરિવારની માલિકની 3 ગાય અને 1 બકરીનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ
વન વિભાગ પશુપાલકો અને ખેડૂતોને સલામતિ બક્ષે તેવી ગ્રામજનોની માંગ
WatchGujarat છેલ્લા કેટલાક મહિનાથી સાવજો જેતલસર અને આસપાસના વિસ્તારમાં લટાર મારતા જોવા મળે છે. ત્યારે ગત રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ એકીસાથે 6 વનરાજો જેતલસર પંથકના પીપળવા ગામે ચડી આવ્યા હતા. અને ત્યાંના સ્થાનિક ભરવાડ પરિવારનાં વાડામાં ત્રાટકી 3 ગાય તેમજ 1 બકરી સહિત કુલ 4 પશુઓના મારણ કરતા પશુપાલકો અને ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. અને સંબંધિત વનતંત્ર તાકીદે વનરાજાઓનું લોકેશન મેળવી પીપળવાની જનતા, પશુપાલકો અને ખેડૂતોને સલામતી આપે તેવી માંગ ઉઠી છે.
સમગ્ર ઘટના અંગે પશુ માલીક દિલીપભાઈ ભનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, તેમણે પોતાના ઘર નજીકમાં ઢોર બાંધવા માટે વાડો બનાવ્યો છે. મોડીરાત્રીના 3:30 વાગ્યે 6 જેટલા સિંહો અહીં ત્રાટકયા હતા. એટલું જ નહીં અહીં બાંધેલા ગાય-બકરી સહિત 4 પશુઓનાં મારણ પણ કર્યા હતા. જેને પગલે આ વાતની જાણ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરડીયાનો સંપર્ક કરવા પ્રયાસો કરાયા છતાં સંપર્ક થઈ શક્યો નહોતો. એટલું જ નહીં સ્થાનિક સરપંચનો પણ સંપર્ક નહીં થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જેતલસર પંથકના ટીંબડી ગામની ઘટનામાં સાવજોએ મોટી સંખ્યામાં ગાયોના મારણ કર્યા હતા. ત્યારબાદ જેતલસર પંથકને વન વિભાગ દ્વારા સિંહોનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. અને અવારનવાર સાવજો ધોળે દિવસે કે મોડીરાત્રે લટાર મારતા જોવા મળવાની ઘટનાઓ તો સામાન્ય બની ચુકી છે.
પરંતુ પશુઓનાં મારણને લઈ પશુપાલકોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ સિંહોનાં હુમલાની દહેશત ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહી છે. અને લોકો ઘરની બહાર નીકળવામાં પણ ડરવા લાગ્યા છે.
ભરવાડ પરિવારની માલિકની 3 ગાય અને 1 બકરીનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ
વન વિભાગ પશુપાલકો અને ખેડૂતોને સલામતિ બક્ષે તેવી ગ્રામજનોની માંગ
WatchGujarat છેલ્લા કેટલાક મહિનાથી સાવજો જેતલસર અને આસપાસના વિસ્તારમાં લટાર મારતા જોવા મળે છે. ત્યારે ગત રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ એકીસાથે 6 વનરાજો જેતલસર પંથકના પીપળવા ગામે ચડી આવ્યા હતા. અને ત્યાંના સ્થાનિક ભરવાડ પરિવારનાં વાડામાં ત્રાટકી 3 ગાય તેમજ 1 બકરી સહિત કુલ 4 પશુઓના મારણ કરતા પશુપાલકો અને ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. અને સંબંધિત વનતંત્ર તાકીદે વનરાજાઓનું લોકેશન મેળવી પીપળવાની જનતા, પશુપાલકો અને ખેડૂતોને સલામતી આપે તેવી માંગ ઉઠી છે.
સમગ્ર ઘટના અંગે પશુ માલીક દિલીપભાઈ ભનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, તેમણે પોતાના ઘર નજીકમાં ઢોર બાંધવા માટે વાડો બનાવ્યો છે. મોડીરાત્રીના 3:30 વાગ્યે 6 જેટલા સિંહો અહીં ત્રાટકયા હતા. એટલું જ નહીં અહીં બાંધેલા ગાય-બકરી સહિત 4 પશુઓનાં મારણ પણ કર્યા હતા. જેને પગલે આ વાતની જાણ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરડીયાનો સંપર્ક કરવા પ્રયાસો કરાયા છતાં સંપર્ક થઈ શક્યો નહોતો. એટલું જ નહીં સ્થાનિક સરપંચનો પણ સંપર્ક નહીં થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જેતલસર પંથકના ટીંબડી ગામની ઘટનામાં સાવજોએ મોટી સંખ્યામાં ગાયોના મારણ કર્યા હતા. ત્યારબાદ જેતલસર પંથકને વન વિભાગ દ્વારા સિંહોનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. અને અવારનવાર સાવજો ધોળે દિવસે કે મોડીરાત્રે લટાર મારતા જોવા મળવાની ઘટનાઓ તો સામાન્ય બની ચુકી છે.
પરંતુ પશુઓનાં મારણને લઈ પશુપાલકોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ સિંહોનાં હુમલાની દહેશત ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહી છે. અને લોકો ઘરની બહાર નીકળવામાં પણ ડરવા લાગ્યા છે.