રાજકોટ જિલ્લામાં બાળકોના આરોગ્યનો સર્વેમાં કુલ 1.44 લાખ બાળકોના આરોગ્ય અંગેની તપાસ કરવામાં આવી
હાલ કોઈ બાળકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા નહીં હોવાથી ચિંતાની જરૂર નથી - જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ
દરેક ગામોમાં 40 દિવસ સુધી 1થી 5 વર્ષના બાળકોનો ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો - જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી
WatchGujarat. રોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર આવે તો સૌથી વધુ જોખમ બાળકો પર હોવાથી તંત્ર દ્વારા પીડિયાટ્રિક(બાળકોનો) સર્વે કરવામાં આવ્યો છે. જેના પરિણામો વિશે માહિતી આપવા આજે કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હાલ કોઈ બાળકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા નહીં હોવાથી ચિંતાની જરૂર નથી. પરંતુ લોકોએ સાવચેતી રાખી નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કલેક્ટર અરૂણ મહેશ બાબુનાં કહેવા મુજબ, રાજકોટ જિલ્લામાં બાળકોના આરોગ્યનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 1.44 લાખ બાળકોના આરોગ્ય અંગેની તપાસ કરવામાં આવી છે. અને જરૂર જણાય તેવા બાળકોને જ આરોગ્ય કેન્દ્રો સહિત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી ચૂકી છે. આ સર્વે દરમિયાન 260 બાળકોમાં વધુ લક્ષણો દેખાતા આરટીપીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. જો કે આ પૈકી કોઈનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી.
રાજકોટ જિલ્લામાં પણ તંત્ર અગાઉથી એલર્ટ થયું છે. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના કહેવા મુજબ દરેક ગામોમાં 40 દિવસ સુધી 1થી 5 વર્ષના બાળકોનો ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો છે. તેમાંથી જે બાળકોના આરોગ્યને લઈ થોડી સમસ્યા હોય તેવા 3,959 બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેમાં 2165 બાળકને સ્થળ પર તેમજ 298 બાળકને હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઈ હતી. 1 થી 5 વર્ષના બાળકોના આ સર્વે દરમિયાન જો ત્રીજી લહેર આવે તો આવા બાળકો પર વધુ જોખમ હોવાથી તેની અલગથી માહિતી પણ એકઠી કરવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ સર્વેમાં 167 બાળક અલગ-અલગ રોગગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. જ્યારે 142 બાળકો એવા છે જેને ખોડખાંપણ છે. અને 91 બાળક કોઈને કોઈ બીમારીથી પીડિત હોવાનું પણ સામે આવ્યું છે. તો 430 એનિમિયાગ્રસ્ત બાળકો પણ મળી આવ્યાં છે. સાથે જિલ્લામાંથી 550 કુપોષિત બાળકો સર્વેમાં સામે આવ્યાં છે. જેથી આવા તમામ બાળકોની વિશેષ સંભાળ રાખવા પરિવારજનોને અપીલ કરાઈ છે. એટલું જ નહીં સર્વ દરમિયાન તાવ તેમજ શરદી જેવા લક્ષણો ધરાવતા બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા ત્રીજી લહેરથી બચવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રસીકરણ પર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને જો કોઈપણ ગામમાં વેક્સિન ન લીધી હોય તો તેવા ગામના લોકોનો વહેલાસર રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ ત્રીજી લહેર આવે તો પણ બેડ કે ઓક્સિજનની મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં બાળકોના આરોગ્યનો સર્વેમાં કુલ 1.44 લાખ બાળકોના આરોગ્ય અંગેની તપાસ કરવામાં આવી
હાલ કોઈ બાળકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા નહીં હોવાથી ચિંતાની જરૂર નથી - જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ
દરેક ગામોમાં 40 દિવસ સુધી 1થી 5 વર્ષના બાળકોનો ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો - જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી
WatchGujarat. રોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર આવે તો સૌથી વધુ જોખમ બાળકો પર હોવાથી તંત્ર દ્વારા પીડિયાટ્રિક(બાળકોનો) સર્વે કરવામાં આવ્યો છે. જેના પરિણામો વિશે માહિતી આપવા આજે કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હાલ કોઈ બાળકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા નહીં હોવાથી ચિંતાની જરૂર નથી. પરંતુ લોકોએ સાવચેતી રાખી નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કલેક્ટર અરૂણ મહેશ બાબુનાં કહેવા મુજબ, રાજકોટ જિલ્લામાં બાળકોના આરોગ્યનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 1.44 લાખ બાળકોના આરોગ્ય અંગેની તપાસ કરવામાં આવી છે. અને જરૂર જણાય તેવા બાળકોને જ આરોગ્ય કેન્દ્રો સહિત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી ચૂકી છે. આ સર્વે દરમિયાન 260 બાળકોમાં વધુ લક્ષણો દેખાતા આરટીપીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. જો કે આ પૈકી કોઈનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી.
રાજકોટ જિલ્લામાં પણ તંત્ર અગાઉથી એલર્ટ થયું છે. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના કહેવા મુજબ દરેક ગામોમાં 40 દિવસ સુધી 1થી 5 વર્ષના બાળકોનો ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો છે. તેમાંથી જે બાળકોના આરોગ્યને લઈ થોડી સમસ્યા હોય તેવા 3,959 બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેમાં 2165 બાળકને સ્થળ પર તેમજ 298 બાળકને હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઈ હતી. 1 થી 5 વર્ષના બાળકોના આ સર્વે દરમિયાન જો ત્રીજી લહેર આવે તો આવા બાળકો પર વધુ જોખમ હોવાથી તેની અલગથી માહિતી પણ એકઠી કરવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ સર્વેમાં 167 બાળક અલગ-અલગ રોગગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. જ્યારે 142 બાળકો એવા છે જેને ખોડખાંપણ છે. અને 91 બાળક કોઈને કોઈ બીમારીથી પીડિત હોવાનું પણ સામે આવ્યું છે. તો 430 એનિમિયાગ્રસ્ત બાળકો પણ મળી આવ્યાં છે. સાથે જિલ્લામાંથી 550 કુપોષિત બાળકો સર્વેમાં સામે આવ્યાં છે. જેથી આવા તમામ બાળકોની વિશેષ સંભાળ રાખવા પરિવારજનોને અપીલ કરાઈ છે. એટલું જ નહીં સર્વ દરમિયાન તાવ તેમજ શરદી જેવા લક્ષણો ધરાવતા બાળકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા ત્રીજી લહેરથી બચવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રસીકરણ પર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને જો કોઈપણ ગામમાં વેક્સિન ન લીધી હોય તો તેવા ગામના લોકોનો વહેલાસર રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ ત્રીજી લહેર આવે તો પણ બેડ કે ઓક્સિજનની મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.