'શોષણ બંધ કરો' સહિતના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદન
કલેક્ટરને આવેદન પાઠવી ફિક્સ પગારમાં ભરતી કરીને લઘુતમ વેતનની માંગ
WatchGujarat કોરોનાનાં સમયમાં ઘરે-ઘરે દર્દીઓ શોધવા સહિતની મહત્વની તેમજ જોખમી ફરજ બજાવતી આશા વર્કર બહેનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ શહેરના બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્ર થઈ હતી. તેમજ 'શોષણ બંધ કરો' સહિતના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને કલેક્ટરને આવેદન પાઠવી ફિક્સ પગારમાં ભરતી કરીને લઘુતમ વેતનની માંગ કરી હતી.
આશા વર્કર બહેનોએ જણાવ્યા મુજબ, વિશ્વ કોરોના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યું છે. જેમાં આપણો દેશ પણ બાકાત નથી. આવા કપરા કાળમાં આશાવર્કર અને ફેસિલિટેટર સહિત કોરોના વોરિયર્સ દેવદૂત બની છેલ્લા નવ મહિનાથી જનતાને કોરોનાથી બચાવવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેની કામગીરીને સમ્માનિત કરવાની જગ્યાએ એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
સરકાર કહે છે કે, આશવર્કર સ્વૈચ્છીક કાર્યકર છે અને અઠવાડીયામાં 4-5 દિવસ પોતાની મરજી મુજબ રોજ બે કલાક આરોગ્યને લગતી પ્રવૃતી કરે છે. અને તેના બદલામાં એમને ઇન્સેન્ટીવ ચુકવવામાં આવે છે. પણ હકીકતમાં કોરોના જીવલેણ બિમારી હોવા છતાં કોઇ સાથે ભેદભાવ કર્યા વિના આશાવર્કરો અને ફેસીલીટેટર બહેનો કોરોના સંક્રમતિ થવાના ભય વચ્ચે સપ્તાહનાં સાતેય દિવસ પુરા સમય માટે કોરોનાને લગતી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે.
જો કે તેમ છતાં આવી જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરોને રોજના માત્ર 33 રૂપિયા, ફેસીલીટેટરને માત્ર 17 રૂપિયાનું વળતર ચુકવવામાં આવી અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ આ મહિલાઓને દર મહિને કોઇ ફિકસ વેતન મળતુ ન હોવાથી બિમારીમાં તેમજ માતૃત્વ ધારણ કરવાના પ્રસંગોમાં તેમની આવક બંધ થતી હોઇ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.
ત્યારે ગુજરાત સરકારે મહિલા સશકિતકરણ તેમજ ઉત્કર્ષનાં અભિયાનને સફળ બનાવવા અમારી માંગનો સ્વીકાર કરવો જોઈએ. તેમજ ફિક્સ પગારમાં આશા વર્કર અને ફેસીલીટેટરની ભરતી કરી લઘુતમ વેતનની વ્યવસ્થા કરવી જોઈએ. સાથે આ મુદ્દે ત્વરિત જરૂરી કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આશા વર્કર બહેનોએ ઉચ્ચારી છે.
'શોષણ બંધ કરો' સહિતના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદન
કલેક્ટરને આવેદન પાઠવી ફિક્સ પગારમાં ભરતી કરીને લઘુતમ વેતનની માંગ
WatchGujarat કોરોનાનાં સમયમાં ઘરે-ઘરે દર્દીઓ શોધવા સહિતની મહત્વની તેમજ જોખમી ફરજ બજાવતી આશા વર્કર બહેનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ શહેરના બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્ર થઈ હતી. તેમજ 'શોષણ બંધ કરો' સહિતના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને કલેક્ટરને આવેદન પાઠવી ફિક્સ પગારમાં ભરતી કરીને લઘુતમ વેતનની માંગ કરી હતી.
આશા વર્કર બહેનોએ જણાવ્યા મુજબ, વિશ્વ કોરોના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યું છે. જેમાં આપણો દેશ પણ બાકાત નથી. આવા કપરા કાળમાં આશાવર્કર અને ફેસિલિટેટર સહિત કોરોના વોરિયર્સ દેવદૂત બની છેલ્લા નવ મહિનાથી જનતાને કોરોનાથી બચાવવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેની કામગીરીને સમ્માનિત કરવાની જગ્યાએ એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
સરકાર કહે છે કે, આશવર્કર સ્વૈચ્છીક કાર્યકર છે અને અઠવાડીયામાં 4-5 દિવસ પોતાની મરજી મુજબ રોજ બે કલાક આરોગ્યને લગતી પ્રવૃતી કરે છે. અને તેના બદલામાં એમને ઇન્સેન્ટીવ ચુકવવામાં આવે છે. પણ હકીકતમાં કોરોના જીવલેણ બિમારી હોવા છતાં કોઇ સાથે ભેદભાવ કર્યા વિના આશાવર્કરો અને ફેસીલીટેટર બહેનો કોરોના સંક્રમતિ થવાના ભય વચ્ચે સપ્તાહનાં સાતેય દિવસ પુરા સમય માટે કોરોનાને લગતી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે.
જો કે તેમ છતાં આવી જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરોને રોજના માત્ર 33 રૂપિયા, ફેસીલીટેટરને માત્ર 17 રૂપિયાનું વળતર ચુકવવામાં આવી અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ આ મહિલાઓને દર મહિને કોઇ ફિકસ વેતન મળતુ ન હોવાથી બિમારીમાં તેમજ માતૃત્વ ધારણ કરવાના પ્રસંગોમાં તેમની આવક બંધ થતી હોઇ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.
ત્યારે ગુજરાત સરકારે મહિલા સશકિતકરણ તેમજ ઉત્કર્ષનાં અભિયાનને સફળ બનાવવા અમારી માંગનો સ્વીકાર કરવો જોઈએ. તેમજ ફિક્સ પગારમાં આશા વર્કર અને ફેસીલીટેટરની ભરતી કરી લઘુતમ વેતનની વ્યવસ્થા કરવી જોઈએ. સાથે આ મુદ્દે ત્વરિત જરૂરી કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં અતિ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આશા વર્કર બહેનોએ ઉચ્ચારી છે.