હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી સમસ્યા સર્જાઇ રહી છે.
રેમડેસિવીર ઈન્જેશનની પણ અછત જોવા મળી રહી છે.
હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી સાથે રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થાઓ કરી અપાશે.
WatchGujarat. શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે, અને લોકોને પોતાના સ્વજનોને હોસ્પિટલમાં દાખલ કરવા છે, પરંતુ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી સમસ્યા સર્જાઇ રહી છે. સાથે રેમડેસિવીર ઈન્જેશનની પણ અછત જોવા મળી રહી છે. ત્યારે લોકોની સુવિધા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી લોકોને કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી સાથે રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થાઓ કરી આપવામાં આવશે.
તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે જાહેર કરવામાં આવેલા નીચે મુજબનાં પાંચ હેલ્પલાઇન નંબરો 24 કલાક ચાલુ રહેશે. આ નંબરો ઉપર ફોન કરવાથી બેડની માહિતી તો મળશે સાથે જે દર્દીઓને રેમડેસિવીર ઈન્જેકશનની જરૂરિયાત હોય તેમને તરત જ ઇન્જેક્શનની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી આપવામાં આવનાર હોવાનું તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
વહીવટી તંત્રએ જાહેર કરેલા હેલ્પલાઇન નંબરો
9499804038
9499806486
9499801338
9499806828
9499801383
મહત્વનું છે કે રાજકોટમાં હાલમાં 1,400 જેટલા બેડ ખાલી છે, જ્યારે એક સપ્તાહમાં 6 હજારથી વધારે બેડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે. ઓક્સિજન બેડ પણ વધારવામાં આવી રહ્યા હોય સારવારનાં અભાવે કોઈ દર્દીનું મૃત્યુ નહીં થવાની ખાતરી તંત્રએ આપી છે. જો કે તંત્રની આ સુવિધા હકીકતમાં કેટલી કારગર સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી સમસ્યા સર્જાઇ રહી છે.
રેમડેસિવીર ઈન્જેશનની પણ અછત જોવા મળી રહી છે.
હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી સાથે રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થાઓ કરી અપાશે.
WatchGujarat.શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે, અને લોકોને પોતાના સ્વજનોને હોસ્પિટલમાં દાખલ કરવા છે, પરંતુ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી સમસ્યા સર્જાઇ રહી છે. સાથે રેમડેસિવીર ઈન્જેશનની પણ અછત જોવા મળી રહી છે. ત્યારે લોકોની સુવિધા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી લોકોને કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી સાથે રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થાઓ કરી આપવામાં આવશે.
તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે જાહેર કરવામાં આવેલા નીચે મુજબનાં પાંચ હેલ્પલાઇન નંબરો 24 કલાક ચાલુ રહેશે. આ નંબરો ઉપર ફોન કરવાથી બેડની માહિતી તો મળશે સાથે જે દર્દીઓને રેમડેસિવીર ઈન્જેકશનની જરૂરિયાત હોય તેમને તરત જ ઇન્જેક્શનની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી આપવામાં આવનાર હોવાનું તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
વહીવટી તંત્રએ જાહેર કરેલા હેલ્પલાઇન નંબરો
9499804038
9499806486
9499801338
9499806828
9499801383
મહત્વનું છે કે રાજકોટમાં હાલમાં 1,400 જેટલા બેડ ખાલી છે, જ્યારે એક સપ્તાહમાં 6 હજારથી વધારે બેડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે. ઓક્સિજન બેડ પણ વધારવામાં આવી રહ્યા હોય સારવારનાં અભાવે કોઈ દર્દીનું મૃત્યુ નહીં થવાની ખાતરી તંત્રએ આપી છે. જો કે તંત્રની આ સુવિધા હકીકતમાં કેટલી કારગર સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.