રોગચાળાએ માથુ ઉંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે
હાલ ચોમાસુ અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. અને વાતાવરણ પણ બદલાયું હોવાથી ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે
લોકોએ ગરમ પાણી પીવાની સાથે વધુ પડતા વરસાદમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ
WatchGujarat. છેલ્લા કેટલાક સમયથી કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમાં પણ એક સપ્તાહથી તો નવો કોઈ કેસ સામે આવ્યો નથી. જોકે ચોમાસાને લઈ શહેરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. અને મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી તેમજ વાયરલ તાવના કેસમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ તંત્ર પણ સતર્ક છે. અને સામાન્ય તાવના કેસમાં RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું છે.
સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ ઓછુ છે. પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા છે. જૂન મહિનામાં કોલેરાના કેસ નહોતા પણ આ મહિને 2 કેસ સામે આવ્યા છે. જો કે સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઇને તાવના કેસ આવે તેમાં પણ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. પણ સારી બાબત એ છે કે તે દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ ચોમાસુ અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. અને વાતાવરણ પણ બદલાયું હોવાથી ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જો કે આ કોઈ ખાસ ચિંતાની વાત નથી. પણ લોકોએ ગરમ પાણી પીવાની સાથે વધુ પડતા વરસાદમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે જ કોરોના હજુપણ આપણી વચ્ચે છે. એ વાત ધ્યાનમાં રાખી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ પણ તેમણે કરી છે. સાથે જ સિવિલ હોસ્પિટલનું તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનો દાવો તેમણે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રોગચાળાએ માથુ ઉંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે. સિવિલમાં દર્દીઓ અને તેના સગાઓનો મેળાવડો જામતા આરોગ્યધામમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સારવાર લેવા આવી રહેલા દર્દીઓ અને તેમના સગાઓમાં ઘણા માસ્ક વગર જ જોવા મળી રહ્યા છે. તેમજ જાણ્યે અજાણ્યે લોકો ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો આજે સિવિલમાં જોવા મળ્યા હતા. ત્યારે મોટા દાવા કરનાર સિવિલ અધિક્ષકે આ મામલે ધ્યાન આપવું જરૂરી છે.
જુલાઈ મહિનામાં નોંધાયેલા કેસ
ડેંગ્યુ - 8
મેલેરિયા- 6
ચિકનગુનિયા- 3
ટાઈફોઈડ તાવ- 1
કોલેરા- 2
ઝાડા અને ઉલ્ટી- 27
વાયરલ તાવ- 79
રોગચાળાએ માથુ ઉંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે
હાલ ચોમાસુ અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. અને વાતાવરણ પણ બદલાયું હોવાથી ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે
લોકોએ ગરમ પાણી પીવાની સાથે વધુ પડતા વરસાદમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ
WatchGujarat. છેલ્લા કેટલાક સમયથી કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમાં પણ એક સપ્તાહથી તો નવો કોઈ કેસ સામે આવ્યો નથી. જોકે ચોમાસાને લઈ શહેરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. અને મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી તેમજ વાયરલ તાવના કેસમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ તંત્ર પણ સતર્ક છે. અને સામાન્ય તાવના કેસમાં RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું છે.
સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ ઓછુ છે. પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા છે. જૂન મહિનામાં કોલેરાના કેસ નહોતા પણ આ મહિને 2 કેસ સામે આવ્યા છે. જો કે સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઇને તાવના કેસ આવે તેમાં પણ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. પણ સારી બાબત એ છે કે તે દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ ચોમાસુ અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. અને વાતાવરણ પણ બદલાયું હોવાથી ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જો કે આ કોઈ ખાસ ચિંતાની વાત નથી. પણ લોકોએ ગરમ પાણી પીવાની સાથે વધુ પડતા વરસાદમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે જ કોરોના હજુપણ આપણી વચ્ચે છે. એ વાત ધ્યાનમાં રાખી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ પણ તેમણે કરી છે. સાથે જ સિવિલ હોસ્પિટલનું તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનો દાવો તેમણે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રોગચાળાએ માથુ ઉંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે. સિવિલમાં દર્દીઓ અને તેના સગાઓનો મેળાવડો જામતા આરોગ્યધામમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સારવાર લેવા આવી રહેલા દર્દીઓ અને તેમના સગાઓમાં ઘણા માસ્ક વગર જ જોવા મળી રહ્યા છે. તેમજ જાણ્યે અજાણ્યે લોકો ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો આજે સિવિલમાં જોવા મળ્યા હતા. ત્યારે મોટા દાવા કરનાર સિવિલ અધિક્ષકે આ મામલે ધ્યાન આપવું જરૂરી છે.