સિવિલ હોસ્પિટલનાં માનસિક સારવાર વિભાગમાં દાખલ દર્દીઓને સવારે 8 વાગ્યા આસપાસ ઇન્જેક્શન અપાયા
તમામ દર્દીઓને એકાએક તાવ અને ઠંડી લાગવા લાગી
જવાબદાર સ્ટાફની પૂછપરછ કરતા તેઓએ મૌન સેવી લીધું
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં ઘેરાતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના આજે સામે આવી છે. જેમાં ઇન્જેક્શન આપ્યા બાદ ત્રણ વર્ષનાં બાળકને આંચકી અને અન્ય 25થી વધુને તાવ-ઠંડી ચડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ અંગે ડૉક્ટર્સને જાણ કરવા છતાં તેઓએ સમયસર સારવાર ન કરી હોવાનું બાળકના પિતાએ જણાવ્યું છે. ત્યારે આખરે જો દર્દીઓને કંઈ થાય તો આ માટે જવાબદાર રહેશે કોણ તે પણ એક મોટો સવાલ છે.
જાણવા મળતી વિગત અનુસાર સિવિલ હોસ્પિટલનાં માનસિક સારવાર વિભાગમાં દાખલ દર્દીઓને સવારે 8 વાગ્યા આસપાસ ઇન્જેક્શન અપાયા હતા. ત્યારબાદ વોર્ડમાં દાખલ તમામ દર્દીઓને એકાએક તાવ અને ઠંડી લાગવા લાગી હતી. સાથે જ એક 3 વર્ષનાં બાળક ધ્રુવ ટીંબડીયાને આંચકી આવતા તે બેભાન થઈ ગયો હતો. આ અંગે જવાબદાર સ્ટાફની પૂછપરછ કરતા તેઓએ મૌન સેવી લીધું હતું. અને દર્દીઓની થયેલી હાલત અંગે હાથ ઉંચા કરી દીધા હોવાનું દર્દીઓના સગાઓએ કહ્યું છે.
બાળકના પિતાએ જણાવ્યું હતું કે, 3 વર્ષીય ધ્રુવને વધરાવળના ઓપરેશન બાદ ઇન્જેક્શન આપવામાં આવતા આંચકી ઉપડી હતી. શુક્રવારે ઓપરેશન માટે સિવિલમાં દાખલ કરાયો હતો. જેમાં ઓપરેશન સફળ થતા આજે રજા આપવાના હતા. પરંતુ સવારે સારવાર માટે ઇન્જેક્શન આપવામાં આવ્યું જે બાદ બાળકની તબિયત લથડી જતા તેને આંચકી આવવા લાગી હતી. તેના પિતાનો આક્ષેપ છે કે, આ અંગે નજીકમાં રહેલા ડોક્ટરને જાણ કરવા છતાં તેઓ તરત અવવાને બદલે 5-10 મિનિટ બાદ આવ્યા હતા. જેને કારણે ધ્રુવની તબિયત વધુ લથડી હતી. સાથે જ ઇન્જેક્શનની આડ અસરને કારણે જ પુત્રની આવી હાલત થઈ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
જો કે આક્ષેપો અંગે હોસ્પિટલના તબીબી અધિક્ષકે કહ્યું હતું કે, સર્જરી વિભાગના વોર્ડમાં વહેલી સવારે દર્દીઓને સારવાર આપતી વખતે તબીબી સારવારના સાધનો જેવા કે સિરિન્જ, ઇન્જેક્શન, આઈ.વી. સેટ, દવાઓ વગેરે આપ્યા બાદ વોર્ડમાં રહેલા અંદાજે 25 જેટલા દર્દીઓને સામાન્ય ઠંડી લાગવાની ફરિયાદ ઉપસ્થિત થતા ફરજ પરના ઉપસ્થિત નર્સિંગ કર્મચારી અને તબીબોએ તરત જ આવી પરિસ્થિતિમાં અપાતા એન્ટીડોટ આપ્યા હતા. જેને લઈને દર્દીઓને ગંભીર આડ અસર થઈ નથી. સાથે મેડિકલ કોલેજમાં રહેલ ADR એટલે કે ડ્રગ રિએક્શનની નોંધ અને તપાસ કરતી કમિટીને તાત્કાલિક જાણ કરવામાં આવતા નિષ્ણાતો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં ઘેરાતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના આજે સામે આવી છે. જેમાં ઇન્જેક્શન આપ્યા બાદ ત્રણ વર્ષનાં બાળકને આંચકી અને અન્ય 25થી વધુને તાવ-ઠંડી ચડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ અંગે ડૉક્ટર્સને જાણ કરવા છતાં તેઓએ સમયસર સારવાર ન કરી હોવાનું બાળકના પિતાએ જણાવ્યું છે. ત્યારે આખરે જો દર્દીઓને કંઈ થાય તો આ માટે જવાબદાર રહેશે કોણ તે પણ એક મોટો સવાલ છે.
જાણવા મળતી વિગત અનુસાર સિવિલ હોસ્પિટલનાં માનસિક સારવાર વિભાગમાં દાખલ દર્દીઓને સવારે 8 વાગ્યા આસપાસ ઇન્જેક્શન અપાયા હતા. ત્યારબાદ વોર્ડમાં દાખલ તમામ દર્દીઓને એકાએક તાવ અને ઠંડી લાગવા લાગી હતી. સાથે જ એક 3 વર્ષનાં બાળક ધ્રુવ ટીંબડીયાને આંચકી આવતા તે બેભાન થઈ ગયો હતો. આ અંગે જવાબદાર સ્ટાફની પૂછપરછ કરતા તેઓએ મૌન સેવી લીધું હતું. અને દર્દીઓની થયેલી હાલત અંગે હાથ ઉંચા કરી દીધા હોવાનું દર્દીઓના સગાઓએ કહ્યું છે.
બાળકના પિતાએ જણાવ્યું હતું કે, 3 વર્ષીય ધ્રુવને વધરાવળના ઓપરેશન બાદ ઇન્જેક્શન આપવામાં આવતા આંચકી ઉપડી હતી. શુક્રવારે ઓપરેશન માટે સિવિલમાં દાખલ કરાયો હતો. જેમાં ઓપરેશન સફળ થતા આજે રજા આપવાના હતા. પરંતુ સવારે સારવાર માટે ઇન્જેક્શન આપવામાં આવ્યું જે બાદ બાળકની તબિયત લથડી જતા તેને આંચકી આવવા લાગી હતી. તેના પિતાનો આક્ષેપ છે કે, આ અંગે નજીકમાં રહેલા ડોક્ટરને જાણ કરવા છતાં તેઓ તરત અવવાને બદલે 5-10 મિનિટ બાદ આવ્યા હતા. જેને કારણે ધ્રુવની તબિયત વધુ લથડી હતી. સાથે જ ઇન્જેક્શનની આડ અસરને કારણે જ પુત્રની આવી હાલત થઈ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
જો કે આક્ષેપો અંગે હોસ્પિટલના તબીબી અધિક્ષકે કહ્યું હતું કે, સર્જરી વિભાગના વોર્ડમાં વહેલી સવારે દર્દીઓને સારવાર આપતી વખતે તબીબી સારવારના સાધનો જેવા કે સિરિન્જ, ઇન્જેક્શન, આઈ.વી. સેટ, દવાઓ વગેરે આપ્યા બાદ વોર્ડમાં રહેલા અંદાજે 25 જેટલા દર્દીઓને સામાન્ય ઠંડી લાગવાની ફરિયાદ ઉપસ્થિત થતા ફરજ પરના ઉપસ્થિત નર્સિંગ કર્મચારી અને તબીબોએ તરત જ આવી પરિસ્થિતિમાં અપાતા એન્ટીડોટ આપ્યા હતા. જેને લઈને દર્દીઓને ગંભીર આડ અસર થઈ નથી. સાથે મેડિકલ કોલેજમાં રહેલ ADR એટલે કે ડ્રગ રિએક્શનની નોંધ અને તપાસ કરતી કમિટીને તાત્કાલિક જાણ કરવામાં આવતા નિષ્ણાતો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.