WatchGujarat. રૂપાણી સરકારને પાંચ વર્ષ પુર્ણ થતા હોય તેની રાજ્યવ્યાપી ઉજવણી તા.1થી શરૂ થવા જઇ રહી છે. સુશાસન સપ્તાહ હેઠળ થનાર આ ઉજવણી દરમિયાન તા.2ના રોજ વિજય રૂપાણીનો જન્મદિવસ હોય આ અવસરે તેઓ ખાસ રાજકોટ આવી રહ્યા છે. અને સંવેદનના દિનની ઉજવણીમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાવાના છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં સેવા સેતુ, ન્યારી ડેમ ખાતે ઘનિષ્ઠ વનીકરણ, રામનાથપરા જેલમાં બનેલા મ્યુઝિયમનું લોકાર્પણ, કાલાવડ રોડ પર નિર્માણ થનાર માનસિક વિકલાંગ ગૃહના નવા બિલ્ડીંગનું ભૂમિપુજન, કોરોનામાં વાલી ગુમાવનાર બાળકને સહાય આપીને બાળ કલ્યાણ યોજનાનો પ્રારંભ સહિતના કાર્યક્રમો માટે કલેકટર તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
CM રૂપાણી મુખ્ય કાર્યક્રમોમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં યોજાનાર સેવા સેતુ કેમ્પમાં હાજરી આપશે. જેમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સલંગ્ન મોબાઇલ નં.માં ફેરફાર, રાશન કાર્ડમાં નામ દાખલ કરવુ, રાશન કાર્ડમાં નામ સુધારા, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરુ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જીવનજયોત યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુક્ધયા સમુધ્ધિ યોજના, ભીમ એપ, લર્નિંગ લાયસન્સ, વૃધ્ધ પેન્શન યોજના, સાતબાર-આઠ/ના પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય સહિત સરકારી સહાય માટેની અરજી પ્રક્રિયા એક જ સ્થળેથી થશે.
આ ઉપરાંત ન્યારી ડેમ ખાતે ઘનિષ્ઠ વનીકરણનો મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરીને શુભાંરભ કરવામા આવશે. કાલાવડ રોડ પર કેન્દ્રિય વિદ્યાલય પાસે આવેલા માનસિક વિકલાંગ ગૃહના નવીનીકરણ માટે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભૂમિપુજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. આ ઉપરાંત રામનાથપરા જેલમાં બનેલા મ્યુઝિયમનું લોકાર્પણ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામા આવશે. મોટાભાગના કાર્યક્રમોનું સંચાલન કલેકટર તંત્ર દ્વારા થઇ રહ્યુ છે. જેને લઇને સંકલન માટે મહાનગરપાલિકા, પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર અરૂણ મહેશ બાબુની મીટીંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉક્ત કાર્યક્રમો જે સ્થળે યોજાવાના છે ત્યાં વિશાળ ડોમ બનાવવા સહિતની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
આ તકે કોરોનામાં વાલી ગુમાવનાર 36 બાળકોને રોકડ સહાય આપી બાળ કલ્યાણ યોજનાનો પ્રારંભ કરાવશે
કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને રૂ.2 હજાર અને માતા-પિતા બન્ને ગુમાવનાર બાળકને રૂ.4 હજાર રોકડ સહાય દર મહિને આપવાની બાળ કલ્યાણ યોજનાનો શુભાંરભ મુખ્યમંત્રી કરાવશે.
CM રૂપાણીનો રવિવારની રાતથી સોમવાર સાંજ સુધીનો મીનીટ-ટુ-મીનીટ કાર્યક્રમ
આજે 7:55 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર આગમન
બાદમાં 8:10 વાગ્યે સરકિટ હાઉસ પહોંચશે. નાઇટ હોલ્ટ સર્કિટ હાઉસ ખાતે જ કરશે.
તા.2ના સવારે 9:30 વાગ્યે ન્યારી ડેમ સાઇટ પર ઘનિષ્ઠ વનીકરણનો શુભાંરભ રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરીને થશે.
સવારે 10:30 વાગ્યે કાલાવડ રોડ પર કેન્દ્રિય વિદ્યાલય પાસે માનસિક વિકલાંગગૃહના નવનિર્માણનું ભૂમિપુજન થશે.
સવારે 11 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.
બપોરે 12:30 વાગ્યે જનકલ્યાણ હોલમાં અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ભોજન લેશે.
બપોરે 2 વાગ્યે પુજિત રૂપાણી ટ્રસ્ટની મુલાકાત લેશે.
બપોરે 3 વાગ્યે રામનાથપરા જેલમાં બનેલા મ્યુઝિયમનું લોકાર્પણ થશે.
બપોરે 4 વાગ્યે ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે થશે.
બપોરે 5 વાગ્યે ભાજપ કાર્યાલયે મીટીંગમાં હાજરી આપશે.
સાંજે 6 વાગ્યે કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિરે કીટ વિતરણનો કાર્યક્રમ
સાંજે 6:45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચી તેઓ ગાંધીનગર જવા રવાના થશે
WatchGujarat. રૂપાણી સરકારને પાંચ વર્ષ પુર્ણ થતા હોય તેની રાજ્યવ્યાપી ઉજવણી તા.1થી શરૂ થવા જઇ રહી છે. સુશાસન સપ્તાહ હેઠળ થનાર આ ઉજવણી દરમિયાન તા.2ના રોજ વિજય રૂપાણીનો જન્મદિવસ હોય આ અવસરે તેઓ ખાસ રાજકોટ આવી રહ્યા છે. અને સંવેદનના દિનની ઉજવણીમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાવાના છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં સેવા સેતુ, ન્યારી ડેમ ખાતે ઘનિષ્ઠ વનીકરણ, રામનાથપરા જેલમાં બનેલા મ્યુઝિયમનું લોકાર્પણ, કાલાવડ રોડ પર નિર્માણ થનાર માનસિક વિકલાંગ ગૃહના નવા બિલ્ડીંગનું ભૂમિપુજન, કોરોનામાં વાલી ગુમાવનાર બાળકને સહાય આપીને બાળ કલ્યાણ યોજનાનો પ્રારંભ સહિતના કાર્યક્રમો માટે કલેકટર તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
CM રૂપાણી મુખ્ય કાર્યક્રમોમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં યોજાનાર સેવા સેતુ કેમ્પમાં હાજરી આપશે. જેમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સલંગ્ન મોબાઇલ નં.માં ફેરફાર, રાશન કાર્ડમાં નામ દાખલ કરવુ, રાશન કાર્ડમાં નામ સુધારા, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરુ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જીવનજયોત યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુક્ધયા સમુધ્ધિ યોજના, ભીમ એપ, લર્નિંગ લાયસન્સ, વૃધ્ધ પેન્શન યોજના, સાતબાર-આઠ/ના પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય સહિત સરકારી સહાય માટેની અરજી પ્રક્રિયા એક જ સ્થળેથી થશે.
આ ઉપરાંત ન્યારી ડેમ ખાતે ઘનિષ્ઠ વનીકરણનો મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરીને શુભાંરભ કરવામા આવશે. કાલાવડ રોડ પર કેન્દ્રિય વિદ્યાલય પાસે આવેલા માનસિક વિકલાંગ ગૃહના નવીનીકરણ માટે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભૂમિપુજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. આ ઉપરાંત રામનાથપરા જેલમાં બનેલા મ્યુઝિયમનું લોકાર્પણ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામા આવશે. મોટાભાગના કાર્યક્રમોનું સંચાલન કલેકટર તંત્ર દ્વારા થઇ રહ્યુ છે. જેને લઇને સંકલન માટે મહાનગરપાલિકા, પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર અરૂણ મહેશ બાબુની મીટીંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉક્ત કાર્યક્રમો જે સ્થળે યોજાવાના છે ત્યાં વિશાળ ડોમ બનાવવા સહિતની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
આ તકે કોરોનામાં વાલી ગુમાવનાર 36 બાળકોને રોકડ સહાય આપી બાળ કલ્યાણ યોજનાનો પ્રારંભ કરાવશે
કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને રૂ.2 હજાર અને માતા-પિતા બન્ને ગુમાવનાર બાળકને રૂ.4 હજાર રોકડ સહાય દર મહિને આપવાની બાળ કલ્યાણ યોજનાનો શુભાંરભ મુખ્યમંત્રી કરાવશે.
CM રૂપાણીનો રવિવારની રાતથી સોમવાર સાંજ સુધીનો મીનીટ-ટુ-મીનીટ કાર્યક્રમ
આજે 7:55 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર આગમન
બાદમાં 8:10 વાગ્યે સરકિટ હાઉસ પહોંચશે. નાઇટ હોલ્ટ સર્કિટ હાઉસ ખાતે જ કરશે.
તા.2ના સવારે 9:30 વાગ્યે ન્યારી ડેમ સાઇટ પર ઘનિષ્ઠ વનીકરણનો શુભાંરભ રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરીને થશે.
સવારે 10:30 વાગ્યે કાલાવડ રોડ પર કેન્દ્રિય વિદ્યાલય પાસે માનસિક વિકલાંગગૃહના નવનિર્માણનું ભૂમિપુજન થશે.