પડધરીના ખોડાપીપર ગામે લોકોના સેમ્પલ લીધા વગર 25-25 ટ્યૂબને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવી
માત્ર એક આરોગ્ય કેન્દ્ર નહિ પણ ધન્વંતરી રથ અને અન્ય આરોગ્ય કેન્દ્રો ટાર્ગેટ પૂરો કરવા આવું કરતા હોવાનું બહાર આવ્યું
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે પડધરીના ખોડાપીપર ગામે લોકોના સેમ્પલ લીધા વગર 25-25 ટ્યૂબને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. માત્ર એક આરોગ્ય કેન્દ્ર નહિ પણ ધન્વંતરી રથ અને અન્ય આરોગ્ય કેન્દ્રો ટાર્ગેટ પૂરો કરવા આવું કરતા હોવાનું ખુલતા ખુદ સીએમ રૂપાણી દ્વારા ઉંડી તપાસના અદેશો આપવામાં આવ્યા છે. બીજીતરફ છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજતાં ફફડાટ વધ્યો છે.
જાણો કંઈ રીતે ચાલતું હતું સમગ્ર કૌભાંડ
સામાન્ય રીતે RTPCR ટેસ્ટ માટે VTM કિટ આવે છે. જેમાં એક ટ્યૂબમાં કેમિકલ નાખેલું હોય છે. સ્વેબની સળી નાકમાં નાખી નમૂનો લઈ ટ્યૂબમાં નાખવાનું હોય છે. અને ત્યારબાદ તેને પેક કરીને આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ મોકલાય છે. જોકે ખોડાપીપર ગામે મેડિકલ ઓફિસર ડોકટર સાગરભાઈ ડોબરિયા, લેબ ટેક્નિશિયન દિપ્તીબેન ખાખરિયા તેમજ ધન્વંતરી રથ પર તૈનાત પ્રફુલ ઠુંમર સહિતનાઓ સળી સીધા VTM ટ્યૂબમાં નાખી દે છે. આ રીતે 25 સેમ્પલ તૈયાર કરીને તેમાં મનફાવે તેવા નામો લખી સ્ટાફના ફોન નંબર સાથે એન્ટ્રી કરતા હતા. જેથી લેબમાંથી મેસેજ આવે તો તે પણ સ્ટાફને જ મળતો હતો.
આ સમગ્ર કૌભાંડનો અહેવાલ સ્થાનિક અખબારમાં પ્રકાશિત થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ચોંકયા હતા. અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભમાં તાત્કાલિક તપાસ કરવાનાં આદેશો આપ્યા છે. સાથે જ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જેને લઈને ટૂંક સમયમાં આકરા પગલાં લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ ટેસ્ટની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને લેબ સ્ટાફ 24 કલાક સેવા આપી રહ્યો છે. તેમજ જે ખરેખર બીમાર છે તેઓને પોતાના રિપોર્ટ માટે લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક કામચોર કર્મચારીઓ આ રીતે સેમ્પલ લીધા વગર માત્ર ચોપડે નામ ચડાવી ટ્યૂબ ટેસ્ટિંગ માટે મોકલી પોતાના કામની સાથે માનવતા પણ ભૂલ્યા છે. કોરોના મહામારી સામે ખભેખભો મિલાવીને લડવાને બદલે આ લોકો પોતાનું કામ પણ યોગ્ય રીતે કરતા નહીં હોવાથી અન્ય કામ કરતા સ્ટાફની મહેનત પણ એળે જાય છે. ત્યારે આવા કામચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકોમાં ઉઠી રહી છે.
રાજકોટ શહેર - જિલ્લામાં આજે પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં જ કોરોનાએ વધુ 14નો ભોગ લીધો છે. સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા.3નાં સવારના 8 વાગ્યાથી આજે તા. 4 એપ્રિલ સવારે 8 વાગ્યા સુધીમાં શહેર - જીલ્લાના 14 દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે ગઇકાલે થયેલા 13 પૈકી એકપણ મોત કોરોનાને કારણે થયુ નહીં હોવાનું સરકારની કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે. અને હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 815 બેડ ખાલી હોવાનું અને શહેરમાં 1250 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
પડધરીના ખોડાપીપર ગામે લોકોના સેમ્પલ લીધા વગર 25-25 ટ્યૂબને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવી
માત્ર એક આરોગ્ય કેન્દ્ર નહિ પણ ધન્વંતરી રથ અને અન્ય આરોગ્ય કેન્દ્રો ટાર્ગેટ પૂરો કરવા આવું કરતા હોવાનું બહાર આવ્યું
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે પડધરીના ખોડાપીપર ગામે લોકોના સેમ્પલ લીધા વગર 25-25 ટ્યૂબને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. માત્ર એક આરોગ્ય કેન્દ્ર નહિ પણ ધન્વંતરી રથ અને અન્ય આરોગ્ય કેન્દ્રો ટાર્ગેટ પૂરો કરવા આવું કરતા હોવાનું ખુલતા ખુદ સીએમ રૂપાણી દ્વારા ઉંડી તપાસના અદેશો આપવામાં આવ્યા છે. બીજીતરફ છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજતાં ફફડાટ વધ્યો છે.
જાણો કંઈ રીતે ચાલતું હતું સમગ્ર કૌભાંડ
સામાન્ય રીતે RTPCR ટેસ્ટ માટે VTM કિટ આવે છે. જેમાં એક ટ્યૂબમાં કેમિકલ નાખેલું હોય છે. સ્વેબની સળી નાકમાં નાખી નમૂનો લઈ ટ્યૂબમાં નાખવાનું હોય છે. અને ત્યારબાદ તેને પેક કરીને આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલ મોકલાય છે. જોકે ખોડાપીપર ગામે મેડિકલ ઓફિસર ડોકટર સાગરભાઈ ડોબરિયા, લેબ ટેક્નિશિયન દિપ્તીબેન ખાખરિયા તેમજ ધન્વંતરી રથ પર તૈનાત પ્રફુલ ઠુંમર સહિતનાઓ સળી સીધા VTM ટ્યૂબમાં નાખી દે છે. આ રીતે 25 સેમ્પલ તૈયાર કરીને તેમાં મનફાવે તેવા નામો લખી સ્ટાફના ફોન નંબર સાથે એન્ટ્રી કરતા હતા. જેથી લેબમાંથી મેસેજ આવે તો તે પણ સ્ટાફને જ મળતો હતો.
આ સમગ્ર કૌભાંડનો અહેવાલ સ્થાનિક અખબારમાં પ્રકાશિત થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ચોંકયા હતા. અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભમાં તાત્કાલિક તપાસ કરવાનાં આદેશો આપ્યા છે. સાથે જ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જેને લઈને ટૂંક સમયમાં આકરા પગલાં લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ ટેસ્ટની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને લેબ સ્ટાફ 24 કલાક સેવા આપી રહ્યો છે. તેમજ જે ખરેખર બીમાર છે તેઓને પોતાના રિપોર્ટ માટે લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક કામચોર કર્મચારીઓ આ રીતે સેમ્પલ લીધા વગર માત્ર ચોપડે નામ ચડાવી ટ્યૂબ ટેસ્ટિંગ માટે મોકલી પોતાના કામની સાથે માનવતા પણ ભૂલ્યા છે. કોરોના મહામારી સામે ખભેખભો મિલાવીને લડવાને બદલે આ લોકો પોતાનું કામ પણ યોગ્ય રીતે કરતા નહીં હોવાથી અન્ય કામ કરતા સ્ટાફની મહેનત પણ એળે જાય છે. ત્યારે આવા કામચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકોમાં ઉઠી રહી છે.
રાજકોટ શહેર - જિલ્લામાં આજે પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં જ કોરોનાએ વધુ 14નો ભોગ લીધો છે. સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા.3નાં સવારના 8 વાગ્યાથી આજે તા. 4 એપ્રિલ સવારે 8 વાગ્યા સુધીમાં શહેર - જીલ્લાના 14 દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે ગઇકાલે થયેલા 13 પૈકી એકપણ મોત કોરોનાને કારણે થયુ નહીં હોવાનું સરકારની કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે. અને હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 815 બેડ ખાલી હોવાનું અને શહેરમાં 1250 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.