દંપતી એક સપ્તાહ પહેલા કોરોના સંક્રમિત થયા હતા.
દંપતીનું નિધન થતાં પુત્ર - પુત્રીએ માં - બાપની છત્રછાયા ગુમાવી
WatchGujarat. દેશભરમાં માર્ચથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે અનેક જીંદગીઓ કોરોનાનાં ખપ્પરમાં હોમાઈ ચૂકી છે. છતા અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ભલે કોરોના સામેનો જંગ હારી ગયા, પરંતુ તેઓ પોતાના વ્યક્તિગત સંબંધોને અમર કરી ગયા છે. આવી જ એક ઘટના ગોંડલમાં સામે આવી છે. જ્યાં કોરોના સંક્રમિત પત્નીનાં મૃત્યુ બાદ બીજા જ દિવસે કોરોનાગ્રસ્ત પતિએ પણ અનંતની વાટ પકડી છે.
જાણવા મળી રહેલી વિગતો મુજબ, ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર ઠુંમર અને તેમના પત્ની વસંતબેન એક સપ્તાહ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. અને બંને એ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. તબિયતમાં સુધારો થતાં તેઓને જામનગરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અચાનક તબિયત લથડતા શનિવારે વસંતબેન ઠુંમરનું મોત નિપજ્યું હતું.
આ સમાચાર મળ્યાનાં બીજા દિવસે રવિવારે જ પતિ જીતેન્દ્રભાઇનું પણ નિધન થતાં પુત્ર-પુત્રીએ માં-બાપની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ કોરોના ના કારણે વધુ એક પરિવારનો માળો પિંખાયો છે. પણ પતિ-પત્નીને કોરોના અલગ કરી શક્યો નથી. નોંધનીય છે કે, અગાઉ પણ ગોંડલના સ્ટેશન પ્લોટમાં જ્યોતિષ ભાઈ બૂચ તેમજ દેવયાની બેન બૂચ 15 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. અને સારવાર દરમિયાન સૌપ્રથમ જ્યોતિષ ભાઈએ દમ તોડયો હતો. ત્યારે પતિએ અંતિમ શ્વાસ લીધા બાદ ખુદ તેમના પત્ની દેવયાની બહેને પણ 20 મિનિટના અંતરે અનંતની વાટ પકડી હતી.
WatchGujarat. દેશભરમાં માર્ચથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે અનેક જીંદગીઓ કોરોનાનાં ખપ્પરમાં હોમાઈ ચૂકી છે. છતા અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ભલે કોરોના સામેનો જંગ હારી ગયા, પરંતુ તેઓ પોતાના વ્યક્તિગત સંબંધોને અમર કરી ગયા છે. આવી જ એક ઘટના ગોંડલમાં સામે આવી છે. જ્યાં કોરોના સંક્રમિત પત્નીનાં મૃત્યુ બાદ બીજા જ દિવસે કોરોનાગ્રસ્ત પતિએ પણ અનંતની વાટ પકડી છે.
જાણવા મળી રહેલી વિગતો મુજબ, ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર ઠુંમર અને તેમના પત્ની વસંતબેન એક સપ્તાહ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. અને બંને એ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. તબિયતમાં સુધારો થતાં તેઓને જામનગરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અચાનક તબિયત લથડતા શનિવારે વસંતબેન ઠુંમરનું મોત નિપજ્યું હતું.
આ સમાચાર મળ્યાનાં બીજા દિવસે રવિવારે જ પતિ જીતેન્દ્રભાઇનું પણ નિધન થતાં પુત્ર-પુત્રીએ માં-બાપની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ કોરોના ના કારણે વધુ એક પરિવારનો માળો પિંખાયો છે. પણ પતિ-પત્નીને કોરોના અલગ કરી શક્યો નથી. નોંધનીય છે કે, અગાઉ પણ ગોંડલના સ્ટેશન પ્લોટમાં જ્યોતિષ ભાઈ બૂચ તેમજ દેવયાની બેન બૂચ 15 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. અને સારવાર દરમિયાન સૌપ્રથમ જ્યોતિષ ભાઈએ દમ તોડયો હતો. ત્યારે પતિએ અંતિમ શ્વાસ લીધા બાદ ખુદ તેમના પત્ની દેવયાની બહેને પણ 20 મિનિટના અંતરે અનંતની વાટ પકડી હતી.