કોરોનાનું સંક્રમણ રોકવાનાં ઉપાયો અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રી રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ પણ રાજકોટ આવનાર
સિવિલ હોસ્પિટલ ખાતે 14 જેટલી 108 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવાનાં ઉપાયો અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રી રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ પણ રાજકોટ આવનાર છે. જો કે સીએમનાં આગમન પૂર્વે જ શહેરમાં કોરોના સારવાર દરમિયાન વધુ 34 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે 14 જેટલી 108 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી છે. તો બાપુનગર સ્મશાન બહાર પણ મૃતદેહો અંતિમવિધિ માટે લાઈનમાં હોવાના બિહામણા દ્રશ્યો સામે આવ્યા છે.
રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. અને હોસ્પિટલોમાં દર કલાકે એક કરતા વધુ દર્દીનું મોત નીપજી રહ્યું છે. પણ તંત્ર દ્વારા સત્ય છૂપાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. છે. ગઈકાલે શહેરમાં 31 દર્દીઓનાં મોત અને આજે 34 દર્દીઓના મોત નિપજ્યા છે. સત્તાવાર યાદી મુજબ કાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં વધુ 34 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું જણાવાયું છે. જો કે આ પૈકી કેટલા મોત કોરોનાને કારણે થયા છે તે અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
https://youtu.be/P30T2m6R04Y
રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની વકરેલી પરિસ્થિતીના કારણે બીહામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં કોરોનાની સારવાર માટે જ આવતા પોઝિટિવ દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સોની પણ લાઇન લાગેલી જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ દ્રશ્યો ઉપરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિ કેટલી બેકાબૂ છે તેની કલ્પના લોકો કરી શકે છે.
જો કે એક પેશન્ટને એટેન્ડ કરી દાખલ કરવા કાર્યવાહી સુધી બીજા દર્દીને લઇને આવતી એમ્બ્યુલન્સને રાહ જોવી પડતી હોય તેની આ લાઈન છે. અને દરમિયાન તેમાં રહેલા દર્દીની તકલીફ વધે નહિ તે માટે તબિબો અને સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સારવાર કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ દ્રશ્યો સ્થિતી કેટલી વણસી ચુકી છે, તેની સાક્ષી પૂરે છે.
બીજીતરફ શહેરનાં બાપુનગર સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતારો લાગી હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરીને ઇલેક્ટ્રિકને બદલે હવે લાકડાના સ્મશાનમાં પણ કોરોનાન દર્દીઓનાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે. તો એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહોને સ્મશાન ખાતે ખસેડવામાં આવતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ જતા ભારે ફફડાટ ફેલાયો છે. શહેરનાં અન્ય મોટા ભાગના સ્મશાનમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે તંત્ર મોતના આંકડાઓ છુપાવવા ઘણા પ્રયાસો કરે છે. પણ સ્મશાન બહાર લાગતી મૃતદેહોની કતારો તંત્રની પોલ ખોલી રહી છે.
કોરોનાનું સંક્રમણ રોકવાનાં ઉપાયો અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રી રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ પણ રાજકોટ આવનાર
સિવિલ હોસ્પિટલ ખાતે 14 જેટલી 108 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવાનાં ઉપાયો અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રી રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ પણ રાજકોટ આવનાર છે. જો કે સીએમનાં આગમન પૂર્વે જ શહેરમાં કોરોના સારવાર દરમિયાન વધુ 34 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે 14 જેટલી 108 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી છે. તો બાપુનગર સ્મશાન બહાર પણ મૃતદેહો અંતિમવિધિ માટે લાઈનમાં હોવાના બિહામણા દ્રશ્યો સામે આવ્યા છે.
રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. અને હોસ્પિટલોમાં દર કલાકે એક કરતા વધુ દર્દીનું મોત નીપજી રહ્યું છે. પણ તંત્ર દ્વારા સત્ય છૂપાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. છે. ગઈકાલે શહેરમાં 31 દર્દીઓનાં મોત અને આજે 34 દર્દીઓના મોત નિપજ્યા છે. સત્તાવાર યાદી મુજબ કાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં વધુ 34 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું જણાવાયું છે. જો કે આ પૈકી કેટલા મોત કોરોનાને કારણે થયા છે તે અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની વકરેલી પરિસ્થિતીના કારણે બીહામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં કોરોનાની સારવાર માટે જ આવતા પોઝિટિવ દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સોની પણ લાઇન લાગેલી જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ દ્રશ્યો ઉપરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિ કેટલી બેકાબૂ છે તેની કલ્પના લોકો કરી શકે છે.
જો કે એક પેશન્ટને એટેન્ડ કરી દાખલ કરવા કાર્યવાહી સુધી બીજા દર્દીને લઇને આવતી એમ્બ્યુલન્સને રાહ જોવી પડતી હોય તેની આ લાઈન છે. અને દરમિયાન તેમાં રહેલા દર્દીની તકલીફ વધે નહિ તે માટે તબિબો અને સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સારવાર કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ દ્રશ્યો સ્થિતી કેટલી વણસી ચુકી છે, તેની સાક્ષી પૂરે છે.
બીજીતરફ શહેરનાં બાપુનગર સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતારો લાગી હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરીને ઇલેક્ટ્રિકને બદલે હવે લાકડાના સ્મશાનમાં પણ કોરોનાન દર્દીઓનાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે. તો એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહોને સ્મશાન ખાતે ખસેડવામાં આવતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ જતા ભારે ફફડાટ ફેલાયો છે. શહેરનાં અન્ય મોટા ભાગના સ્મશાનમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે તંત્ર મોતના આંકડાઓ છુપાવવા ઘણા પ્રયાસો કરે છે. પણ સ્મશાન બહાર લાગતી મૃતદેહોની કતારો તંત્રની પોલ ખોલી રહી છે.