મૃતક આયુશીની માતા કિરણબેન નિમાવતે મદદગાર બનનાર પતિ સામે તથા દિયર અને દેરાણીની સામે ફરિયાદ નોંધાવી હતી
લાશ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં હોવાથી પોલીસે આરોપીઓ સામે પુરાવા એકત્રિત કરવા સાયન્ટિફિક તપાસ હાથ ધરી
આગલા દિવસે જ દેરાણીના પુત્ર સાથે આયુષીને ઝઘડો થયો હોવાથી તે હત્યાનું કરણ બન્યો હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી
Watchgujarat. ઉપલેટા ખાતે દસ વર્ષીય માસૂમ બાળકી આયુશી ચેતનભાઇ નિમાવતની તેની ક્રૂર કાકી વંદનાએ ઠંડા કલેજે હત્યા કરી હતી. બાદમાં માસુમનાં કાકા મયુરભાઈ અને પિતા ચેતનભાઈએ ઘટનાને છુપાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ માતા કિરણબેનને આ અંગેની જાણ થતાં જ તેમણે ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેયને ઝડપી લીધા હતા. અને ક્રૂર કાકી વંદનાને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં હત્યારીએ પોતે ક્યાં અને કઈ રીતે માસુમને મોતને ઘાટ ઉતારીને અકસ્માતે પડી ગયાનો દેખાવ કર્યો હતો તે દર્શાવ્યું છે.
ઘટનામાં આરોપીઓએ કબૂલાત આપી છે. પરંતુ લાશ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં હોવાથી પોલીસે આરોપીઓ સામે પુરાવા એકત્રિત કરવા સાયન્ટિફિક તપાસ હાથ ધરી છે. જેમાં FSLની સ્થળ પરથી લોહીના ડાઘવાળા નમુના બ્લેન્કેટ પર લોહીના ડાઘ ઉપરાંત ઘટનાસ્થળની વીડિયોગ્રાફી સ્મશાનમાંથી રાખ સહિતનાં પુરાવાઓ એકત્ર કર્યા છે. બનાવના આગલા દિવસે જ દેરાણીના પુત્ર સાથે આયુષીને ઝઘડો થયો હોવાથી તે હત્યાનું કરણ બન્યો હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે. એટલું જ નહીં વંદના તેમજ તેના પતિ મયુર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હોવાની જાણકારી મળતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગઈકાલે મૃતક આયુશીની માતા કિરણબેન નિમાવતે મદદગાર બનનાર પતિ સામે તથા દિયર અને દેરાણીની સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ત્રણેય આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેનો કોરોના રિપોર્ટ આવી જતા તેમની વિધિવત ધરપકડ કર્યા બાદ પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઇ ગઈ હતી. અને વંદનાએ આયુશી ઉપર કઈ રીતે દસ્તાનો ઘા કર્યો અને મૃત થઇ ગયા બાદ લાશને કઈ રીતે પગથિયા ઉપરથી નીચે ધા કર્યો તેનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું.
દરમિયાન પોલીસે પગથિયા ઉપર રહેલ લોહીના ધાબા ધ્યાનમાં રાખી ત્યાંથી પુરાવા તરીકે તેમના સેમ્પલ લઇ FSL માં મોકલી આપ્યા છે. આ અંગે પીઆઈ કે. કે. જાડેજાએ જણાવ્યું હતું કે આ બનાવમાં હજી સાક્ષી પુરાવા તરીકે આજુબાજુમાં રહેતા પાડોશીના નિવેદન લેવામાં આવશે. ઉપરાંત સ્મશાનયાત્રામાં ગયેલ સગા સંબંધીઓના પણ નિવેદન લઇ ઉપરાંત હોસ્પિટલ સાથે ગયેલ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવશે. મૃતકની લાશ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન હોવાથી વધુમાં વધુ પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. જેથી માસુમનાં હત્યારાઓને કડકમાં કડક સજા મળી શકે. હાલ પોલીસે 25 જેટલા પુરાવાઓ એકત્ર કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગૃહકલેશમાં જેઠાણીની નાની પુત્રી આયુશીની બે દિવસ પહેલા હત્યા કરનાર કાકીના ત્રણ વર્ષ પહેલા કોઈ પુરુષ સાથેના સંબંધો અંગે પરિવારને જાણ થઇ હતી. અને તે સમયે ઘરમાં કંકાસ થયો હતો. પોલીસને એવી પણ વાત જાણવા મળી હતી કે, તેના અંગત સંબંધોની પરિવારને જાણ થઇ ત્યારે વંદનાએ બે દિવસ પહેલા જ્યાંથી આયુશીને પડતી મૂકી ત્યાંથી પોતે પણ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને આ અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મૃતક આયુશીની માતા કિરણબેન નિમાવતે મદદગાર બનનાર પતિ સામે તથા દિયર અને દેરાણીની સામે ફરિયાદ નોંધાવી હતી
લાશ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં હોવાથી પોલીસે આરોપીઓ સામે પુરાવા એકત્રિત કરવા સાયન્ટિફિક તપાસ હાથ ધરી
આગલા દિવસે જ દેરાણીના પુત્ર સાથે આયુષીને ઝઘડો થયો હોવાથી તે હત્યાનું કરણ બન્યો હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી
Watchgujarat. ઉપલેટા ખાતે દસ વર્ષીય માસૂમ બાળકી આયુશી ચેતનભાઇ નિમાવતની તેની ક્રૂર કાકી વંદનાએ ઠંડા કલેજે હત્યા કરી હતી. બાદમાં માસુમનાં કાકા મયુરભાઈ અને પિતા ચેતનભાઈએ ઘટનાને છુપાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ માતા કિરણબેનને આ અંગેની જાણ થતાં જ તેમણે ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેયને ઝડપી લીધા હતા. અને ક્રૂર કાકી વંદનાને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં હત્યારીએ પોતે ક્યાં અને કઈ રીતે માસુમને મોતને ઘાટ ઉતારીને અકસ્માતે પડી ગયાનો દેખાવ કર્યો હતો તે દર્શાવ્યું છે.
ઘટનામાં આરોપીઓએ કબૂલાત આપી છે. પરંતુ લાશ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં હોવાથી પોલીસે આરોપીઓ સામે પુરાવા એકત્રિત કરવા સાયન્ટિફિક તપાસ હાથ ધરી છે. જેમાં FSLની સ્થળ પરથી લોહીના ડાઘવાળા નમુના બ્લેન્કેટ પર લોહીના ડાઘ ઉપરાંત ઘટનાસ્થળની વીડિયોગ્રાફી સ્મશાનમાંથી રાખ સહિતનાં પુરાવાઓ એકત્ર કર્યા છે. બનાવના આગલા દિવસે જ દેરાણીના પુત્ર સાથે આયુષીને ઝઘડો થયો હોવાથી તે હત્યાનું કરણ બન્યો હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે. એટલું જ નહીં વંદના તેમજ તેના પતિ મયુર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હોવાની જાણકારી મળતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગઈકાલે મૃતક આયુશીની માતા કિરણબેન નિમાવતે મદદગાર બનનાર પતિ સામે તથા દિયર અને દેરાણીની સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ત્રણેય આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેનો કોરોના રિપોર્ટ આવી જતા તેમની વિધિવત ધરપકડ કર્યા બાદ પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઇ ગઈ હતી. અને વંદનાએ આયુશી ઉપર કઈ રીતે દસ્તાનો ઘા કર્યો અને મૃત થઇ ગયા બાદ લાશને કઈ રીતે પગથિયા ઉપરથી નીચે ધા કર્યો તેનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું.
દરમિયાન પોલીસે પગથિયા ઉપર રહેલ લોહીના ધાબા ધ્યાનમાં રાખી ત્યાંથી પુરાવા તરીકે તેમના સેમ્પલ લઇ FSL માં મોકલી આપ્યા છે. આ અંગે પીઆઈ કે. કે. જાડેજાએ જણાવ્યું હતું કે આ બનાવમાં હજી સાક્ષી પુરાવા તરીકે આજુબાજુમાં રહેતા પાડોશીના નિવેદન લેવામાં આવશે. ઉપરાંત સ્મશાનયાત્રામાં ગયેલ સગા સંબંધીઓના પણ નિવેદન લઇ ઉપરાંત હોસ્પિટલ સાથે ગયેલ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવશે. મૃતકની લાશ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન હોવાથી વધુમાં વધુ પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. જેથી માસુમનાં હત્યારાઓને કડકમાં કડક સજા મળી શકે. હાલ પોલીસે 25 જેટલા પુરાવાઓ એકત્ર કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગૃહકલેશમાં જેઠાણીની નાની પુત્રી આયુશીની બે દિવસ પહેલા હત્યા કરનાર કાકીના ત્રણ વર્ષ પહેલા કોઈ પુરુષ સાથેના સંબંધો અંગે પરિવારને જાણ થઇ હતી. અને તે સમયે ઘરમાં કંકાસ થયો હતો. પોલીસને એવી પણ વાત જાણવા મળી હતી કે, તેના અંગત સંબંધોની પરિવારને જાણ થઇ ત્યારે વંદનાએ બે દિવસ પહેલા જ્યાંથી આયુશીને પડતી મૂકી ત્યાંથી પોતે પણ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને આ અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.