રાજકોટમાં સ્મશાનની બહાર યુવકનો દેહ મળતા ચકચાર મચી જવા પામી
ત્યાંના ઓટલા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જોવા મળી
EMTની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરી
WatchGujarat. શહેરમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે 150 ફુટ રિંગ રોડ પુનિતનગર પાણીના ટાંકાથી આગળ વાવડી ગૌતમબુધ્ધ નગર પાસે આવેલા સ્મશાનમાંથી વિચિત્ર રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી છે. સ્મશાનમાં આવેલી સુરાપુરાની ડેરીના ઓટલામાં જાળી સાથે કપડું બાંધી આ યુવકે ગળેફાંસો ખાધો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જો કે મૃતકે જાતે ગળેફાંસો ખાધો છે કે, કોઈ દ્વારા હત્યા કરીને લાશને આ રીતે મૂકી દેવામાં આવી છે તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળી રહેલી વિગત અનુસાર, આજે સવારના સમયે એક વ્યક્તિ સ્મશાન અંદર આવેલી શુરાપુરાની ડેરી પાસે કબૂતરોને ચણ નાખવા આવ્યા હતા. ત્યારે ત્યાંના ઓટલા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જોવા મળી હતી. જેને લઈ તેમણે તરત જ 108ને જાણ કરતાં જ પાઇલોટ ગોપાલભાઇ ભરવાડ અને EMT યશભાઇ વાડોલીયા પહોંચી ગયા હતાં. EMTની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.
બનાવ અંગેની જાણ થતાં જ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા તેમજ પરિવારને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસનાં જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ બનાવ આત્મહત્યાનો હોવાનું જણાય રહ્યું છે. જોકે આ યુવકે નાઈટ ડ્રેસનું ટીશર્ટ અને ચડ્ડી પહેર્યા હોય તેમાંથી પણ તેની ઓળખ કરી શકાય તેવા કોઈ દસ્તાવેજ હાથ લાગ્યા નથી. જેને લઈને મૃતકનો ફોટો જાહેર કરીને તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. અને મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
રાજકોટમાં સ્મશાનની બહાર યુવકનો દેહ મળતા ચકચાર મચી જવા પામી
ત્યાંના ઓટલા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જોવા મળી
EMTની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરી
WatchGujarat. શહેરમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે 150 ફુટ રિંગ રોડ પુનિતનગર પાણીના ટાંકાથી આગળ વાવડી ગૌતમબુધ્ધ નગર પાસે આવેલા સ્મશાનમાંથી વિચિત્ર રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી છે. સ્મશાનમાં આવેલી સુરાપુરાની ડેરીના ઓટલામાં જાળી સાથે કપડું બાંધી આ યુવકે ગળેફાંસો ખાધો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જો કે મૃતકે જાતે ગળેફાંસો ખાધો છે કે, કોઈ દ્વારા હત્યા કરીને લાશને આ રીતે મૂકી દેવામાં આવી છે તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળી રહેલી વિગત અનુસાર, આજે સવારના સમયે એક વ્યક્તિ સ્મશાન અંદર આવેલી શુરાપુરાની ડેરી પાસે કબૂતરોને ચણ નાખવા આવ્યા હતા. ત્યારે ત્યાંના ઓટલા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જોવા મળી હતી. જેને લઈ તેમણે તરત જ 108ને જાણ કરતાં જ પાઇલોટ ગોપાલભાઇ ભરવાડ અને EMT યશભાઇ વાડોલીયા પહોંચી ગયા હતાં. EMTની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.
બનાવ અંગેની જાણ થતાં જ તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા તેમજ પરિવારને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસનાં જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ બનાવ આત્મહત્યાનો હોવાનું જણાય રહ્યું છે. જોકે આ યુવકે નાઈટ ડ્રેસનું ટીશર્ટ અને ચડ્ડી પહેર્યા હોય તેમાંથી પણ તેની ઓળખ કરી શકાય તેવા કોઈ દસ્તાવેજ હાથ લાગ્યા નથી. જેને લઈને મૃતકનો ફોટો જાહેર કરીને તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. અને મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.