વિજય ડોબરીયાએ 5 જૂન 2014થી શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું
ટિમ દ્વારા માત્ર વૃક્ષ વાવવામાં નથી આવતા પણ વૃક્ષના જતન માટે લોખંડનું પીંજરું પણ લગાડવામાં આવે છે
અંદાજીત 7થી 8 ફૂટનું વૃક્ષ વાવીને ત્રણ વર્ષ સુધી પાણી પીવડાવીને તેનું જતન પણ કરવામાં આવે છે
વૃક્ષોનું એવું હોય છે કે, એકવાર તેને વાવ્યા બાદ ત્રણથી ચાર વર્ષ માવજત કરવી જરૂરી છે. જો આમ કરવામાં આવે તો આ વૃક્ષ 200 વર્ષ સુધી આપણને લાભદાયી રહે છે. - વિજય ડોબરીયા
કુલીન પારેખ. સદભાવના વૃદ્ધા આશ્રમના સંચાલક અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા વિજય ડોબરીયાએ શહેરની આસપાસના વિસ્તારમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કર્યું છે. સામાન્ય રીતે લોકો વૃક્ષો તો અનેક વાવે છે પરંતુ તેનું ઉછેરીને જતન કરી શકતા નથી. જેને લઈને આ કામ રાજકોટના વિજય ડોબરીયાએ કર્યું છે. આ કામ માટે તેઓએ 400થી વધુ કર્મચારીઓનો પગારદાર સ્ટાફ પણ રાખ્યો છે. હજુ પણ તેમની આ સેવા અવિરતપણે ચાલુ છે. તેમનું લક્ષ્ય સમગ્ર ગુજરાતને ગ્રીન બનાવવાનું છે.
https://youtu.be/3B_2M6vcG9k
વિજય ડોબરીયાએ 5 જૂન 2014થી શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું છે. અને છેલ્લા 7 વર્ષમાં વિજય ડોબરીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન પણ કરાઈ રહ્યું છે. આ ટિમ દ્વારા માત્ર વૃક્ષ વાવવામાં નથી આવતા પણ વૃક્ષના જતન માટે લોખંડનું પીંજરું પણ લગાડવામાં આવે છે. એટલું જ નહીં અંદાજીત 7થી 8 ફૂટનું વૃક્ષ વાવીને ત્રણ વર્ષ સુધી પાણી પીવડાવીને તેનું જતન પણ કરવામાં આવે છે.
વિજયભાઈ દ્વારા વૃક્ષોને દરરોજ પાણી પીવડાવવા માટે 70 ટેન્કર, 70 ટ્રેક્ટર અને 480 માણસોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સિવાય અન્ય સામાજિક અગ્રણીઓ અને નિવૃત અધિકારીઓ દ્વારા પણ આ ટીમને મદદ કરવામાં આવે છે. જેને લઈ તેમણે અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેર્યા છે. હાલ પણ શહેરના અલગ અલગ વિસ્તાર કે જ્યાં ખુલ્લા પ્લોટ હોય અથવા શેરીઓ ગલીઓમાં જગ્યા હોય ત્યાં વૃક્ષોનું વાવેતર વાવવામાં આવી રહ્યું છે.
વિજયભાઈ કહે છે કે, સામાન્ય રીતે દરવર્ષે ઘણાં વૃક્ષો વાવવામાં આવતા હોય છે. પરંતુ આ વૃક્ષો વાવ્યા બાદ તેનું માવજત કરવામાં આવતું નથી. જેને લઈને વૃક્ષનો જોઈએ તેવો વિકાસ થતો નથી. વૃક્ષોનું એવું હોય છે કે, એકવાર તેને વાવ્યા બાદ ત્રણથી ચાર વર્ષ માવજત કરવી જરૂરી છે. જો આમ કરવામાં આવે તો આ વૃક્ષ 200 વર્ષ સુધી આપણને લાભદાયી રહે છે. જેને લઇને અમે આ અભિયાન શરૂ કર્યું છે. અને વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરીએ છીએ. જે પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભદાયક હોવાની સાથે પશુ-પક્ષીને સહેલાઈથી ખોરાક પૂરો પાડવામાં મદદરૂપ બને છે.
પોતાના આ અભિયાનની શરૂઆત અંગે જણાવતા વિજયભાઈએ કહ્યું હતું કે, સૌ-પ્રથમ પડધરીના 60 ગામમાં વૃક્ષો વાવીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શેરી-ગલીઓ વિવિધ ગૌશાળાઓ તેમજ 100 એકરના ખરાબામાં પણ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ શહેરમાં તમામ રોડ રસ્તાઓ, શેરીઓ ગલીઓમાં વૃક્ષો વાવ્યા હતા. સાથે જ રાજકોટ-ભાવનગર હાઇવે, રાજકોટથી મોરબીનાં રસ્તાઓ, રાજકોટથી કાલાવડ જવાના રસ્તાઓ અને ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરમાં પણ વૃક્ષારોપણ કર્યું છે. આ તમામ સ્થળે વૃક્ષારોપણ બાદ ત્રણ વર્ષ સુધી અમે વૃક્ષોને પાણી પીવડાવીએ છીએ. તેમજ દર મહિને આ વૃક્ષોના જતન માટે અલગ-અલગ ખાતર, દવાઓ પણ જરૂર મુજબ આપતા હોવાથી વૃક્ષોનો ઉછેર સારી રીતે થાય છે.
વિજય ડોબરીયાએ 5 જૂન 2014થી શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું
ટિમ દ્વારા માત્ર વૃક્ષ વાવવામાં નથી આવતા પણ વૃક્ષના જતન માટે લોખંડનું પીંજરું પણ લગાડવામાં આવે છે
અંદાજીત 7થી 8 ફૂટનું વૃક્ષ વાવીને ત્રણ વર્ષ સુધી પાણી પીવડાવીને તેનું જતન પણ કરવામાં આવે છે
વૃક્ષોનું એવું હોય છે કે, એકવાર તેને વાવ્યા બાદ ત્રણથી ચાર વર્ષ માવજત કરવી જરૂરી છે. જો આમ કરવામાં આવે તો આ વૃક્ષ 200 વર્ષ સુધી આપણને લાભદાયી રહે છે. - વિજય ડોબરીયા
કુલીન પારેખ. સદભાવના વૃદ્ધા આશ્રમના સંચાલક અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા વિજય ડોબરીયાએ શહેરની આસપાસના વિસ્તારમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કર્યું છે. સામાન્ય રીતે લોકો વૃક્ષો તો અનેક વાવે છે પરંતુ તેનું ઉછેરીને જતન કરી શકતા નથી. જેને લઈને આ કામ રાજકોટના વિજય ડોબરીયાએ કર્યું છે. આ કામ માટે તેઓએ 400થી વધુ કર્મચારીઓનો પગારદાર સ્ટાફ પણ રાખ્યો છે. હજુ પણ તેમની આ સેવા અવિરતપણે ચાલુ છે. તેમનું લક્ષ્ય સમગ્ર ગુજરાતને ગ્રીન બનાવવાનું છે.
વિજય ડોબરીયાએ 5 જૂન 2014થી શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું છે. અને છેલ્લા 7 વર્ષમાં વિજય ડોબરીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન પણ કરાઈ રહ્યું છે. આ ટિમ દ્વારા માત્ર વૃક્ષ વાવવામાં નથી આવતા પણ વૃક્ષના જતન માટે લોખંડનું પીંજરું પણ લગાડવામાં આવે છે. એટલું જ નહીં અંદાજીત 7થી 8 ફૂટનું વૃક્ષ વાવીને ત્રણ વર્ષ સુધી પાણી પીવડાવીને તેનું જતન પણ કરવામાં આવે છે.
વિજયભાઈ દ્વારા વૃક્ષોને દરરોજ પાણી પીવડાવવા માટે 70 ટેન્કર, 70 ટ્રેક્ટર અને 480 માણસોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સિવાય અન્ય સામાજિક અગ્રણીઓ અને નિવૃત અધિકારીઓ દ્વારા પણ આ ટીમને મદદ કરવામાં આવે છે. જેને લઈ તેમણે અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેર્યા છે. હાલ પણ શહેરના અલગ અલગ વિસ્તાર કે જ્યાં ખુલ્લા પ્લોટ હોય અથવા શેરીઓ ગલીઓમાં જગ્યા હોય ત્યાં વૃક્ષોનું વાવેતર વાવવામાં આવી રહ્યું છે.
વિજયભાઈ કહે છે કે, સામાન્ય રીતે દરવર્ષે ઘણાં વૃક્ષો વાવવામાં આવતા હોય છે. પરંતુ આ વૃક્ષો વાવ્યા બાદ તેનું માવજત કરવામાં આવતું નથી. જેને લઈને વૃક્ષનો જોઈએ તેવો વિકાસ થતો નથી. વૃક્ષોનું એવું હોય છે કે, એકવાર તેને વાવ્યા બાદ ત્રણથી ચાર વર્ષ માવજત કરવી જરૂરી છે. જો આમ કરવામાં આવે તો આ વૃક્ષ 200 વર્ષ સુધી આપણને લાભદાયી રહે છે. જેને લઇને અમે આ અભિયાન શરૂ કર્યું છે. અને વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરીએ છીએ. જે પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભદાયક હોવાની સાથે પશુ-પક્ષીને સહેલાઈથી ખોરાક પૂરો પાડવામાં મદદરૂપ બને છે.
પોતાના આ અભિયાનની શરૂઆત અંગે જણાવતા વિજયભાઈએ કહ્યું હતું કે, સૌ-પ્રથમ પડધરીના 60 ગામમાં વૃક્ષો વાવીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શેરી-ગલીઓ વિવિધ ગૌશાળાઓ તેમજ 100 એકરના ખરાબામાં પણ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ શહેરમાં તમામ રોડ રસ્તાઓ, શેરીઓ ગલીઓમાં વૃક્ષો વાવ્યા હતા. સાથે જ રાજકોટ-ભાવનગર હાઇવે, રાજકોટથી મોરબીનાં રસ્તાઓ, રાજકોટથી કાલાવડ જવાના રસ્તાઓ અને ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરમાં પણ વૃક્ષારોપણ કર્યું છે. આ તમામ સ્થળે વૃક્ષારોપણ બાદ ત્રણ વર્ષ સુધી અમે વૃક્ષોને પાણી પીવડાવીએ છીએ. તેમજ દર મહિને આ વૃક્ષોના જતન માટે અલગ-અલગ ખાતર, દવાઓ પણ જરૂર મુજબ આપતા હોવાથી વૃક્ષોનો ઉછેર સારી રીતે થાય છે.