દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મોડીરાત્રે પોલીસ દ્વારા મંજૂરી રદ્દ કરવામાં આવી
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનાં નિર્ણયનું માન જાળવી કાયદો-વ્યવસ્થા જોખમાય નહીં તે માટે સંમેલન મુલતવી
WatchGujarat આજરોજ શહેરના નવા 150 ફૂટ રિંગરોડ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું. અને આ માટે પોલીસ મંજૂરી પણ મળી ગઈ હતી. જો કે ગઈકાલે દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મોડીરાત્રે પોલીસ દ્વારા આ મંજૂરી રદ્દ કરવામાં આવી છે. તેમજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનાં હોદ્દેદારોએ પણ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનાં નિર્ણયનું માન જાળવી કાયદો-વ્યવસ્થા જોખમાય નહીં તે માટે આ સંમેલન મુલતવી રાખવાની જાહેરાત કરી છે.
72મા ગણતંત્ર દિવસના અવસરે મંગળવારે રાજપથ અને લાલ કિલ્લા પર બે બિલકુલ અલગ-અલગ દૃશ્યો જોવા મળ્યા હતા. રાજપથ પર જ્યાં એક તરફ ભારતીયોએ ગણતંત્ર દિવસ પર દેશની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન જોયું, બીજી તરફ પ્રદર્શનકારી ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઈને મુગલ કાલીન લાલ કિલ્લા પહોંચી ગયા હતા અને જેના ભાગ સ્વરૂપે દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં અનેક સ્થળો પર પોલીસ અને પ્રદર્શનકારીનું ઘર્ષણ જોવા મળ્યું થયું, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન આખો દિવસ હિંસા થઈ. જો કે દિલ્હી પોલીસ અને સેનાના જવાનો પોતાની ફરજ અદા કરી રહ્યા હોય તેમ છતાં દિલ્હી પોલીસ અને સેનાના 86 કર્મી ઘાયલ થયા હતા.
દિલ્હીમાં થયેલ પ્રદર્શનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. જેના ભાગરૂપે રાજકોટ સ્થિત ડીસીપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, અરજદાર પાલભાઇ રામભાઇ આંબલીયાએ લાયન કિંગ વોટરપાર્ક સામે 27 જાન્યુઆરીનાં રોજ ખેડૂત સંમેલન યોજવા માટેની મજૂરી માંગી હતી. આ અંગે ચોક્કસ નિયમોનાં પાલન સાથે સંમેલન યોજવા મંજૂરી આપવામાં પણ આવી હતી. પરંતુ 26 તારીખે અન્ય રાજ્યમાં બનેલા બનાવો અને આચારસંહિતાને ધ્યાનમાં રાખીને હાલ આ મંજૂરી રદ્દ કરવામાં આવી છે. તેમ છતાં જો કોઈ લોકોને એકઠા કરવાનો પ્રયાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજીતરફ ગુજરાત કિસાન કોંગ્રેસનાં આગેવાન પાલ આંબલિયાએ પણ પોલીસનાં આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. અને સ્વીકાર કર્યો હતો કે, પોલીસ દ્વારા મંજૂરી આપતી વખતે જ કહેવાયું હતું કે, 26 તારીખે દિલ્હી ખાતે યોજાનાર ટ્રેક્ટર રેલીમાં કઈ અજુગતું બનશે તો આ મંજૂરી રદ્દ કરવામાં આવશે.
ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનાં આ નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ અને સંમેલન માટેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ સમિતિનાં અન્ય હોદ્દેદારોએ પણ પોલીસનાં આ નિર્ણયને સહર્ષ સ્વીકાર્યો હતો.
દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મોડીરાત્રે પોલીસ દ્વારા મંજૂરી રદ્દ કરવામાં આવી
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનાં નિર્ણયનું માન જાળવી કાયદો-વ્યવસ્થા જોખમાય નહીં તે માટે સંમેલન મુલતવી
WatchGujarat આજરોજ શહેરના નવા 150 ફૂટ રિંગરોડ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું. અને આ માટે પોલીસ મંજૂરી પણ મળી ગઈ હતી. જો કે ગઈકાલે દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મોડીરાત્રે પોલીસ દ્વારા આ મંજૂરી રદ્દ કરવામાં આવી છે. તેમજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનાં હોદ્દેદારોએ પણ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનાં નિર્ણયનું માન જાળવી કાયદો-વ્યવસ્થા જોખમાય નહીં તે માટે આ સંમેલન મુલતવી રાખવાની જાહેરાત કરી છે.
72મા ગણતંત્ર દિવસના અવસરે મંગળવારે રાજપથ અને લાલ કિલ્લા પર બે બિલકુલ અલગ-અલગ દૃશ્યો જોવા મળ્યા હતા. રાજપથ પર જ્યાં એક તરફ ભારતીયોએ ગણતંત્ર દિવસ પર દેશની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન જોયું, બીજી તરફ પ્રદર્શનકારી ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઈને મુગલ કાલીન લાલ કિલ્લા પહોંચી ગયા હતા અને જેના ભાગ સ્વરૂપે દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં અનેક સ્થળો પર પોલીસ અને પ્રદર્શનકારીનું ઘર્ષણ જોવા મળ્યું થયું, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન આખો દિવસ હિંસા થઈ. જો કે દિલ્હી પોલીસ અને સેનાના જવાનો પોતાની ફરજ અદા કરી રહ્યા હોય તેમ છતાં દિલ્હી પોલીસ અને સેનાના 86 કર્મી ઘાયલ થયા હતા.
દિલ્હીમાં થયેલ પ્રદર્શનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. જેના ભાગરૂપે રાજકોટ સ્થિત ડીસીપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, અરજદાર પાલભાઇ રામભાઇ આંબલીયાએ લાયન કિંગ વોટરપાર્ક સામે 27 જાન્યુઆરીનાં રોજ ખેડૂત સંમેલન યોજવા માટેની મજૂરી માંગી હતી. આ અંગે ચોક્કસ નિયમોનાં પાલન સાથે સંમેલન યોજવા મંજૂરી આપવામાં પણ આવી હતી. પરંતુ 26 તારીખે અન્ય રાજ્યમાં બનેલા બનાવો અને આચારસંહિતાને ધ્યાનમાં રાખીને હાલ આ મંજૂરી રદ્દ કરવામાં આવી છે. તેમ છતાં જો કોઈ લોકોને એકઠા કરવાનો પ્રયાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બીજીતરફ ગુજરાત કિસાન કોંગ્રેસનાં આગેવાન પાલ આંબલિયાએ પણ પોલીસનાં આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. અને સ્વીકાર કર્યો હતો કે, પોલીસ દ્વારા મંજૂરી આપતી વખતે જ કહેવાયું હતું કે, 26 તારીખે દિલ્હી ખાતે યોજાનાર ટ્રેક્ટર રેલીમાં કઈ અજુગતું બનશે તો આ મંજૂરી રદ્દ કરવામાં આવશે.
ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનાં આ નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ અને સંમેલન માટેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ સમિતિનાં અન્ય હોદ્દેદારોએ પણ પોલીસનાં આ નિર્ણયને સહર્ષ સ્વીકાર્યો હતો.