દર વર્ષની માફક પોપટપરાનાં નાલામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
મોરબીનાં રાજગઢ ખાતે કાર પુરમાં તણાઈ હોવાનો વિડીયો પણ વાયરલ થયો
રાજકોટના વોર્ડ નંબર 12 અને 13 નજીક ગોકુલનગર વિસ્તારમાં અંદરના ભાગે રસ્તા પર ગટરની કુંડી નજીક યોગ્ય કામ ન થયું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ
WatchGujarat. શહેર અને જિલ્લામાં રવિવારે બપોર બાદ મેઘ તાંડવ જોવા મળ્યું હતું. અને ઠેર-ઠેર ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરમાં તો માત્ર 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણીની નદી વહેવા લાગી હતી. અને દર વર્ષની માફક પોપટપરાનાં નાલામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન એક માનસિક અસ્થિર વ્યક્તિ નાલામાં ફંસાઈ જતા ફાયર વિભાગે સ્થાનિકોની મદદથી તેનું રેસ્ક્યુ કર્યું હતું. તો ગોકુલનગર વિસ્તારમાં પડેલા મોટા-મોટા ખાડાઓમાં વાહન ચાલકો પોતાના જ વાહન સાથે પડતા હોવાનાં સીસીટીવી સામે આવ્યા હતા. એટલું જ નહીં વોર્ડ નં. 14નાં ખોડિયાર નગરમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાનું સામે આવ્યું હતું. જેને લઈ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજીતરફ મોરબીનાં રાજગઢ ખાતે કાર પુરમાં તણાઈ હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે.
https://youtu.be/ViWP57IPiCg
ગોકુલનગરમાં ભ્રષ્ટાચારનાં ખાડામાં વાહનો પડવાના સીસીટીવી સામે આવ્યા
ગોકુલનગર વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી રસ્તા પર પડેલા ખાડા નહિ દેખાતા વાહન ચાલકો વાહન પરથી પડી જતા હતા. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ગઇકાલે સાંજે વરસાદ શરૂ હતો એ દરમિયાન ગટરની કુંડીની બાજુમાં ખાડાના કારણે અનેક વાહન ચાલકો ખાડામાં પડતા હતા. અને વાહન પરથી વાહન ચાલક વાહન સહિત પડી જાય છે. એક બનાવમાં તો છકડો રિક્ષા પસાર થાય છે. અને ખાડો આવતા તેમાં બેસેલા વ્યક્તિ નીચે પડી જાય છે. અને છકડો સામે આવતા વાહન ચાલક સાથે અથડાતા બચી જાય છે. એટલે કે મોટો અકસ્માત સહેજથી અટકી જાય છે.
આ અંગે રાજકોટના વોર્ડ નંબર 12 અને 13 નજીક ગોકુલનગર વિસ્તારમાં અંદરના ભાગે રસ્તા પર ગટરની કુંડી નજીક યોગ્ય કામ ન થયું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભ્રષ્ટાચારના કારણે રસ્તા પર ખાડા પડી ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. અને વાહન ચાલકોને ચોમાસા દરમિયાન મુશ્કેલી પડી રહી હોવા માટે ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે મનપા કમિશ્નર અને મેયર કોઇ કાર્યવાહી કરશે કે પછી મૌન સેવી આ બધુ જોતા રહેશે ? સહિતનાં અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
પોપટપરાનાં નાલામાં ફંસાયેલા માનસિક અસ્થિરનું રેસ્ક્યુ કરાયું
બીજીતરફ શહેરના પોપટપરાનું નાલું પાણીથી આખું ભરાઇ જતા વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ માનસિક અસ્થિર વ્યક્તિ અંદર ફસાતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. અને સ્થાનિકો તેમજ દોરડાની મદદથી તેને હેમખેમ બહાર કાઢ્યો હતો. તો મોરબી રોડ ઉપર આવેલા રાજગઢ ગામે બિલેશ્વર મહાદેવ મંદિર નજીક નાલાનાં વહેતા પાણીમાં સફેદ કલરની કાર તણાઇ હતી. કારમાં 2 લોકો સવાર હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને પોલીસે આ કારની શોધખોળ શરૂ કરી છે. આ સિવાય વોર્ડ નં. 14નાં ખોડિયારનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મવડી વિસ્તારની અનેક સોસાયટીમાં પાણીની નદીઓ
આ ઉપરાંત મવડી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોકમાં પાણી ભરાયા છે. ગત વર્ષે પણ અહીં પાણી ભરાયા હતા. મનપાનાં અનેક દાવાઓ છતાં આ વર્ષે પણ અહીં સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે. જેને લઈને કોર્પોરેશનનાં અધિકારી - પદાધિકારીઓની પ્રિ-મોન્સૂનની કામગીરી પણ પાણીમાં ગઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. માત્ર 4 ઇંચ જેવા વરસાદમાં જો શહેરની આવી હાલત છે તો આગામી દિવસોમાં વધુ વરસાદ ખાબકશે તો શું તેવો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.
આજી-2 ડેમનાં પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા
જો કે વરસાદને કારણે શહેર અને જિલ્લાનાં તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ નજીક માધાપર પાસેનાં આજી-2 ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમ તેની નિર્ધારીત સપાટીએ ભરાઇ ગયો છે. અને ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. સાથે ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા, દહીસરડા, બાધી ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ પર અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલરૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં નોંધાયેલો વરસાદ
લોધિકા- 5.5 ઇંચ
રાજકોટ- 4 ઇંચ
ઉપલેટા-3 ઇંચ
કોટડાસાંગાણી-3 ઇંચ
ગોંડલ- 1 ઇંચ
જેતપુર- 0.5 ઇંચ
જામકંડોરણા- 1 ઇંચ
ધોરાજી- 3.5 ઇંચ
પડધરી- 1 ઇંચ
દર વર્ષની માફક પોપટપરાનાં નાલામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
મોરબીનાં રાજગઢ ખાતે કાર પુરમાં તણાઈ હોવાનો વિડીયો પણ વાયરલ થયો
રાજકોટના વોર્ડ નંબર 12 અને 13 નજીક ગોકુલનગર વિસ્તારમાં અંદરના ભાગે રસ્તા પર ગટરની કુંડી નજીક યોગ્ય કામ ન થયું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ
WatchGujarat. શહેર અને જિલ્લામાં રવિવારે બપોર બાદ મેઘ તાંડવ જોવા મળ્યું હતું. અને ઠેર-ઠેર ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરમાં તો માત્ર 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણીની નદી વહેવા લાગી હતી. અને દર વર્ષની માફક પોપટપરાનાં નાલામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન એક માનસિક અસ્થિર વ્યક્તિ નાલામાં ફંસાઈ જતા ફાયર વિભાગે સ્થાનિકોની મદદથી તેનું રેસ્ક્યુ કર્યું હતું. તો ગોકુલનગર વિસ્તારમાં પડેલા મોટા-મોટા ખાડાઓમાં વાહન ચાલકો પોતાના જ વાહન સાથે પડતા હોવાનાં સીસીટીવી સામે આવ્યા હતા. એટલું જ નહીં વોર્ડ નં. 14નાં ખોડિયાર નગરમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાનું સામે આવ્યું હતું. જેને લઈ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજીતરફ મોરબીનાં રાજગઢ ખાતે કાર પુરમાં તણાઈ હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે.
ગોકુલનગરમાં ભ્રષ્ટાચારનાં ખાડામાં વાહનો પડવાના સીસીટીવી સામે આવ્યા
ગોકુલનગર વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી રસ્તા પર પડેલા ખાડા નહિ દેખાતા વાહન ચાલકો વાહન પરથી પડી જતા હતા. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ગઇકાલે સાંજે વરસાદ શરૂ હતો એ દરમિયાન ગટરની કુંડીની બાજુમાં ખાડાના કારણે અનેક વાહન ચાલકો ખાડામાં પડતા હતા. અને વાહન પરથી વાહન ચાલક વાહન સહિત પડી જાય છે. એક બનાવમાં તો છકડો રિક્ષા પસાર થાય છે. અને ખાડો આવતા તેમાં બેસેલા વ્યક્તિ નીચે પડી જાય છે. અને છકડો સામે આવતા વાહન ચાલક સાથે અથડાતા બચી જાય છે. એટલે કે મોટો અકસ્માત સહેજથી અટકી જાય છે.
આ અંગે રાજકોટના વોર્ડ નંબર 12 અને 13 નજીક ગોકુલનગર વિસ્તારમાં અંદરના ભાગે રસ્તા પર ગટરની કુંડી નજીક યોગ્ય કામ ન થયું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભ્રષ્ટાચારના કારણે રસ્તા પર ખાડા પડી ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. અને વાહન ચાલકોને ચોમાસા દરમિયાન મુશ્કેલી પડી રહી હોવા માટે ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે મનપા કમિશ્નર અને મેયર કોઇ કાર્યવાહી કરશે કે પછી મૌન સેવી આ બધુ જોતા રહેશે ? સહિતનાં અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
બીજીતરફ શહેરના પોપટપરાનું નાલું પાણીથી આખું ભરાઇ જતા વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ માનસિક અસ્થિર વ્યક્તિ અંદર ફસાતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. અને સ્થાનિકો તેમજ દોરડાની મદદથી તેને હેમખેમ બહાર કાઢ્યો હતો. તો મોરબી રોડ ઉપર આવેલા રાજગઢ ગામે બિલેશ્વર મહાદેવ મંદિર નજીક નાલાનાં વહેતા પાણીમાં સફેદ કલરની કાર તણાઇ હતી. કારમાં 2 લોકો સવાર હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને પોલીસે આ કારની શોધખોળ શરૂ કરી છે. આ સિવાય વોર્ડ નં. 14નાં ખોડિયારનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મવડી વિસ્તારની અનેક સોસાયટીમાં પાણીની નદીઓ
આ ઉપરાંત મવડી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોકથી બાપા સિતારામ ચોકમાં પાણી ભરાયા છે. ગત વર્ષે પણ અહીં પાણી ભરાયા હતા. મનપાનાં અનેક દાવાઓ છતાં આ વર્ષે પણ અહીં સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે. જેને લઈને કોર્પોરેશનનાં અધિકારી - પદાધિકારીઓની પ્રિ-મોન્સૂનની કામગીરી પણ પાણીમાં ગઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. માત્ર 4 ઇંચ જેવા વરસાદમાં જો શહેરની આવી હાલત છે તો આગામી દિવસોમાં વધુ વરસાદ ખાબકશે તો શું તેવો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.
આજી-2 ડેમનાં પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા
જો કે વરસાદને કારણે શહેર અને જિલ્લાનાં તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ નજીક માધાપર પાસેનાં આજી-2 ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમ તેની નિર્ધારીત સપાટીએ ભરાઇ ગયો છે. અને ડેમના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. સાથે ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા, દહીસરડા, બાધી ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ પર અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલરૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.