અશ્વ કીચડમાં ફસાતા દ્રશ્યો જોવા લોકોના ટોળેઠોલા એકઠા થયા
રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગીરી ગોસાઈએ એક અશ્વને નદીના પટમાં ફંસાયેલો જોયો
WatchGujarat. રંગીલા રાજકોટમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં આજીનદીનાં પટમાં 1 અશ્વ કીચડમાં ફંસાયો હતો. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને અંદાજે 30 મિનિટનું દિલધડક રેસ્ક્યુ કરીને મહામહેનતે અશ્વનો જીવ બચાવ્યો હતો. જોકે આ દરમિયાન એક જવાનને કોઈ કારણોસર ભયંકર ખંજવાળ ઉપડી હતી. જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
https://youtu.be/hvGgpWo5VQE
વિડીયોમાં જોઈ શકાય છે કે અશ્વ કીચડમાં ફંસાયો છે. એ દ્રશ્યો જોવા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. આ સાથે જ ફાયરનાં જવાન દ્વારા અશ્વને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્થાનિકો દ્વારા તેમને જરૂરી મદદ કરવામાં આવી રહી છે. દિલધડક અને શ્વાસ અધ્ધર ચડાવતું આ રેસ્ક્યુ લગભગ અડધો કલાક સુધી ચાલ્યું હતું. અને ભારે જહેમત બાદ આ અશ્વને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર, આજીડેમ પાસેનાં રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગીરી ગોસાઈએ એક અશ્વને નદીના પટમાં ફંસાયેલો જોયો હતો. આથી તેણે તરત કોંગી આગેવાન રણજીત મુંધવાને આ અંગે જાણ કરી હતી. મુંધવાએ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. અને ગણતરીની મિનિટોમાં તેઓ ફાયરનાં કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજીતરફ અશ્વને આ રીતે ફંસાયેલો જોઈને લોકોના ટોળા આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન નદીમાં અશ્વને બચાવવા ઊતરેલા ફાયર બ્રિગેડના જવાનને નદીમાં ભળેલા કેમિકલની અસર થતાં શરીરે ખંજવાળ ઊપડી હતી. જેને લઈ ઘોડાને પટમાંથી બહાર કાઢ્યા બાદ કેમિકલથી સંક્રમિત થયેલા જવાનને તરત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
- અશ્વ કીચડમાં ફસાતા દ્રશ્યો જોવા લોકોના ટોળેઠોલા એકઠા થયા
- રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગીરી ગોસાઈએ એક અશ્વને નદીના પટમાં ફંસાયેલો જોયો
WatchGujarat. રંગીલા રાજકોટમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં આજીનદીનાં પટમાં 1 અશ્વ કીચડમાં ફંસાયો હતો. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને અંદાજે 30 મિનિટનું દિલધડક રેસ્ક્યુ કરીને મહામહેનતે અશ્વનો જીવ બચાવ્યો હતો. જોકે આ દરમિયાન એક જવાનને કોઈ કારણોસર ભયંકર ખંજવાળ ઉપડી હતી. જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે અશ્વ કીચડમાં ફંસાયો છે. એ દ્રશ્યો જોવા લોકોના ટોળેટોળા એકઠા થયા છે. આ સાથે જ ફાયરનાં જવાન દ્વારા અશ્વને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્થાનિકો દ્વારા તેમને જરૂરી મદદ કરવામાં આવી રહી છે. દિલધડક અને શ્વાસ અધ્ધર ચડાવતું આ રેસ્ક્યુ લગભગ અડધો કલાક સુધી ચાલ્યું હતું. અને ભારે જહેમત બાદ આ અશ્વને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર, આજીડેમ પાસેનાં રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગીરી ગોસાઈએ એક અશ્વને નદીના પટમાં ફંસાયેલો જોયો હતો. આથી તેણે તરત કોંગી આગેવાન રણજીત મુંધવાને આ અંગે જાણ કરી હતી. મુંધવાએ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. અને ગણતરીની મિનિટોમાં તેઓ ફાયરનાં કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજીતરફ અશ્વને આ રીતે ફંસાયેલો જોઈને લોકોના ટોળા આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન નદીમાં અશ્વને બચાવવા ઊતરેલા ફાયર બ્રિગેડના જવાનને નદીમાં ભળેલા કેમિકલની અસર થતાં શરીરે ખંજવાળ ઊપડી હતી. જેને લઈ ઘોડાને પટમાંથી બહાર કાઢ્યા બાદ કેમિકલથી સંક્રમિત થયેલા જવાનને તરત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.