ડોક્ટરો સહિતનાં પેરા મેડિકલ સ્ટાફમાં પણ ભયનો માહોલ હોવો સ્વાભાવિક
સંક્રમણનાં ડરે માનવતા વિસરાઈ ગઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો
એક તબક્કે પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો
પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો
WatchGujarat. શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને લઈને ડોક્ટરો સહિતનાં પેરા મેડિકલ સ્ટાફમાં પણ ભયનો માહોલ હોવો સ્વાભાવિક છે. પરંતુ સંક્રમણનાં ડરે માનવતા વિસરાઈ ગઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલે કોરોના પોઝિટીવ દર્દીની સારવાર માટે 1.10 લાખ વસુલાયા બાદ પણ મૃતદેહ લોહી નીતરતી હાલતમાં સ્મશાન પહોંચાડી દેતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. અને એક તબક્કે પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો. જો કે બાદમાં પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાનાં એક વૃદ્ધને કોરોનાની સારવાર માટે શહેરની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જયાં મંગળવારે સવારે 10 વાગ્યે તેમણે દમ તોડી દીધો હતો. આ અંગે મહાપાલિકાનાં ફાયર વિભાગમાંથી 80 ફૂટ રોડ પરના સોરઠિયાવાડી સ્મશાનને બપોરે 12 વાગ્યે જાણ થઈ હતી. અને બપોરે 4 વાગ્યે મૃતદેહ સ્મશાને પહોંચ્યો હતો.
પરંતુ ત્યાં એબ્યુલન્સમાંથી મૃતદેહ ઉતારવામાં આવતાં જ મૃતકનાં પરિવારજનો સહિત ત્યાં હાજર લોકોમાં ધ્રુજારી ફેલાઈ હતી. કારણ કે મૃતકના કાન-નાકમાંથી રક્તસ્ત્રાવ ચાલુ હોવાથી આખી પી.પી.ઈ. કિટ પણ લોહીલુહાણ થઈ ગઈ હતી. જેને લઈ મૃતકનાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન એમ્બ્યુલન્સ જતી રહી હોવાથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મહામહેનતે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કોઈ વ્યક્તિનાં મૃત્યુ બાદ નાક-કાનમાં રૂ ભરાવી દેવાની તથા શરીર ઉપર જયાંથી નિડલ્સ કાઢી હોય ત્યાં ટેપ મારી દેવાની એક આવશ્યક મેડિકલ પ્રોસિજર હોય છે. પરંતુ દર્દી કોરોના પોઝીટીવ હોવાથી આવી કોઈ પ્રોસિજર ન થઈ કે પછી હોસ્પિટલ સ્ટાફ સંક્રમણનાં ભયમાં ફરજ ચૂકી ગયો તે તપાસનો વિષય છે. પરંતુ સ્ટાફની આ બેદરકારીને લઈ મૃતદેહ લોહી નિતરતી હાલતમાં સ્મશાન પહોંચ્યો હતો તે હકીકત છે.
ડોક્ટરો સહિતનાં પેરા મેડિકલ સ્ટાફમાં પણ ભયનો માહોલ હોવો સ્વાભાવિક
સંક્રમણનાં ડરે માનવતા વિસરાઈ ગઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો
એક તબક્કે પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો
પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો
WatchGujarat. શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને લઈને ડોક્ટરો સહિતનાં પેરા મેડિકલ સ્ટાફમાં પણ ભયનો માહોલ હોવો સ્વાભાવિક છે. પરંતુ સંક્રમણનાં ડરે માનવતા વિસરાઈ ગઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલે કોરોના પોઝિટીવ દર્દીની સારવાર માટે 1.10 લાખ વસુલાયા બાદ પણ મૃતદેહ લોહી નીતરતી હાલતમાં સ્મશાન પહોંચાડી દેતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. અને એક તબક્કે પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો. જો કે બાદમાં પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાનાં એક વૃદ્ધને કોરોનાની સારવાર માટે શહેરની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જયાં મંગળવારે સવારે 10 વાગ્યે તેમણે દમ તોડી દીધો હતો. આ અંગે મહાપાલિકાનાં ફાયર વિભાગમાંથી 80 ફૂટ રોડ પરના સોરઠિયાવાડી સ્મશાનને બપોરે 12 વાગ્યે જાણ થઈ હતી. અને બપોરે 4 વાગ્યે મૃતદેહ સ્મશાને પહોંચ્યો હતો.
પરંતુ ત્યાં એબ્યુલન્સમાંથી મૃતદેહ ઉતારવામાં આવતાં જ મૃતકનાં પરિવારજનો સહિત ત્યાં હાજર લોકોમાં ધ્રુજારી ફેલાઈ હતી. કારણ કે મૃતકના કાન-નાકમાંથી રક્તસ્ત્રાવ ચાલુ હોવાથી આખી પી.પી.ઈ. કિટ પણ લોહીલુહાણ થઈ ગઈ હતી. જેને લઈ મૃતકનાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન એમ્બ્યુલન્સ જતી રહી હોવાથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મહામહેનતે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કોઈ વ્યક્તિનાં મૃત્યુ બાદ નાક-કાનમાં રૂ ભરાવી દેવાની તથા શરીર ઉપર જયાંથી નિડલ્સ કાઢી હોય ત્યાં ટેપ મારી દેવાની એક આવશ્યક મેડિકલ પ્રોસિજર હોય છે. પરંતુ દર્દી કોરોના પોઝીટીવ હોવાથી આવી કોઈ પ્રોસિજર ન થઈ કે પછી હોસ્પિટલ સ્ટાફ સંક્રમણનાં ભયમાં ફરજ ચૂકી ગયો તે તપાસનો વિષય છે. પરંતુ સ્ટાફની આ બેદરકારીને લઈ મૃતદેહ લોહી નિતરતી હાલતમાં સ્મશાન પહોંચ્યો હતો તે હકીકત છે.