WatchGujarat. વ્યક્તિનું મોત ક્યારે ક્યાં અને કેવી રીતે થાય તે કોઈપણ કહી શકતું નથી. ઘણીવખત ખુશીના કારણે લોકોને એટેક આવી જાય છે. તો ક્યારેક અતિશય દુખી વ્યક્તિ બે-બે એટેક આવ્યા છતાં સ્વસ્થ થઈ જાય છે. ત્યારે રાજકોટમાં પણ મોતની એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં જાણીતા ધારાશાસ્ત્રી અતુલભાઈ સંઘવી ફેસબુકમાં લાઈવ હતા. અને 'ન તું જમીન કે લિયે હે ન આસમાન કે લિયે' ગીત વાગી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એટેક આવી જતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તેઓ ફેસબુકમાં લાઈવ હોવાથી મોતની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. અને હાલ તેનો વિડીયો સામે આવ્યો છે.
[caption id="attachment_1278454" align="aligncenter" width="1280"] Atul Sanghvi[/caption]
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ધારાશાસ્ત્રી અતુલ સંઘવી ફેસબુકમાં લાઈવ છે. અને એક બાદ એક જુના ગીતો વગાડી-સાંભળી રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો આ લાઈવ નિહાળી રહ્યા છે. દરમિયાન અચાનક અતુલભાઈને એટેક આવતા તેઓ ખુરશીમાં ઢળી પડે છે. અને અમુક સેકન્ડ તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય તેવું જોવા મળે છે. જેને લઈ લાઈવમાં જોડાયેલા લોકો પણ શુ થયું અતુલભાઈ ? જેવા સવાલો પૂછે છે, પરંતુ ગણતરીની સેકંડોમાં અતુલભાઈ દમ તોડી દે છે.
ઉલ્લેખનીય છે કે, અતુલભાઈ સંઘવી ફેસબુક લાઈવ કરતા રહેતા હતા. જેમાં તેઓ જૂના ગીતો સાંભળતા અને ગાતા જોવા મળતા હતા. આવી જ રીતે તેમણે ગઈકાલે રાત્રે પણ ફેસબુક લાઈવ શરુ કર્યું હતું. લાઈવ શરુ કર્યું ત્યારે તો તેઓ એકદમ સ્વસ્થ જણાતા હતા. પરંતુ અમુક સેકંડો બાદ અચાનક જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવે છે. અતુલભાઈને અસ્વસ્થ જોઈ તેમનો દીકરો ત્યાં પહોંચી જાય છે. જોકે પુત્ર કંઈ સમજે તે પહેલા જ અતુલભાઈ જમીન પર પડી ગયા હતા.
ધારાશાસ્ત્રી અતુલભાઈનો જન્મ 30 માર્ચ 1961નાં રોજ થયો હતો. રાજકોટની સરકારી એ. એમ. પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી તેમણે 1983થી વકીલાત શરૂ કરી હતી. આ ઉપરાંત પણ તેઓ અનેક સામાજીક, સેવાકીય અને જીવદયાને લગતી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. એટલું જ નહીં અનેક રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને પ્રાઈવેટ બેંકોમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર અને મિત્રોમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.
WatchGujarat. વ્યક્તિનું મોત ક્યારે ક્યાં અને કેવી રીતે થાય તે કોઈપણ કહી શકતું નથી. ઘણીવખત ખુશીના કારણે લોકોને એટેક આવી જાય છે. તો ક્યારેક અતિશય દુખી વ્યક્તિ બે-બે એટેક આવ્યા છતાં સ્વસ્થ થઈ જાય છે. ત્યારે રાજકોટમાં પણ મોતની એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં જાણીતા ધારાશાસ્ત્રી અતુલભાઈ સંઘવી ફેસબુકમાં લાઈવ હતા. અને 'ન તું જમીન કે લિયે હે ન આસમાન કે લિયે' ગીત વાગી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એટેક આવી જતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તેઓ ફેસબુકમાં લાઈવ હોવાથી મોતની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. અને હાલ તેનો વિડીયો સામે આવ્યો છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ધારાશાસ્ત્રી અતુલ સંઘવી ફેસબુકમાં લાઈવ છે. અને એક બાદ એક જુના ગીતો વગાડી-સાંભળી રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો આ લાઈવ નિહાળી રહ્યા છે. દરમિયાન અચાનક અતુલભાઈને એટેક આવતા તેઓ ખુરશીમાં ઢળી પડે છે. અને અમુક સેકન્ડ તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય તેવું જોવા મળે છે. જેને લઈ લાઈવમાં જોડાયેલા લોકો પણ શુ થયું અતુલભાઈ ? જેવા સવાલો પૂછે છે, પરંતુ ગણતરીની સેકંડોમાં અતુલભાઈ દમ તોડી દે છે.
ઉલ્લેખનીય છે કે, અતુલભાઈ સંઘવી ફેસબુક લાઈવ કરતા રહેતા હતા. જેમાં તેઓ જૂના ગીતો સાંભળતા અને ગાતા જોવા મળતા હતા. આવી જ રીતે તેમણે ગઈકાલે રાત્રે પણ ફેસબુક લાઈવ શરુ કર્યું હતું. લાઈવ શરુ કર્યું ત્યારે તો તેઓ એકદમ સ્વસ્થ જણાતા હતા. પરંતુ અમુક સેકંડો બાદ અચાનક જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવે છે. અતુલભાઈને અસ્વસ્થ જોઈ તેમનો દીકરો ત્યાં પહોંચી જાય છે. જોકે પુત્ર કંઈ સમજે તે પહેલા જ અતુલભાઈ જમીન પર પડી ગયા હતા.
ધારાશાસ્ત્રી અતુલભાઈનો જન્મ 30 માર્ચ 1961નાં રોજ થયો હતો. રાજકોટની સરકારી એ. એમ. પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી તેમણે 1983થી વકીલાત શરૂ કરી હતી. આ ઉપરાંત પણ તેઓ અનેક સામાજીક, સેવાકીય અને જીવદયાને લગતી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. એટલું જ નહીં અનેક રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને પ્રાઈવેટ બેંકોમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર અને મિત્રોમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.