PM મોદીએ રાજકોટ સહિત દેશનાં 6 શહેરમાં ચાલી રહેલા લાઇટહાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કર્યું
રાજકોટમાં ચાલતો પ્રોજેકટ 10 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા - મ્યુ. કમિશ્નર અમિત અરોરા
લાભાર્થીઓને ડ્રો દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવશે
WatchGujarat. મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત 1 જાન્યુઆરી 2021નાં રોજ PM મોદીના હસ્તે કરાયું હતું. પ્રધાનમંત્રી તેના આ ડ્રીમ પ્રોજેકટની સમીક્ષા કરી રહ્યા છે. જેમાં અંતર્ગત આજરોજ તેમણે રાજકોટ સહિત દેશનાં 6 શહેરમાં ચાલી રહેલા લાઇટહાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કર્યું હતું. અને બાદમાં અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી આ પ્રોજેકટની વિગતો મેળવી હતી.
https://youtu.be/bCfXStWhFsg
આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કહ્યું હતું કે, PM મોદીએ તેમના ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસનું ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કર્યું હતું. અને ત્યારબાદ તમામ 6 શહેરોના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી આ પ્રોજેકટ અંગેની વિગતો મેળવી છે. રાજકોટમાં ચાલતો પ્રોજેકટ 10 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. અને ત્યારબાદ લાભાર્થીઓને ડ્રો દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવનાર છે.
જાણો શું છે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. જો કે વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી.
આ 54 ટેકનોલોજી પૈકી રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ રૂપિયા 118 કરોડના ખર્ચે 1144 આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખની સહાય આપવામાં આવી છે. ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર દ્વારા પ્રતિ આવાસ રૂ.4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પણ આપવામાં આવનાર છે.
જાણો દેશના વિવિધ શહેરોમાં કઈ કેટેગરીનાં આવાસો નિર્માણ પામી રહ્યા છે
રાંચીમાં - પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સ્ટ્રક્શન સિસ્ટમ થ્રીડી વોલ્યુમેટ્રીક કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ચેનાઇમાં - પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ - પ્રિકાસ્ટ કમ્પોનેન્ટ્સ અસેમ્બ્લડ એટ સાઈટ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
અગરતલામાં લાઈટ ગૌગ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ - પ્રિ એન્જિનિયરડ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ઇન્દોરમાં - પ્રિફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
રાજકોટમાં - મોનોલીથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
લખનૌમાં - સ્ટે ઈન પ્લેસ ફોર્મવર્ક સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
જાણો રાજકોટમાં બનતા આવાસોની મોનોલીથિક ટેકનોલોજીની વિશેષતા
આ પ્રકાર ની ટેકનોલોજીના ઉપયોગ થી નિર્માણ કાર્ય ઝડપથી થઇ શકે છે.
ઉપયોગ શરૂ કર્યા પછી બાંધકામ અંગે દેખરેખ, સાર સંભાળ ઓછો રાખવી પડે છે
બાંધકામ પ્રમાણમાં મજબૂત અને ટકાઉ બને છે
ટનલ સિસ્ટમમાં બોક્ષ પ્રકારની કન્સટ્રકટીવ રચના હોવાના કારણે ભૂકંપ, વાવાઝોડા સહિતની કુદરતી આફતોથી રક્ષણ મેળવી શકાય છે.
મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યા મુજબ, અહીં નિર્માણ પામી રહેલા 1144 જેટલા આવાસો અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ડ્રો પણ કરવામાં આવ્યો છે. જેમના લાભાર્થીની પસંદગી પણ મનપા દ્વારા કરવામાં આવી ચુકી છે. તેમજ વર્ષ 2021નાં અંત સુધીમાં લાભાર્થીઓને આવાસોની સોપણી પણ કરવામાં આવશે.
PM મોદીએ રાજકોટ સહિત દેશનાં 6 શહેરમાં ચાલી રહેલા લાઇટહાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કર્યું
લાભાર્થીઓને ડ્રો દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવશે
WatchGujarat. મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત 1 જાન્યુઆરી 2021નાં રોજ PM મોદીના હસ્તે કરાયું હતું. પ્રધાનમંત્રી તેના આ ડ્રીમ પ્રોજેકટની સમીક્ષા કરી રહ્યા છે. જેમાં અંતર્ગત આજરોજ તેમણે રાજકોટ સહિત દેશનાં 6 શહેરમાં ચાલી રહેલા લાઇટહાઉસ પ્રોજેકટનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કર્યું હતું. અને બાદમાં અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી આ પ્રોજેકટની વિગતો મેળવી હતી.
આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કહ્યું હતું કે, PM મોદીએ તેમના ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસનું ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કર્યું હતું. અને ત્યારબાદ તમામ 6 શહેરોના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી આ પ્રોજેકટ અંગેની વિગતો મેળવી છે. રાજકોટમાં ચાલતો પ્રોજેકટ 10 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. અને ત્યારબાદ લાભાર્થીઓને ડ્રો દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવનાર છે.
જાણો શું છે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. જો કે વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી.
આ 54 ટેકનોલોજી પૈકી રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ રૂપિયા 118 કરોડના ખર્ચે 1144 આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.50 લાખની સહાય આપવામાં આવી છે. ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર દ્વારા પ્રતિ આવાસ રૂ.4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પણ આપવામાં આવનાર છે.
જાણો દેશના વિવિધ શહેરોમાં કઈ કેટેગરીનાં આવાસો નિર્માણ પામી રહ્યા છે
આ પ્રકાર ની ટેકનોલોજીના ઉપયોગ થી નિર્માણ કાર્ય ઝડપથી થઇ શકે છે.
ઉપયોગ શરૂ કર્યા પછી બાંધકામ અંગે દેખરેખ, સાર સંભાળ ઓછો રાખવી પડે છે
બાંધકામ પ્રમાણમાં મજબૂત અને ટકાઉ બને છે
ટનલ સિસ્ટમમાં બોક્ષ પ્રકારની કન્સટ્રકટીવ રચના હોવાના કારણે ભૂકંપ, વાવાઝોડા સહિતની કુદરતી આફતોથી રક્ષણ મેળવી શકાય છે.
મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યા મુજબ, અહીં નિર્માણ પામી રહેલા 1144 જેટલા આવાસો અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ડ્રો પણ કરવામાં આવ્યો છે. જેમના લાભાર્થીની પસંદગી પણ મનપા દ્વારા કરવામાં આવી ચુકી છે. તેમજ વર્ષ 2021નાં અંત સુધીમાં લાભાર્થીઓને આવાસોની સોપણી પણ કરવામાં આવશે.