સિવિલે મ્યુકરમાઇકોસીસનાં 800 ઓપરેશન દ્વારા દેશભરમાં નવો રેકોર્ડ સર્જ્યો છે
રિકવરી રેટ વધીને 99 ટકા નજીક પહોંચી ગયો
અગાઉ ચાલતા 100થી વધુ સંજીવની રથની સંખ્યા હવે ત્રણ કરી દેવામાં આવી
WatchGujarat. શહેરમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસ પણ મંદ પડ્યો છે. અને મ્યુકરનાં વળતા પાણી થયા હોય તે રીતે નવા દર્દીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ તંત્રએ જણાવ્યા મુજબ, હાલ દરરોજ એકાદ-બે કેસ આવે છે. અત્યાર સુધી 800 દર્દીઓના ઓપરેશન કરાયા છે. અને માત્ર બે દર્દી ફિટ નહીં હોવાને કારણે તેની સર્જરી પેન્ડિંગ છે. સિવિલે મ્યુકરમાઇકોસીસનાં 800 ઓપરેશન દ્વારા દેશભરમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. હાલ ઓપરેશન થઈ ગયેલા 90 દર્દીઓ સમરસમાં અને 92 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ છે. અને દસ દિવસમાં મ્યુકોરના લગભગ તમામ દર્દીઓ ડિસ્ચાર્જ થવાની પૂરતી શક્યતા છે.
બીજીતરફ સિવિલમાં કોરોનાના માત્ર 4 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. અને ગત એક સપ્તાહમાં માત્ર 2 દર્દીઓ ઓક્સીજનની કમી વર્તાતા દાખલ થયા હતા. જ્યારે શહેરની અન્ય હોસ્પિટલોમાં હાલ 86 દર્દીઓ સારવાર હેઠળ છે. મનપાનાં સત્તાવાર આંકડા મુજબ રવિવારે ઠેર-ઠેર ભીડ એકથી થઈ હોવા છતાં ત્યારબાદ બે દિવસમાં માત્ર 10 નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટ વધીને 99 ટકા નજીક પહોંચી ગયો છે. આ કારણે જ અગાઉ ચાલતા 100થી વધુ સંજીવની રથની સંખ્યા હવે ત્રણ કરી દેવામાં આવી છે. જ્યારે ટેસ્ટિંગ બુથ બંધ કરી માત્ર ધન્વંતરી રથથી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
સિવિલ અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ કદાચ ત્રીજી લહેર આવે તો પણ લોકોને બેડ-ઓક્સીજનની તંગી ન વર્તાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ સિવિલમાં 840 ઓક્સીજન બેડ અને નોનકોવિડ માટેનાં 650 બેડ પૈકી પણ 75% બેડમાં ઓક્સીજનની સુવિધા ઉભી કરાઈ રહી છે. સાથે જ સમરસ હોસ્ટેલ આઈસીયુ સાથેની હોસ્પિટલમાં ફેરવાઈ રહી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી રૂપાણીનાં આદેશ અનુસાર ઢેબર સેનેટોરિયમમાં 400 બેડ ઉભા કરવા કવાયત શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
સિવિલે મ્યુકરમાઇકોસીસનાં 800 ઓપરેશન દ્વારા દેશભરમાં નવો રેકોર્ડ સર્જ્યો છે
રિકવરી રેટ વધીને 99 ટકા નજીક પહોંચી ગયો
અગાઉ ચાલતા 100થી વધુ સંજીવની રથની સંખ્યા હવે ત્રણ કરી દેવામાં આવી
WatchGujarat. શહેરમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસ પણ મંદ પડ્યો છે. અને મ્યુકરનાં વળતા પાણી થયા હોય તે રીતે નવા દર્દીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ તંત્રએ જણાવ્યા મુજબ, હાલ દરરોજ એકાદ-બે કેસ આવે છે. અત્યાર સુધી 800 દર્દીઓના ઓપરેશન કરાયા છે. અને માત્ર બે દર્દી ફિટ નહીં હોવાને કારણે તેની સર્જરી પેન્ડિંગ છે. સિવિલે મ્યુકરમાઇકોસીસનાં 800 ઓપરેશન દ્વારા દેશભરમાં નવો રેકોર્ડ સર્જ્યો છે. હાલ ઓપરેશન થઈ ગયેલા 90 દર્દીઓ સમરસમાં અને 92 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ છે. અને દસ દિવસમાં મ્યુકોરના લગભગ તમામ દર્દીઓ ડિસ્ચાર્જ થવાની પૂરતી શક્યતા છે.
બીજીતરફ સિવિલમાં કોરોનાના માત્ર 4 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. અને ગત એક સપ્તાહમાં માત્ર 2 દર્દીઓ ઓક્સીજનની કમી વર્તાતા દાખલ થયા હતા. જ્યારે શહેરની અન્ય હોસ્પિટલોમાં હાલ 86 દર્દીઓ સારવાર હેઠળ છે. મનપાનાં સત્તાવાર આંકડા મુજબ રવિવારે ઠેર-ઠેર ભીડ એકથી થઈ હોવા છતાં ત્યારબાદ બે દિવસમાં માત્ર 10 નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટ વધીને 99 ટકા નજીક પહોંચી ગયો છે. આ કારણે જ અગાઉ ચાલતા 100થી વધુ સંજીવની રથની સંખ્યા હવે ત્રણ કરી દેવામાં આવી છે. જ્યારે ટેસ્ટિંગ બુથ બંધ કરી માત્ર ધન્વંતરી રથથી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
સિવિલ અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ કદાચ ત્રીજી લહેર આવે તો પણ લોકોને બેડ-ઓક્સીજનની તંગી ન વર્તાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ સિવિલમાં 840 ઓક્સીજન બેડ અને નોનકોવિડ માટેનાં 650 બેડ પૈકી પણ 75% બેડમાં ઓક્સીજનની સુવિધા ઉભી કરાઈ રહી છે. સાથે જ સમરસ હોસ્ટેલ આઈસીયુ સાથેની હોસ્પિટલમાં ફેરવાઈ રહી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી રૂપાણીનાં આદેશ અનુસાર ઢેબર સેનેટોરિયમમાં 400 બેડ ઉભા કરવા કવાયત શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.