કોઠારીયા રોડની સ્વાતિ પાર્ક સોસાયટી દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓનાં અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી
તમામ રાજકીય પક્ષોને મત માંગવાની મનાઈ ફરમાવતા બોર્ડ લગાવ્યા
WatchGujarat હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે વર્ષોથી મુશ્કેલીઓ વેઠી રહેલા પ્રજાજનો પણ મત માંગવા આવતા નેતાઓ સુધી તેની સમસ્યાઓ પહોંચાડવા માટે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે આ શ્રેણીમાં વધુ એક સોસાયટી પણ જોડાઈ છે. કોઠારીયા રોડની સ્વાતિ પાર્ક સોસાયટી દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓનાં અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેને લઈને વિકાસનાં દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે.
રાજકોટનાં વોર્ડ નંબર 18નાં કોઠારીયા રોડ નજીક આવેલી સ્વાતિ પાર્ક સોસાયટીનાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. સાથે તમામ રાજકીય પક્ષોને મત માંગવાની મનાઈ ફરમાવતા બોર્ડ લગાવ્યા છે. અહીં રહેતી મહિલાઓનાં જણાવ્યા મુજબ, દસ્તાવેજવાળા મકાન હોઈ રેગ્યુલર વેરો ભરવા છતાં પણ શુદ્ધ પાણી, સફાઈ, ટીપર વાન સહિતની કોઈપણ સુવિધા અપાતી નથી. આ માટે વારંવાર રજુઆત કરવા છતાં હજુસુધી કોઈ પગલાં લેવાયા નથી. નેતાઓ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભૂલી જતા હોવાનો આક્ષેપ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે અત્યાર સુધીમાં રાજકોટની પાંચથી વધારે સોસાયટીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે ખરેખર ગંભીર બાબત ગણી શકાય. અને સતાપક્ષ સામે સીધો રોષ હોવાનું પણ આ જોતા લાગી રહ્યું છે. જો કે ભાજપ દ્વારા આવા કોઈ મુદ્દાઓને ગંભીરતાથી લેવાતા હોય તેવું લાગતું નથી. કારણ કે ભાજપનાં ચૂંટણી ઢંઢેરામાં પણ પ્રાથમિક સુવિધાને લાગતી કોઈપણ બાબતનો ઉલ્લેખ સુધ્ધાં કરાયો નથી. ત્યારે આ નારાજ લોકોને કારણે ભાજપની વોટબેંક ઉપર કેવી અસર પડશે તે જોવું રહ્યું.
કોઠારીયા રોડની સ્વાતિ પાર્ક સોસાયટી દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓનાં અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી
તમામ રાજકીય પક્ષોને મત માંગવાની મનાઈ ફરમાવતા બોર્ડ લગાવ્યા
WatchGujarat હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે વર્ષોથી મુશ્કેલીઓ વેઠી રહેલા પ્રજાજનો પણ મત માંગવા આવતા નેતાઓ સુધી તેની સમસ્યાઓ પહોંચાડવા માટે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે આ શ્રેણીમાં વધુ એક સોસાયટી પણ જોડાઈ છે. કોઠારીયા રોડની સ્વાતિ પાર્ક સોસાયટી દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓનાં અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેને લઈને વિકાસનાં દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે.
રાજકોટનાં વોર્ડ નંબર 18નાં કોઠારીયા રોડ નજીક આવેલી સ્વાતિ પાર્ક સોસાયટીનાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. સાથે તમામ રાજકીય પક્ષોને મત માંગવાની મનાઈ ફરમાવતા બોર્ડ લગાવ્યા છે. અહીં રહેતી મહિલાઓનાં જણાવ્યા મુજબ, દસ્તાવેજવાળા મકાન હોઈ રેગ્યુલર વેરો ભરવા છતાં પણ શુદ્ધ પાણી, સફાઈ, ટીપર વાન સહિતની કોઈપણ સુવિધા અપાતી નથી. આ માટે વારંવાર રજુઆત કરવા છતાં હજુસુધી કોઈ પગલાં લેવાયા નથી. નેતાઓ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભૂલી જતા હોવાનો આક્ષેપ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે અત્યાર સુધીમાં રાજકોટની પાંચથી વધારે સોસાયટીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે ખરેખર ગંભીર બાબત ગણી શકાય. અને સતાપક્ષ સામે સીધો રોષ હોવાનું પણ આ જોતા લાગી રહ્યું છે. જો કે ભાજપ દ્વારા આવા કોઈ મુદ્દાઓને ગંભીરતાથી લેવાતા હોય તેવું લાગતું નથી. કારણ કે ભાજપનાં ચૂંટણી ઢંઢેરામાં પણ પ્રાથમિક સુવિધાને લાગતી કોઈપણ બાબતનો ઉલ્લેખ સુધ્ધાં કરાયો નથી. ત્યારે આ નારાજ લોકોને કારણે ભાજપની વોટબેંક ઉપર કેવી અસર પડશે તે જોવું રહ્યું.