નામચીન બુટલેગર જય ઉર્ફ માજન અને જયેશ ઉર્ફ બોદીયોને 'પાસા'માં ધકેલવાનો હુકમ કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો
ક્રાઇમ બ્રાંચ - ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી આ બંનેને અમદાવાદ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી
WatchGujarat શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ત્યારે કાયદો-વ્યવસ્થાને જાળવી રાખવા માટે પોલીસ વધુ સતર્ક બની છે. જે અંતર્ગત પોલીસ કમિશ્નરે બે નામચીન બુટલેગર જય ઉર્ફ માજન અને જયેશ ઉર્ફ બોદીયોને 'પાસા'માં ધકેલવાનો હુકમ કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ કમિશ્નરનાં હુકમને આધારે ક્રાઇમ બ્રાંચ - ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી આ બંનેને અમદાવાદ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઇમ બ્રાંચે દારૂના ગુનામાં ઝડપી લીધેલા જય ઉર્ફ માજન પ્રફુલભાઇ લાઠીગરાને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકી હતી. આ દરખાસ્તને મનોજ અગ્રવાલે મંજુર કરતાં જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને તેમની ટીમે આ વોરંટની બજવણી કરી જય ઉર્ફ માજનને અમદાવાદ જેલહવાલે કર્યો છે.
બીજીતરફ ભક્તિનગર પોલીસનાં હાથે પણ વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા જયેશ ઉર્ફ બોદીયો ભાઇલાલ ચોૈહાણ સામે અગાઉ પણ આ પ્રકારના અનેક ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ભક્તિનગર પોલીસે આરોપીની 'પાસા' દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલી હતી. જેના ઉપર પોલીસ કમિશ્નર અગ્રવાલે મંજૂરીની મહોર મારતા તેને પણ અમદાવાદ જેલહવાલે કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, પાસાનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ અનેક નામચીન ગુનેગારોને પાસામાં ધકેલવામાં આવી ચુક્યા છે. અને શહેરના ગુનાખોરીનાં ગ્રાફમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વધુ બે બુટલેગરો પાસામાં ધકેલાતા આગામી ચૂંટણીમાં દારૂની હેરાફેરી પર કેટલો કન્ટ્રોલ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
નામચીન બુટલેગર જય ઉર્ફ માજન અને જયેશ ઉર્ફ બોદીયોને 'પાસા'માં ધકેલવાનો હુકમ કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો
ક્રાઇમ બ્રાંચ - ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી આ બંનેને અમદાવાદ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી
WatchGujarat શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ત્યારે કાયદો-વ્યવસ્થાને જાળવી રાખવા માટે પોલીસ વધુ સતર્ક બની છે. જે અંતર્ગત પોલીસ કમિશ્નરે બે નામચીન બુટલેગર જય ઉર્ફ માજન અને જયેશ ઉર્ફ બોદીયોને 'પાસા'માં ધકેલવાનો હુકમ કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ કમિશ્નરનાં હુકમને આધારે ક્રાઇમ બ્રાંચ - ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી આ બંનેને અમદાવાદ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઇમ બ્રાંચે દારૂના ગુનામાં ઝડપી લીધેલા જય ઉર્ફ માજન પ્રફુલભાઇ લાઠીગરાને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકી હતી. આ દરખાસ્તને મનોજ અગ્રવાલે મંજુર કરતાં જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને તેમની ટીમે આ વોરંટની બજવણી કરી જય ઉર્ફ માજનને અમદાવાદ જેલહવાલે કર્યો છે.
બીજીતરફ ભક્તિનગર પોલીસનાં હાથે પણ વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા જયેશ ઉર્ફ બોદીયો ભાઇલાલ ચોૈહાણ સામે અગાઉ પણ આ પ્રકારના અનેક ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ભક્તિનગર પોલીસે આરોપીની 'પાસા' દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલી હતી. જેના ઉપર પોલીસ કમિશ્નર અગ્રવાલે મંજૂરીની મહોર મારતા તેને પણ અમદાવાદ જેલહવાલે કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, પાસાનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ અનેક નામચીન ગુનેગારોને પાસામાં ધકેલવામાં આવી ચુક્યા છે. અને શહેરના ગુનાખોરીનાં ગ્રાફમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વધુ બે બુટલેગરો પાસામાં ધકેલાતા આગામી ચૂંટણીમાં દારૂની હેરાફેરી પર કેટલો કન્ટ્રોલ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.