વશરામ સાગઠિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર મૂકવા માંગ કરવામાં આવી
મનપા અને શાસકો બાબા સાહેબના તૈલી ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છે - પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા
પોલીસ દ્વારા ટીંગટોળી કરી તમામની અટકાયત કરી લેવામાં આવી
Watchgujarat. મનપાના પૂર્વ વિપક્ષનેતા અને હાલના વોર્ડ નંબર 15ના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા મનપા કચેરી ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે આજરોજ દલિત સમાજના આગેવાનો સાથે રાખી સાગઠિયાએ મનપા કચેરી ખાતે ધરણા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સાગઠિયા અને સમાજના આગેવાનો ધરણા કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત સમયે આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા.
વશરામ સાગઠિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર મૂકવા માંગ કરવામાં આવી રહી છે. અને આ અંગે તેમણે લેખિત રજૂઆતો પણ કરી છે. જોકે મનપા દ્વારા આ અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવતા રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપા અને શાસકો બાબા સાહેબના તૈલી ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છે. માટે ધરણા યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે આ સમયે ધરણા માટે સાગઠિયા, સમાજના આગેવાનો અને કાર્યકર્તા બેસે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઇ હતી.
આ તકે વશરામ સાગઠિયા અને દલિત આગેવાનોએ મનપા કચેરીમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર મુકવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મનપા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરી તમામે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ તેઓ ઉપવાસ પર બેસે તે પહેલા પોલીસ આવી ગઈ હતી. અને તમામની અટકાયત કરી હતી. અટકાયત સમયે જ પોલીસ અને દલિત આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલીની સાથે ઝપાઝપી સર્જાઈ હતી. જો કે પોલીસ દ્વારા ટીંગટોળી કરી તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.
વશરામ સાગઠિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર મૂકવા માંગ કરવામાં આવી
મનપા અને શાસકો બાબા સાહેબના તૈલી ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છે - પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા
પોલીસ દ્વારા ટીંગટોળી કરી તમામની અટકાયત કરી લેવામાં આવી
Watchgujarat. મનપાના પૂર્વ વિપક્ષનેતા અને હાલના વોર્ડ નંબર 15ના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા મનપા કચેરી ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે આજરોજ દલિત સમાજના આગેવાનો સાથે રાખી સાગઠિયાએ મનપા કચેરી ખાતે ધરણા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સાગઠિયા અને સમાજના આગેવાનો ધરણા કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત સમયે આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા.
વશરામ સાગઠિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર મૂકવા માંગ કરવામાં આવી રહી છે. અને આ અંગે તેમણે લેખિત રજૂઆતો પણ કરી છે. જોકે મનપા દ્વારા આ અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવતા રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપા અને શાસકો બાબા સાહેબના તૈલી ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છે. માટે ધરણા યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે આ સમયે ધરણા માટે સાગઠિયા, સમાજના આગેવાનો અને કાર્યકર્તા બેસે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઇ હતી.
આ તકે વશરામ સાગઠિયા અને દલિત આગેવાનોએ મનપા કચેરીમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર મુકવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મનપા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરી તમામે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ તેઓ ઉપવાસ પર બેસે તે પહેલા પોલીસ આવી ગઈ હતી. અને તમામની અટકાયત કરી હતી. અટકાયત સમયે જ પોલીસ અને દલિત આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલીની સાથે ઝપાઝપી સર્જાઈ હતી. જો કે પોલીસ દ્વારા ટીંગટોળી કરી તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.