"તાઉતે'' વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના તાલુકાઓમાં થઈ રહેલી વીજ પુનઃસ્થાપનની પ્રક્રિયા વિશે પણ વિગતવાર ચર્ચા રાજકોટમાં સૌરભ પટેલે કરી
ખૂબ મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાનું સામે આવતા આ ચોરી અટકાવવા જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને વીજચોરી કરતા વિસ્તારોમાં સઘન તપાસ કરવાની અધિકારીઓને સૂચના
ઉર્જામંત્રીએ કિસાન સૂર્યોદય, જ્યોતિગ્રામ, થ્રી ફેઇઝના કૃષિ વીજ કનેક્શન વગેરે જેવી સરકારી યોજનાઓની ઉર્જામંત્રીએ છણાવટ કરી
WatchGujarat. ગતરોજ ઉર્જામંત્રી સૌરભ પટેલ હાજરીમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં PGVCL વિભાગની સમીક્ષા બેઠક મળી હતી. કોર્પોરેટ ભવન ખાતેના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં સૌરભ પટેલે વીજચોરી બંધ કરાવવા પોલીસ પ્રોટેક્શન સાથે તૂટી પડવા આદેશ આપ્યા છે. આ સાથે જ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા, એવરેજ ઈન્ટરપ્શનનુ ધ્યાન રાખવા, ફીડરોની યોગ્ય જાળવણી કરવા, લાઇનવર્ક દુરસ્ત કરવા, વધુ લોસવાળા ફીડરનુ ચેકિંગ કરવા સહિતની મહત્વની સૂચનાઓ પણ આપી હતી.
આ બેઠકમાં મેનેજિંગ ડિરેક્ટર ધીરજકુમાર પંડ્યાએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની વીજળી વિભાગની પરિસ્થિતિ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉર્જામંત્રીને વાકેફ કર્યા હતા. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાનું સામે આવતા આ ચોરી અટકાવવા જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને વીજચોરી કરતા વિસ્તારોમાં સઘન તપાસ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ સામાન્ય નાગરિકોની તકલીફો નિવારવા અને પાવર કટનો સમય ઓછામાં ઓછો રાખવા તાકીદ કરી હતી.
ઉપરાંત ઉર્જામંત્રીએ મરામત હેઠળના ટ્રાન્સફોર્મરનો સ્ટોક જાળવવા પણ જણાવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં વીજ પુરવઠાની જાળવણી પૂર્વવત કરી શકાય. કિસાન સૂર્યોદય, જ્યોતિગ્રામ, થ્રી ફેઇઝના કૃષિ વીજ કનેક્શન વગેરે જેવી સરકારી યોજનાઓની ઉર્જામંત્રીએ છણાવટ કરી હતી. અને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા તાકીદ પણ કરી હતી. વિવિધ સર્કલોમાં પડેલા સ્ક્રેપનો સત્વરે નિકાલ કરવા પણ તેમણે ઉપસ્થિતોને આદેશો આપ્યા હતા.
"તાઉતે'' વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના તાલુકાઓમાં થઈ રહેલી વીજ પુનઃસ્થાપનની પ્રક્રિયા વિશે પણ વિગતવાર ચર્ચા પણ સૌરભ પટેલે કરી હતી. આ બેઠકમાં ચીફ એન્જિનિયર માવાણી, એડિશનલ ચીફ એન્જિનિયર ભટ્ટ, તેમજ ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, કચ્છ વગેરેના અધિક્ષક ઈજનેરો પણ હાજર રહ્યા હતા.
"તાઉતે'' વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના તાલુકાઓમાં થઈ રહેલી વીજ પુનઃસ્થાપનની પ્રક્રિયા વિશે પણ વિગતવાર ચર્ચા રાજકોટમાં સૌરભ પટેલે કરી
ખૂબ મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાનું સામે આવતા આ ચોરી અટકાવવા જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને વીજચોરી કરતા વિસ્તારોમાં સઘન તપાસ કરવાની અધિકારીઓને સૂચના
ઉર્જામંત્રીએ કિસાન સૂર્યોદય, જ્યોતિગ્રામ, થ્રી ફેઇઝના કૃષિ વીજ કનેક્શન વગેરે જેવી સરકારી યોજનાઓની ઉર્જામંત્રીએ છણાવટ કરી
WatchGujarat. ગતરોજ ઉર્જામંત્રી સૌરભ પટેલ હાજરીમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં PGVCL વિભાગની સમીક્ષા બેઠક મળી હતી. કોર્પોરેટ ભવન ખાતેના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં સૌરભ પટેલે વીજચોરી બંધ કરાવવા પોલીસ પ્રોટેક્શન સાથે તૂટી પડવા આદેશ આપ્યા છે. આ સાથે જ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા, એવરેજ ઈન્ટરપ્શનનુ ધ્યાન રાખવા, ફીડરોની યોગ્ય જાળવણી કરવા, લાઇનવર્ક દુરસ્ત કરવા, વધુ લોસવાળા ફીડરનુ ચેકિંગ કરવા સહિતની મહત્વની સૂચનાઓ પણ આપી હતી.
આ બેઠકમાં મેનેજિંગ ડિરેક્ટર ધીરજકુમાર પંડ્યાએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની વીજળી વિભાગની પરિસ્થિતિ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉર્જામંત્રીને વાકેફ કર્યા હતા. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાનું સામે આવતા આ ચોરી અટકાવવા જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને વીજચોરી કરતા વિસ્તારોમાં સઘન તપાસ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ સામાન્ય નાગરિકોની તકલીફો નિવારવા અને પાવર કટનો સમય ઓછામાં ઓછો રાખવા તાકીદ કરી હતી.
ઉપરાંત ઉર્જામંત્રીએ મરામત હેઠળના ટ્રાન્સફોર્મરનો સ્ટોક જાળવવા પણ જણાવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં વીજ પુરવઠાની જાળવણી પૂર્વવત કરી શકાય. કિસાન સૂર્યોદય, જ્યોતિગ્રામ, થ્રી ફેઇઝના કૃષિ વીજ કનેક્શન વગેરે જેવી સરકારી યોજનાઓની ઉર્જામંત્રીએ છણાવટ કરી હતી. અને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા તાકીદ પણ કરી હતી. વિવિધ સર્કલોમાં પડેલા સ્ક્રેપનો સત્વરે નિકાલ કરવા પણ તેમણે ઉપસ્થિતોને આદેશો આપ્યા હતા.
"તાઉતે'' વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના તાલુકાઓમાં થઈ રહેલી વીજ પુનઃસ્થાપનની પ્રક્રિયા વિશે પણ વિગતવાર ચર્ચા પણ સૌરભ પટેલે કરી હતી. આ બેઠકમાં ચીફ એન્જિનિયર માવાણી, એડિશનલ ચીફ એન્જિનિયર ભટ્ટ, તેમજ ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, કચ્છ વગેરેના અધિક્ષક ઈજનેરો પણ હાજર રહ્યા હતા.