WatchGujarat. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને કર્તવી ભટ્ટે આબાલવૃદ્ધ સૌને રૂબરૂ મળીને તેમજ ટેલિફોનિક સંપર્ક કરીને એક સર્વે કર્યો છે. જેમાં 243 બાળકો જેમની ઉંમર 11 થી 14 વર્ષની હતી, 153 તરુણો 15 થી 17 વર્ષના, 18 થી 45 વર્ષના 234 યુવાનો, 46 થી 60 વર્ષના 270 પ્રૌઢ અને 60થી વઘુ ઉંમરના 180 વૃધ્ધો આમ 1080 લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન આબાલવૃદ્ધમાં ક્રોનિક એટલે કે લાંબાગાળાનો સ્ટ્રેસ ઉદ્દભવ્યો હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.
બાળકોમાં 36% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 24% બાળકોમાં સ્ટ્રેસ અને 40% બાળકોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
તરુણોમાં માં 45% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 36% તરુણોમાં સ્ટ્રેસ અને 20% તરુણોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
યુવાનોમાં 27% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 36% યુવાનોમાં સ્ટ્રેસ અને 37% યુવાનોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
પ્રૌઢમાં 18% ને લાંબા ગાળાનો સ્ટ્રેસ, 32% પ્રૌઢમાં સ્ટ્રેસ અને 50% પ્રૌઢમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
વૃદ્ધોમાં 13% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 27% વૃદ્ધોમાં સ્ટ્રેસ અને 60% વૃદ્ધોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
ડો. જોગણનું કહેવું છે કે, હાલના સમયમાં સૌથી વઘુ સ્ટ્રેસમાં તરુણોમાં છે, એક તો તેમની ઉંમરની અસર અને વધુમાં મહામારીના ભયજનક માહોલ ઘરમાં વડીલોની રોકટોકથી તેઓ સૌથી વઘુ કંટાળ્યા છે. ત્યારે માતાપિતા અને પરિવારના સભ્યોને વિનંતી કે સુઝબુઝ સાથેનો વ્યવહાર તરુણો સાથે કરવો જોઈએ અને તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય
કોઈક દિવસ તમારે ઓફીસ જલ્દી પહોંચવાનું હોય અને તમારે મોડું થાય છે. અને એમાં પણ તમારા સ્કુટરમાં પંચર પડે છે. રીક્ષા મળે છે. પરંતુ રિક્ષા તમારી ઓફીસ સુધી લઈ જવાની ના પાડે છે. ત્યારે તમને લાગે છે હવે ઑફિસ પહોંચવામાં મોડું થાય એમ છે. ત્યારે તમેં વિચારો છો કે ઓફિસમાં મેસેજ કે કોલ કરીને જણાવી દઈએ. આ બધાની વચ્ચે આ પરિસ્થિતિમાં જે તણાવમાં તમે રહ્યા તેની અસર તમારા મન અને શરીર પર કેવી પડી. શા માટે તમારું મગજ એટલું તેજ કામ કરી રહ્યું હતું, જે તમારા શરીર માં તે પરિસ્થિતિ દરમિયાન થઈ રહ્યું હતું તે જ જ્યારે હરણની પાછળ વાઘ પડે છે ત્યારે હરણના શરીરમાં પણ તે જ પ્રકારના બદલાવ આવે છે. જ્યારે આપણા શરીરમાં હિંમતની જરૂર હોય ત્યારે તે પરિસ્થિતિ અનુસાર હિંમત આવી જ જતી હોઈ છે. તે જ રીતે આપણે જ્યારે અંધારામાં જોવું હોઈ ત્યારે આંખો ફોકસ કરી શકે છે. તેમ આપણું શરીર તણાવપૂર્ણ પરિસ્થિતિમાં તેનો સામનો કરવા સક્ષમ બને છે. સાદી ભાષામાં કહીએ તો જ્યારે મગજની સામે તનાવપૂર્ણ પરિસ્થિતિ આવે ત્યારે શરીરની જે ઉર્જા હોઈ તે પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે. આવી રીતે જો તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે.
ક્રોનીક સ્ટ્રેસ એટલે શું?
સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે છે. આવી રીતે જો તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે. એક સાંધીએ અને તેર તૂટે કહેવત ક્રોનિક સ્ટ્રેસ દર્શાવે છે. ક્રોનીક સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે આવે છે.
સરળ શબ્દોમાં કહીયે તો સ્ટ્રેસ કે તણાવનું પુનરાવર્તન ક્રોનિક સ્ટ્રેસનો જન્મદાતા છે.
ઉદાહરણ તરીકે: ઇન્ટરવ્યુ આપવા જવું, નોકરીમાંથી કાઢી મુકવાની ચેતવણી મળવી, આઇફોન નીચે પડી જવો, બાળકોને વાગવું, એક્સિડન્ટ થવું, પેટ સાફ ન હોવું, મિત્રને મળવા જવામાં મોડું થવું અને વધતું વજન વગેરે. તનાવપૂર્ણ પરિસ્થિતિ વધુ ચાલે તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અસર થાય છે, ડાયાબિટીસ, હાર્ટએટેક, અલ્સર તેમજ અનેક શારીરિક- માનસિક બીમારી થઈ શકે છે. જોકે અમુક માત્રામાં સ્ટ્રેસ હોય તે સારો કહેવાય જેને મનોવિજ્ઞાનમાં પોઝિટિવ સ્ટ્રેસ કહે છે. જે તમને આગળ વધવામાં મદદ કરે છે. પણ જ્યારે આ સ્ટ્રેસ તમારા વિચારોની ક્ષમતાને ઘટાડી દે છે, તમને નબળા બનાવે છે ત્યારે તે સ્ટ્રેસને નકારાત્મક સ્ટ્રેસ કહે છે.
નકારાત્મક સ્ટ્રેસની પ્રતિક્રિયા આપણા મગજમાંથી આવે છે. આપણાં મગજમાં હાયપોથેલેમસ હોય તે આપણાં શરીરની પ્રતિક્રિયા અને લાગણીને નિયંત્રિત કરે છે. જે આપણા શરીરના નર્વસ સિસ્ટમનું પણ કેન્દ્ર હોય છે. માટે સ્ટ્રેસ આવે ત્યારે ત્રણ રીતે આવે છે. જેમાં ચિંતા લક્ષણ, શારીરિક લક્ષણ અને ભાવનાત્મક લક્ષણ સામેલ હોય છે.
ચિંતાના લક્ષણમાં વ્યક્તિ બેચેન રહે છે, એકાગ્રતા જળવાતી નથી, કેટલીક વાર એવું બને છે કે, વ્યક્તિનું મગજ સુનમુન થઈ ગયું હોય અને કોઈ પ્રતિક્રિયા આપી શકતું ન હોય.
શારીરિક લક્ષણમાં વ્યક્તિના શરીર પર અસર પડે છે. જેમ કે, ધડકન તેજ થવી, પેશાબ વારંવાર લાગવો, ગળું સુકાય જવું, ગભરાહટ થવી, પગમાં ખાલી ચડવી, ચેન ન પડવું, પેટમાં ગડબડ થવી,
3.ભાવનાત્મક લક્ષણમાં વ્યક્તિ આવેગ અસંતુલનનો અનુભવ કરે છે, મહત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી, કાર્ય દરમિયાન ધ્યાન અન્ય વ્યક્તિ કે વસ્તુ પર જતું રહે છે.
ક્રોનીક સ્ટ્રેસની અસર કઈ રીતે થાય છે.
એ નકારાત્મક સ્ટ્રેસ તમારા શરીરમાં અસર કરે છે જેનું ગંભીર પરિણામ આવી શકે છે. વ્યક્તિને ક્રોનીક સ્ટ્રેસમાં સાયકોસેમેટિક સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. મતલબ કે તમારા મનની અસર તમારા શરીર પર પડે છે તો કેટલીક શારીરિક સમસ્યાઓ થાય છે. જેમ કે, એસીડીટી, અલ્સર, અસ્થમા અને ગેસ થવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે.
વૈવાહિક સંબંધ પર અસર
ક્રોનીક સ્ટ્રેસ શરીરની સાથે વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ સમસ્યા પેદા કરે છે. જેમ કે સેક્સમાં રુચિ ઘટવી, અને પ્રજનનમાં સમસ્યા થવી.વ્યક્તિ સતત સ્ટ્રેસનો સામનો કરે છે તો તેને પ્રજનનને લગતા ડિસઓર્ડર થઈ શકે છે. મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિત થવાની સમસ્યા અથવા સંપૂર્ણપણે બંધ પણ થઈ શકે છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ - ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે. તેમજ મહિલા ને પુરુષ બન્નેમાં જાતિય પ્રવૃત્તિ ઘટી જાય છે.
ક્રોનીક સ્ટ્રેસના કારણે શરીરમાં કેટલાક બીમારી થાય છે. રોગપ્રતિકારક ક્ષમતાને અસર થાય છે અને વ્યક્તિ વારંવાર બીમાર પડે છે. ડાયાબિટીસના દર્દીઓને ડિપ્રેશન વધુ થાય છે. કેમ કે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ક્રોનીક સ્ટ્રેસ સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. જેથી ઘણીવાર એવું બનતું હશે કે, અન્ય કારણસર વ્યક્તિ તણાવ અનુભવે છે અને તેમાંથી બહાર નીકળી શકતી નથી. હવે યુવાનોની સાથે બાળકોમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે.
ક્રોનીક સ્ટ્રેસનો સામનો કઈ રીતે કરવો ?
- મનોવૈજ્ઞાનિકોની સલાહ લેવી.
- સવારે કસરત, પ્રાણાયામ કરો, અથવા મોર્નિંગ વૉક પર જવાનું શરૂ કરો
- પરિવાર, મિત્રો અથવા ગમતી વ્યક્તિ સાથે મનની વાત શેર કરો
- પોતાના માટે સમય કાઢો જેમાં માત્ર તમને ગમતી પ્રવૃત્તિ કરો. જેમ કે તમારા રૂટિનથી અલગ કઈક કરો, ગાર્ડનીગ, ડ્રોઇંગ, આર્ટ એન્ડ ક્રાફટ, વગેરે
- અન્ય લોકોની મદદ કરો
- દારૂ, સિગારેટ અને કેફી પદાર્થોનું સેવન ન કરો
- હકારાત્મક રહેવાની કોશિશ કરો. અને બીજા લોકોમાં હકારાત્મકતા કેળવાય તેવા કાર્ય કરો.
- ટીવી, મોબાઈલનો ઉપયોગ ઘટાડો અને આઉટડોર પ્રવૃત્તિઓ કરો
- સારા પુસ્તકોનું વાંચન કરો.
- અઠવાડીયું કે પંદર દિવસે પિકનીકનું આયોજન કરો અથવા પરિવાર સાથે બહાર જમવા જવું,
- ગમતી વ્યક્તિને મળો અને તે સમયે મોબાઈલ કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ ટાળો.
- તેમજ આસનો કરવા જેમ કે, મકરાસન બે હાથની સાંકળ બનાવીને તેના પર માથું ટેકવીને મકરાસનમાં સૂતાં સૂતાં હળવા શ્વાસોચ્છ્વાસ લેવાં. પાંચેક મિનિટ સુધી મકરાસન કરવાથી રિલેક્સેશન થશે. મકરાસનની જેમ શવાસન પણ કરી શકાય. આ આસન સાવ સહેલું છે. બે હાથ અને બે પગ સાધારણ પહોળા કરીને શબની જેમ ચત્તા સૂવું તેનું નામ શવાસન. ત્યારબાદ બેઠા થઈને સહજ-આસન, સુખાસન કે પદ્માસનમાં ટટ્ટાર બેસવું. પ્રાણાયામ ધ્યાનનો પાયો છે. પ્રાણાયામ વિના અંદરની મન અને ઇન્દ્રિયો અંકુશમાં આવતી નથી. માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ એટલે માત્ર ઊંડા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવાની છે.
ક્રોનીક સ્ટ્રેસ ઘટાડવાના ઘરેલુ ઉપાય
તુલસીના પાનનો ઉપયોગ સ્ટ્રેસની સ્થિતિ ઘટાડવામાં મદદ કરશે.સવારે તુલસીના પાન ચાવવા અથવા ગરમ પાણીમાં થોડા પાન ઉમેરી તાજુ પાણી પીવું. તુલસીની ચા પીને અથવા તુલસી સિવાય ગ્રીન ટીનું સેવન કરવાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે. એક કપ ગ્રીન ટી સાથે મધ અને લીંબુ સ્ટ્રેસમાં રાહત મેળવવાનો ઉત્તમ માર્ગ છે. દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં અશ્વગંધાનું મૂળ ઉકાળો. જે ઉંઘમાં પણ સુધારો કરશે અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે.
WatchGujarat. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને કર્તવી ભટ્ટે આબાલવૃદ્ધ સૌને રૂબરૂ મળીને તેમજ ટેલિફોનિક સંપર્ક કરીને એક સર્વે કર્યો છે. જેમાં 243 બાળકો જેમની ઉંમર 11 થી 14 વર્ષની હતી, 153 તરુણો 15 થી 17 વર્ષના, 18 થી 45 વર્ષના 234 યુવાનો, 46 થી 60 વર્ષના 270 પ્રૌઢ અને 60થી વઘુ ઉંમરના 180 વૃધ્ધો આમ 1080 લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન આબાલવૃદ્ધમાં ક્રોનિક એટલે કે લાંબાગાળાનો સ્ટ્રેસ ઉદ્દભવ્યો હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.
બાળકોમાં 36% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 24% બાળકોમાં સ્ટ્રેસ અને 40% બાળકોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
તરુણોમાં માં 45% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 36% તરુણોમાં સ્ટ્રેસ અને 20% તરુણોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
યુવાનોમાં 27% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 36% યુવાનોમાં સ્ટ્રેસ અને 37% યુવાનોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
પ્રૌઢમાં 18% ને લાંબા ગાળાનો સ્ટ્રેસ, 32% પ્રૌઢમાં સ્ટ્રેસ અને 50% પ્રૌઢમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
વૃદ્ધોમાં 13% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 27% વૃદ્ધોમાં સ્ટ્રેસ અને 60% વૃદ્ધોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
ડો. જોગણનું કહેવું છે કે, હાલના સમયમાં સૌથી વઘુ સ્ટ્રેસમાં તરુણોમાં છે, એક તો તેમની ઉંમરની અસર અને વધુમાં મહામારીના ભયજનક માહોલ ઘરમાં વડીલોની રોકટોકથી તેઓ સૌથી વઘુ કંટાળ્યા છે. ત્યારે માતાપિતા અને પરિવારના સભ્યોને વિનંતી કે સુઝબુઝ સાથેનો વ્યવહાર તરુણો સાથે કરવો જોઈએ અને તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય
કોઈક દિવસ તમારે ઓફીસ જલ્દી પહોંચવાનું હોય અને તમારે મોડું થાય છે. અને એમાં પણ તમારા સ્કુટરમાં પંચર પડે છે. રીક્ષા મળે છે. પરંતુ રિક્ષા તમારી ઓફીસ સુધી લઈ જવાની ના પાડે છે. ત્યારે તમને લાગે છે હવે ઑફિસ પહોંચવામાં મોડું થાય એમ છે. ત્યારે તમેં વિચારો છો કે ઓફિસમાં મેસેજ કે કોલ કરીને જણાવી દઈએ. આ બધાની વચ્ચે આ પરિસ્થિતિમાં જે તણાવમાં તમે રહ્યા તેની અસર તમારા મન અને શરીર પર કેવી પડી. શા માટે તમારું મગજ એટલું તેજ કામ કરી રહ્યું હતું, જે તમારા શરીર માં તે પરિસ્થિતિ દરમિયાન થઈ રહ્યું હતું તે જ જ્યારે હરણની પાછળ વાઘ પડે છે ત્યારે હરણના શરીરમાં પણ તે જ પ્રકારના બદલાવ આવે છે. જ્યારે આપણા શરીરમાં હિંમતની જરૂર હોય ત્યારે તે પરિસ્થિતિ અનુસાર હિંમત આવી જ જતી હોઈ છે. તે જ રીતે આપણે જ્યારે અંધારામાં જોવું હોઈ ત્યારે આંખો ફોકસ કરી શકે છે. તેમ આપણું શરીર તણાવપૂર્ણ પરિસ્થિતિમાં તેનો સામનો કરવા સક્ષમ બને છે. સાદી ભાષામાં કહીએ તો જ્યારે મગજની સામે તનાવપૂર્ણ પરિસ્થિતિ આવે ત્યારે શરીરની જે ઉર્જા હોઈ તે પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે. આવી રીતે જો તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે.
ક્રોનીક સ્ટ્રેસ એટલે શું?
સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે છે. આવી રીતે જો તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે. એક સાંધીએ અને તેર તૂટે કહેવત ક્રોનિક સ્ટ્રેસ દર્શાવે છે. ક્રોનીક સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે આવે છે.
સરળ શબ્દોમાં કહીયે તો સ્ટ્રેસ કે તણાવનું પુનરાવર્તન ક્રોનિક સ્ટ્રેસનો જન્મદાતા છે.
ઉદાહરણ તરીકે: ઇન્ટરવ્યુ આપવા જવું, નોકરીમાંથી કાઢી મુકવાની ચેતવણી મળવી, આઇફોન નીચે પડી જવો, બાળકોને વાગવું, એક્સિડન્ટ થવું, પેટ સાફ ન હોવું, મિત્રને મળવા જવામાં મોડું થવું અને વધતું વજન વગેરે. તનાવપૂર્ણ પરિસ્થિતિ વધુ ચાલે તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અસર થાય છે, ડાયાબિટીસ, હાર્ટએટેક, અલ્સર તેમજ અનેક શારીરિક- માનસિક બીમારી થઈ શકે છે. જોકે અમુક માત્રામાં સ્ટ્રેસ હોય તે સારો કહેવાય જેને મનોવિજ્ઞાનમાં પોઝિટિવ સ્ટ્રેસ કહે છે. જે તમને આગળ વધવામાં મદદ કરે છે. પણ જ્યારે આ સ્ટ્રેસ તમારા વિચારોની ક્ષમતાને ઘટાડી દે છે, તમને નબળા બનાવે છે ત્યારે તે સ્ટ્રેસને નકારાત્મક સ્ટ્રેસ કહે છે.
નકારાત્મક સ્ટ્રેસની પ્રતિક્રિયા આપણા મગજમાંથી આવે છે. આપણાં મગજમાં હાયપોથેલેમસ હોય તે આપણાં શરીરની પ્રતિક્રિયા અને લાગણીને નિયંત્રિત કરે છે. જે આપણા શરીરના નર્વસ સિસ્ટમનું પણ કેન્દ્ર હોય છે. માટે સ્ટ્રેસ આવે ત્યારે ત્રણ રીતે આવે છે. જેમાં ચિંતા લક્ષણ, શારીરિક લક્ષણ અને ભાવનાત્મક લક્ષણ સામેલ હોય છે.
ચિંતાના લક્ષણમાં વ્યક્તિ બેચેન રહે છે, એકાગ્રતા જળવાતી નથી, કેટલીક વાર એવું બને છે કે, વ્યક્તિનું મગજ સુનમુન થઈ ગયું હોય અને કોઈ પ્રતિક્રિયા આપી શકતું ન હોય.
શારીરિક લક્ષણમાં વ્યક્તિના શરીર પર અસર પડે છે. જેમ કે, ધડકન તેજ થવી, પેશાબ વારંવાર લાગવો, ગળું સુકાય જવું, ગભરાહટ થવી, પગમાં ખાલી ચડવી, ચેન ન પડવું, પેટમાં ગડબડ થવી,
3.ભાવનાત્મક લક્ષણમાં વ્યક્તિ આવેગ અસંતુલનનો અનુભવ કરે છે, મહત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી, કાર્ય દરમિયાન ધ્યાન અન્ય વ્યક્તિ કે વસ્તુ પર જતું રહે છે.
ક્રોનીક સ્ટ્રેસની અસર કઈ રીતે થાય છે.
એ નકારાત્મક સ્ટ્રેસ તમારા શરીરમાં અસર કરે છે જેનું ગંભીર પરિણામ આવી શકે છે. વ્યક્તિને ક્રોનીક સ્ટ્રેસમાં સાયકોસેમેટિક સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. મતલબ કે તમારા મનની અસર તમારા શરીર પર પડે છે તો કેટલીક શારીરિક સમસ્યાઓ થાય છે. જેમ કે, એસીડીટી, અલ્સર, અસ્થમા અને ગેસ થવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે.
વૈવાહિક સંબંધ પર અસર
ક્રોનીક સ્ટ્રેસ શરીરની સાથે વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ સમસ્યા પેદા કરે છે. જેમ કે સેક્સમાં રુચિ ઘટવી, અને પ્રજનનમાં સમસ્યા થવી.વ્યક્તિ સતત સ્ટ્રેસનો સામનો કરે છે તો તેને પ્રજનનને લગતા ડિસઓર્ડર થઈ શકે છે. મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિત થવાની સમસ્યા અથવા સંપૂર્ણપણે બંધ પણ થઈ શકે છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ - ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે. તેમજ મહિલા ને પુરુષ બન્નેમાં જાતિય પ્રવૃત્તિ ઘટી જાય છે.
ક્રોનીક સ્ટ્રેસના કારણે શરીરમાં કેટલાક બીમારી થાય છે. રોગપ્રતિકારક ક્ષમતાને અસર થાય છે અને વ્યક્તિ વારંવાર બીમાર પડે છે. ડાયાબિટીસના દર્દીઓને ડિપ્રેશન વધુ થાય છે. કેમ કે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ક્રોનીક સ્ટ્રેસ સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. જેથી ઘણીવાર એવું બનતું હશે કે, અન્ય કારણસર વ્યક્તિ તણાવ અનુભવે છે અને તેમાંથી બહાર નીકળી શકતી નથી. હવે યુવાનોની સાથે બાળકોમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે.
ક્રોનીક સ્ટ્રેસનો સામનો કઈ રીતે કરવો ?
- મનોવૈજ્ઞાનિકોની સલાહ લેવી.
- સવારે કસરત, પ્રાણાયામ કરો, અથવા મોર્નિંગ વૉક પર જવાનું શરૂ કરો
- પરિવાર, મિત્રો અથવા ગમતી વ્યક્તિ સાથે મનની વાત શેર કરો
- પોતાના માટે સમય કાઢો જેમાં માત્ર તમને ગમતી પ્રવૃત્તિ કરો. જેમ કે તમારા રૂટિનથી અલગ કઈક કરો, ગાર્ડનીગ, ડ્રોઇંગ, આર્ટ એન્ડ ક્રાફટ, વગેરે
- અન્ય લોકોની મદદ કરો
- દારૂ, સિગારેટ અને કેફી પદાર્થોનું સેવન ન કરો
- હકારાત્મક રહેવાની કોશિશ કરો. અને બીજા લોકોમાં હકારાત્મકતા કેળવાય તેવા કાર્ય કરો.
- ટીવી, મોબાઈલનો ઉપયોગ ઘટાડો અને આઉટડોર પ્રવૃત્તિઓ કરો
- સારા પુસ્તકોનું વાંચન કરો.
- અઠવાડીયું કે પંદર દિવસે પિકનીકનું આયોજન કરો અથવા પરિવાર સાથે બહાર જમવા જવું,
- ગમતી વ્યક્તિને મળો અને તે સમયે મોબાઈલ કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ ટાળો.
- તેમજ આસનો કરવા જેમ કે, મકરાસન બે હાથની સાંકળ બનાવીને તેના પર માથું ટેકવીને મકરાસનમાં સૂતાં સૂતાં હળવા શ્વાસોચ્છ્વાસ લેવાં. પાંચેક મિનિટ સુધી મકરાસન કરવાથી રિલેક્સેશન થશે. મકરાસનની જેમ શવાસન પણ કરી શકાય. આ આસન સાવ સહેલું છે. બે હાથ અને બે પગ સાધારણ પહોળા કરીને શબની જેમ ચત્તા સૂવું તેનું નામ શવાસન. ત્યારબાદ બેઠા થઈને સહજ-આસન, સુખાસન કે પદ્માસનમાં ટટ્ટાર બેસવું. પ્રાણાયામ ધ્યાનનો પાયો છે. પ્રાણાયામ વિના અંદરની મન અને ઇન્દ્રિયો અંકુશમાં આવતી નથી. માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ એટલે માત્ર ઊંડા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરવાની છે.
ક્રોનીક સ્ટ્રેસ ઘટાડવાના ઘરેલુ ઉપાય
તુલસીના પાનનો ઉપયોગ સ્ટ્રેસની સ્થિતિ ઘટાડવામાં મદદ કરશે.સવારે તુલસીના પાન ચાવવા અથવા ગરમ પાણીમાં થોડા પાન ઉમેરી તાજુ પાણી પીવું. તુલસીની ચા પીને અથવા તુલસી સિવાય ગ્રીન ટીનું સેવન કરવાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે. એક કપ ગ્રીન ટી સાથે મધ અને લીંબુ સ્ટ્રેસમાં રાહત મેળવવાનો ઉત્તમ માર્ગ છે. દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં અશ્વગંધાનું મૂળ ઉકાળો. જે ઉંઘમાં પણ સુધારો કરશે અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે.