WatchGujarat. મનોવિજ્ઞાન ભવનના આત્મહત્યા નિવારણ સલાહ કેન્દ્રમાં એક અતિ સંવેદનશીલ કેસનું નિવારણ કરવામાં આવ્યું છે. જેમાં જીવનમાંથી રસ ગુમાવી ચુકેલી એક 23 વર્ષીય યુવતિને સતત આત્મહત્યાનાં વિચારો આવતા હતા. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટે આ યુવતિને આત્મહત્યાના વિચારો અને વૃત્તિમાંથી બહાર નીકળવામાં મદદ કરીને નવજીવન બક્ષ્યું છે.
[caption id="attachment_1398836" align="aligncenter" width="1280"] (જીવનથી હતાશ થયેલી 23 વર્ષીય યુવતિને નવજીન આપનાર મનોવિજ્ઞાન ભવનની છાત્રા કર્તવી ભટ્ટ)[/caption]
મનોવિજ્ઞાન ભવનમાં સતત કોઈને કોઈ સમસ્યાઓ લઈને આવનાર લોકોનું અધ્યક્ષ અને અધ્યાપકો દ્વારા કાઉન્સેલિંગ થતું હોય છે ત્યારે આજ એક સંવેદનશીલ કેસનું સંચાલન વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં એક 23 વર્ષની યુવતિ જેની મિત્રએ તેને ફોન કર્યો હતો. જો કે યુવતિ ફોન ઉપાડીને રડવા લાગી અને કહ્યું કે, હવે જીવવામાં રસ જ નથી. આવી જિંદગી શું કામની. આથી વિદ્યાર્થીની કર્તવી અને તેની મિત્ર બંને તાત્કાલિક તેની ઘરે ગયા હતા. રસ્તામાંથી કોલ કરીને મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો. યોગેશ જોગસણની સલાહ લીધી હતી.
કર્તવી ભટ્ટ ત્યાં પહોંચી ત્યારે એ છોકરી આખી ધ્રૂજતી હતી અને કશું બોલતી ન હતી. પરાણે વાત કઢાવી એટલે કશું બોલ્યા વગર ખૂબ રડવા લાગી હતી. એટલું જ નહીં ગુસ્સો પ્રગટ કર્યો અને મને મરવા જવા દયો ઍમ કહીં ભાગવાની કોશિશ કરી હતી. ત્યારે કર્તવીએ તેને પકડી તો એટલી જોરથી હાથ પર નખ માર્યા કે કર્તવીના હાથમા લોહીનાં ટશિયા ભરાય ગયા. છતાં કર્તવીએ તેને છોડી નહીં.
રડી લીધા પછી યુવતિએ કહ્યું કે તેના પિતાએ મહિના પહેલા ઘરના સગાઓ અને નજીકના વ્યક્તિઓના કોરોનાને કારણે મૃત્યુ થયું તેના આઘાતમાં આત્મહત્યા કરી હતી. તેના પિતાએ ચિઠ્ઠી પણ લખેલી કે ભગવાને ક્યારેય મારો સાથ નથી આપ્યો એટલે હું ભગવાનથી પણ હારી ગયો છું અને હું માનતો જ નથી કે ભગવાન છે. આ જ વાત એ છોકરીના મગજમાં પણ બેસી ગઈ કે ભગવાન છે જ નહિ. એ છોકરીને પૂછ્યું કે તારે શા માટે આત્મહત્યા કરવી છે. ત્યારે તેને કહ્યું કે મારા પપ્પા મને ક્યારેય બોલી ના શક્યા અને હું ક્યારેય એમને સમજી ના શકી એ વાત નો અફસોસ મારાથી સહન નહિ થાય. એ ભાર મને જીવવા નહિ દે.
મારા પપ્પાએ લોકોથી નજીક હતા અને એમનું મૃત્યુ સહન ના કરી શક્યા તો હું મારા પપ્પાની નજીક હતી. અને તેમનું મોત હું કઈ રીતે સહન કરું? મારે જીવવું જ નથી. મને આત્મહત્યામાં કોઈ પીડા કે તકલીફ થશે તે પણ બીક નથી, હવે મને માત્ર જીવવાની બીક છે. રડતા રડતા તેના પોતાના નખ પણ કર્તવીને વાગ્યા પણ તેણે સાંત્વના આપવાનું છોડ્યું નહિ. તેની વાત સાંભળીને પછી સમજાવી કે તારા પિતાના મૃત્યુ પછી તારા મમ્મી અને તારી જે હાલત થઈ છે. તો વિચાર કર કે તું આવું પગલું ભર પછી તારા મમ્મી ની શું હાલત થશે ?
આત્મહત્યા જવાબદારીમાંથી છટકવાની છટકબારી છે એવું અમારા ડો. ધારા મેડમ કહેતા હોય છે. જે નબળા માણસની નિશાની છે. હાલ તારા મમ્મીની જવાબદારી તારા પર છે. એમાંથી છટક નહિ, તારા પપ્પા એ તને ભણાવી અને મોટી કરી કારણ કે તું મોટી થઈ પગ પર ઊભી રહી શકે, જવાબદારી લઈ શકે. આના બદલામાં આવું કરતા તને શરમ આવવી જોઈએ. આત્મહત્યા એ કોઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી એ પ્રોબ્લેમ વધારે છે. તું આવું કર પછી તારા મમ્મી ને કેટલુ સંભાળવું પડે ?
આત્મહત્યા કર તેની પીડાથી ડરવાની જરૂર નથી પણ તારા પછી તારા મિત્રો અને ઘરનાની શું હાલત થશે તે વિચારીને ડર. જે થવાનું હતું એ થઈ ગયું હવે એ ભૂલ તું રીપિટ ના કર. ખૂબ રડ્યા પછી એ છોકરી એ માન્યું કે સાચી વાત છે હું એવું ના કરું. પણ મને કશું ગમતું જ નથી. ત્યારે કર્તવીએ તેને કહ્યું કે તું એક ગોલ બુક બનાવ કે તારે શું કરવું છે. કોઈ પ્રવૃત્તિ શરૂ કર. કઈક નવું શીખવાનું શરૂ કર. ભલે ના ગમે છતાં શરૂ કર જેથી મન બીજી તરફ વળશે. લગભગ 2 કલાક સમજાવી અને હળવાશનો અનુભવ કરાવતા તેની નબળી ક્ષણ જતી રહી અને આપઘાત કરવાના રટણમાંથી હાલ બહાર આવી છે.
કર્તવી ભટ્ટે સાહસપૂર્ણ રીતે યુવતીનો જીવ બચાવ્યો માટે ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસને 500 રૂપિયા પ્રોત્સાહિત કરવા ઇનામ આપ્યું તેમજ ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડૉ. હસમુખ ચાવડા અને ડૉ. મીરાં જેપારે અભિનંદન પણ પાઠવ્યા છે. આ તકે ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે આવા કોઈપણ પ્રશ્નો માટે મનોવિજ્ઞાન ભવનના આત્મહત્યા નિવારણ સલાહ કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ પણ કરી છે.
WatchGujarat. મનોવિજ્ઞાન ભવનના આત્મહત્યા નિવારણ સલાહ કેન્દ્રમાં એક અતિ સંવેદનશીલ કેસનું નિવારણ કરવામાં આવ્યું છે. જેમાં જીવનમાંથી રસ ગુમાવી ચુકેલી એક 23 વર્ષીય યુવતિને સતત આત્મહત્યાનાં વિચારો આવતા હતા. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટે આ યુવતિને આત્મહત્યાના વિચારો અને વૃત્તિમાંથી બહાર નીકળવામાં મદદ કરીને નવજીવન બક્ષ્યું છે.
મનોવિજ્ઞાન ભવનમાં સતત કોઈને કોઈ સમસ્યાઓ લઈને આવનાર લોકોનું અધ્યક્ષ અને અધ્યાપકો દ્વારા કાઉન્સેલિંગ થતું હોય છે ત્યારે આજ એક સંવેદનશીલ કેસનું સંચાલન વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં એક 23 વર્ષની યુવતિ જેની મિત્રએ તેને ફોન કર્યો હતો. જો કે યુવતિ ફોન ઉપાડીને રડવા લાગી અને કહ્યું કે, હવે જીવવામાં રસ જ નથી. આવી જિંદગી શું કામની. આથી વિદ્યાર્થીની કર્તવી અને તેની મિત્ર બંને તાત્કાલિક તેની ઘરે ગયા હતા. રસ્તામાંથી કોલ કરીને મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો. યોગેશ જોગસણની સલાહ લીધી હતી.
કર્તવી ભટ્ટ ત્યાં પહોંચી ત્યારે એ છોકરી આખી ધ્રૂજતી હતી અને કશું બોલતી ન હતી. પરાણે વાત કઢાવી એટલે કશું બોલ્યા વગર ખૂબ રડવા લાગી હતી. એટલું જ નહીં ગુસ્સો પ્રગટ કર્યો અને મને મરવા જવા દયો ઍમ કહીં ભાગવાની કોશિશ કરી હતી. ત્યારે કર્તવીએ તેને પકડી તો એટલી જોરથી હાથ પર નખ માર્યા કે કર્તવીના હાથમા લોહીનાં ટશિયા ભરાય ગયા. છતાં કર્તવીએ તેને છોડી નહીં.
રડી લીધા પછી યુવતિએ કહ્યું કે તેના પિતાએ મહિના પહેલા ઘરના સગાઓ અને નજીકના વ્યક્તિઓના કોરોનાને કારણે મૃત્યુ થયું તેના આઘાતમાં આત્મહત્યા કરી હતી. તેના પિતાએ ચિઠ્ઠી પણ લખેલી કે ભગવાને ક્યારેય મારો સાથ નથી આપ્યો એટલે હું ભગવાનથી પણ હારી ગયો છું અને હું માનતો જ નથી કે ભગવાન છે. આ જ વાત એ છોકરીના મગજમાં પણ બેસી ગઈ કે ભગવાન છે જ નહિ. એ છોકરીને પૂછ્યું કે તારે શા માટે આત્મહત્યા કરવી છે. ત્યારે તેને કહ્યું કે મારા પપ્પા મને ક્યારેય બોલી ના શક્યા અને હું ક્યારેય એમને સમજી ના શકી એ વાત નો અફસોસ મારાથી સહન નહિ થાય. એ ભાર મને જીવવા નહિ દે.
મારા પપ્પાએ લોકોથી નજીક હતા અને એમનું મૃત્યુ સહન ના કરી શક્યા તો હું મારા પપ્પાની નજીક હતી. અને તેમનું મોત હું કઈ રીતે સહન કરું? મારે જીવવું જ નથી. મને આત્મહત્યામાં કોઈ પીડા કે તકલીફ થશે તે પણ બીક નથી, હવે મને માત્ર જીવવાની બીક છે. રડતા રડતા તેના પોતાના નખ પણ કર્તવીને વાગ્યા પણ તેણે સાંત્વના આપવાનું છોડ્યું નહિ. તેની વાત સાંભળીને પછી સમજાવી કે તારા પિતાના મૃત્યુ પછી તારા મમ્મી અને તારી જે હાલત થઈ છે. તો વિચાર કર કે તું આવું પગલું ભર પછી તારા મમ્મી ની શું હાલત થશે ?
આત્મહત્યા જવાબદારીમાંથી છટકવાની છટકબારી છે એવું અમારા ડો. ધારા મેડમ કહેતા હોય છે. જે નબળા માણસની નિશાની છે. હાલ તારા મમ્મીની જવાબદારી તારા પર છે. એમાંથી છટક નહિ, તારા પપ્પા એ તને ભણાવી અને મોટી કરી કારણ કે તું મોટી થઈ પગ પર ઊભી રહી શકે, જવાબદારી લઈ શકે. આના બદલામાં આવું કરતા તને શરમ આવવી જોઈએ. આત્મહત્યા એ કોઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન નથી એ પ્રોબ્લેમ વધારે છે. તું આવું કર પછી તારા મમ્મી ને કેટલુ સંભાળવું પડે ?
આત્મહત્યા કર તેની પીડાથી ડરવાની જરૂર નથી પણ તારા પછી તારા મિત્રો અને ઘરનાની શું હાલત થશે તે વિચારીને ડર. જે થવાનું હતું એ થઈ ગયું હવે એ ભૂલ તું રીપિટ ના કર. ખૂબ રડ્યા પછી એ છોકરી એ માન્યું કે સાચી વાત છે હું એવું ના કરું. પણ મને કશું ગમતું જ નથી. ત્યારે કર્તવીએ તેને કહ્યું કે તું એક ગોલ બુક બનાવ કે તારે શું કરવું છે. કોઈ પ્રવૃત્તિ શરૂ કર. કઈક નવું શીખવાનું શરૂ કર. ભલે ના ગમે છતાં શરૂ કર જેથી મન બીજી તરફ વળશે. લગભગ 2 કલાક સમજાવી અને હળવાશનો અનુભવ કરાવતા તેની નબળી ક્ષણ જતી રહી અને આપઘાત કરવાના રટણમાંથી હાલ બહાર આવી છે.
કર્તવી ભટ્ટે સાહસપૂર્ણ રીતે યુવતીનો જીવ બચાવ્યો માટે ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસને 500 રૂપિયા પ્રોત્સાહિત કરવા ઇનામ આપ્યું તેમજ ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડૉ. હસમુખ ચાવડા અને ડૉ. મીરાં જેપારે અભિનંદન પણ પાઠવ્યા છે. આ તકે ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે આવા કોઈપણ પ્રશ્નો માટે મનોવિજ્ઞાન ભવનના આત્મહત્યા નિવારણ સલાહ કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ પણ કરી છે.