કમળાપુર જિલ્લા પંચાયત બેઠક પરથી હારેલા ભાજપ ઉમેદવાર રામભાઇ સાકળિયાએ જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો
રાજકોટ જિલ્લા પંચાયતની કમળાપર બેઠક પર ભાજપને હરાવવા માટે ખુદ ભાજપના જ આગેવાનો દ્વારા કરાયાનો આરોપ લગાડ્યો
બોઘરાએ જ બાવળિયા વિરૂદ્ધ ટીમ ઉભી કરી હોવાનું પણ પત્રમાં જણાવાયું
WatchGujarat. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ મોદી વેવ છતાં ભાજપનાં કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયા પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મામલે કમળાપુર બેઠક પરથી હારેલા ઉમેદવાર રામ સાંકળિયાએ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા પર કોંગ્રેસને જીતાડવા મદદ કર્યાનો સણસણતો આક્ષેપ કરતા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જો કે બોધરાએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવતા બાવળીયાની વિરુદ્ધ લોકોમાં આક્રોશ હોવાનું જણાવતા રાજકારણ ગરમાયું છે.
કમળાપુર જિલ્લા પંચાયત બેઠક પરથી હારેલા ભાજપ ઉમેદવાર રામભાઇ સાકળિયાએ જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા પર આક્ષેપો કર્યા છે. અને જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની કમળાપર બેઠક પર ભાજપને હરાવવા માટે ખુદ ભાજપના જ આગેવાનો મેદાનમાં હતા. જેમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા અને રાજકોટ જિલ્લા પંચાયતના મહામંત્રી મનસુખ રામાણી સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ પણ આ બેઠક પર ભાજપને હરાવવા અને કોંગ્રેસને જીતાડવા તમામ મદદ કરી હતી. એટલું જ નહીં કોંગી ઉમેદવારને જીતાડવા પૈસાની મદદ અને ભાજપને લીડ ન મળે તે માટે અપક્ષ ઉમેદવારને પણ મદદ કરી હોવાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે.
વધુમાં તેમણે લખ્યું છે કે, ભરત બોઘરાના કમળાપુર ગામમાં જ બુથ નં.6માં કોંગ્રેસને લીડ મળી છે. તો બુથ નં.5માં પણ કોંગ્રેસે બાજી મારી હતી. અને ભાજપને માત્ર 98 મત જ મળ્યા હતા. આ ઉપરાંત લીલાપુર ગામ જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું છે. ત્યાં પણ કોંગ્રેસને લીડ મળી છે. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મતદાનના દિવસે ભાજપના લોકો મતદાન કેન્દ્ર બહાર ખુલ્લેઆમ કોંગ્રેસ માટે મત માંગતા હોવાનું જણાવીને બોઘરાએ જ બાવળિયા વિરૂદ્ધ ટીમ ઉભી કરી હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.
એટલું જ નહીં ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ પક્ષનો પ્રચાર કરવાને બદલે નાના આગેવાનોને પૈસાની લાલચ આપી કે ભડકાવી-ફોંસલાવીને ભાજપ વિરૂદ્ધ મતદાન કરાવ્યું છે. આ તમામ કારણોસર તેમને પદથી હટાવવાની માંગ કરતા અન્ય સાચા આગેવાનોને સ્થાન આપવાની માંગ પણ કરવામાં આવી છે. તેમના પત્રથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થતાં ભાજપની પ્રતિષ્ઠા પણ ખરડાઈ છે. ત્યારે હાઇકમાન્ડ આ મામલે ક્યારે અને કેવા પગલાં લેશે તે જોવું રહ્યું.
જોકે પોતાના પર લાગેલા આરોપોનાં જવાબમાં ભરત બોધરાએ જણાવ્યું છે કે, કેબિનેટ મંત્રી હારી જતા જ દોષનો ટોપલો મારા પર ઢોળવામાં આવી રહ્યો છે. માત્ર કમળાપુર જ નહીં પણ જસદણ અને વીંછીયામાં પણ કુંવરજી બાવળીયા સામે લોકોમાં આક્રોશ છે. જેને લઈ જનતાએ ભાજપને જાકારો આપ્યો છે. આ વિસ્તારમાં કોળી સમાજના 9 જેટલા ગામો છે. જેમાં વિકાસના કામો થયા ન હોવાથી કેબિનેટમંત્રી વિરુદ્ધ લોકોમાં ભારે રોષ હોવાથી પ્રજાએ કોંગ્રેસને તક આપી છે. મારા પર લગાવવામાં આવેલા બધા આરોપો સાવ પાયાવિહોણા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની કમળાપર બેઠક પર ભાજપને હરાવવા માટે ખુદ ભાજપના જ આગેવાનો દ્વારા કરાયાનો આરોપ લગાડ્યો
બોઘરાએ જ બાવળિયા વિરૂદ્ધ ટીમ ઉભી કરી હોવાનું પણ પત્રમાં જણાવાયું
WatchGujarat. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ મોદી વેવ છતાં ભાજપનાં કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયા પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મામલે કમળાપુર બેઠક પરથી હારેલા ઉમેદવાર રામ સાંકળિયાએ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા પર કોંગ્રેસને જીતાડવા મદદ કર્યાનો સણસણતો આક્ષેપ કરતા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જો કે બોધરાએ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવતા બાવળીયાની વિરુદ્ધ લોકોમાં આક્રોશ હોવાનું જણાવતા રાજકારણ ગરમાયું છે.
કમળાપુર જિલ્લા પંચાયત બેઠક પરથી હારેલા ભાજપ ઉમેદવાર રામભાઇ સાકળિયાએ જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા પર આક્ષેપો કર્યા છે. અને જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની કમળાપર બેઠક પર ભાજપને હરાવવા માટે ખુદ ભાજપના જ આગેવાનો મેદાનમાં હતા. જેમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા અને રાજકોટ જિલ્લા પંચાયતના મહામંત્રી મનસુખ રામાણી સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ પણ આ બેઠક પર ભાજપને હરાવવા અને કોંગ્રેસને જીતાડવા તમામ મદદ કરી હતી. એટલું જ નહીં કોંગી ઉમેદવારને જીતાડવા પૈસાની મદદ અને ભાજપને લીડ ન મળે તે માટે અપક્ષ ઉમેદવારને પણ મદદ કરી હોવાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે.
વધુમાં તેમણે લખ્યું છે કે, ભરત બોઘરાના કમળાપુર ગામમાં જ બુથ નં.6માં કોંગ્રેસને લીડ મળી છે. તો બુથ નં.5માં પણ કોંગ્રેસે બાજી મારી હતી. અને ભાજપને માત્ર 98 મત જ મળ્યા હતા. આ ઉપરાંત લીલાપુર ગામ જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું છે. ત્યાં પણ કોંગ્રેસને લીડ મળી છે. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મતદાનના દિવસે ભાજપના લોકો મતદાન કેન્દ્ર બહાર ખુલ્લેઆમ કોંગ્રેસ માટે મત માંગતા હોવાનું જણાવીને બોઘરાએ જ બાવળિયા વિરૂદ્ધ ટીમ ઉભી કરી હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.
એટલું જ નહીં ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ પક્ષનો પ્રચાર કરવાને બદલે નાના આગેવાનોને પૈસાની લાલચ આપી કે ભડકાવી-ફોંસલાવીને ભાજપ વિરૂદ્ધ મતદાન કરાવ્યું છે. આ તમામ કારણોસર તેમને પદથી હટાવવાની માંગ કરતા અન્ય સાચા આગેવાનોને સ્થાન આપવાની માંગ પણ કરવામાં આવી છે. તેમના પત્રથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થતાં ભાજપની પ્રતિષ્ઠા પણ ખરડાઈ છે. ત્યારે હાઇકમાન્ડ આ મામલે ક્યારે અને કેવા પગલાં લેશે તે જોવું રહ્યું.
જોકે પોતાના પર લાગેલા આરોપોનાં જવાબમાં ભરત બોધરાએ જણાવ્યું છે કે, કેબિનેટ મંત્રી હારી જતા જ દોષનો ટોપલો મારા પર ઢોળવામાં આવી રહ્યો છે. માત્ર કમળાપુર જ નહીં પણ જસદણ અને વીંછીયામાં પણ કુંવરજી બાવળીયા સામે લોકોમાં આક્રોશ છે. જેને લઈ જનતાએ ભાજપને જાકારો આપ્યો છે. આ વિસ્તારમાં કોળી સમાજના 9 જેટલા ગામો છે. જેમાં વિકાસના કામો થયા ન હોવાથી કેબિનેટમંત્રી વિરુદ્ધ લોકોમાં ભારે રોષ હોવાથી પ્રજાએ કોંગ્રેસને તક આપી છે. મારા પર લગાવવામાં આવેલા બધા આરોપો સાવ પાયાવિહોણા છે.