રાજકોટ એઈમ્સ હોસ્પિટલ મુખ્ય પાંચ બિલ્ડિંગમાં બનાવવામાં આવશે
નિષ્ણાંત ડોકટરોની પણ નિમણૂંક કરવામાં આવશે
એઈમ્સમાં ઓપીડી શરૂ થતાં જ સિવિલમાં ઓપીડીનાં ટ્રાફિકમાં ઘટાડો થશે
WatchGujarat. પરાપીપળિયા નજીક નિર્માણ પામી રહેલી એઈમ્સમાં પ્રજાને સામાન્ય બિમારીની સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવાનાં આદેશો આપી દેવાયા છે. આ માટે ઓપીડી બિલ્ડિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કલેક્ટર તંત્ર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. અને આગામી ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવામાં આવનાર છે.
કલેકટર તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટ એઈમ્સ હોસ્પિટલ મુખ્ય પાંચ બિલ્ડિંગમાં બનાવવામાં આવશે. તેના પ્લાન પણ સરકારમાં મુકવામાં આવ્યા છે તેમજ લોકોને 2022 સુધીમાં સારવાર મળી રહે તે માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ પહેલા જ લોકોને સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.તેના માટે નિષ્ણાંત ડોકટરોની પણ નિમણૂંક કરવામાં આવશે અને સામાન્ય બિમારીની સારવાર દર્દીઓને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કેસ વધતા હોઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે દર્દીઓને સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે જ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવા માટે અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. એઈમ્સમાં ઓપીડી શરૂ થતાં જ સિવિલમાં ઓપીડીનાં ટ્રાફિકમાં ઘટાડો થશે. બન્ને સ્થળે સારવાર થવાથી સિવિલમાં પણ દર્દીઓ ઓછા થતા વધુ સારી સારવાર આપી શકાશે.
રાજકોટ એઈમ્સ હોસ્પિટલ મુખ્ય પાંચ બિલ્ડિંગમાં બનાવવામાં આવશે
નિષ્ણાંત ડોકટરોની પણ નિમણૂંક કરવામાં આવશે
એઈમ્સમાં ઓપીડી શરૂ થતાં જ સિવિલમાં ઓપીડીનાં ટ્રાફિકમાં ઘટાડો થશે
WatchGujarat. પરાપીપળિયા નજીક નિર્માણ પામી રહેલી એઈમ્સમાં પ્રજાને સામાન્ય બિમારીની સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવાનાં આદેશો આપી દેવાયા છે. આ માટે ઓપીડી બિલ્ડિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કલેક્ટર તંત્ર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. અને આગામી ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવામાં આવનાર છે.
કલેકટર તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટ એઈમ્સ હોસ્પિટલ મુખ્ય પાંચ બિલ્ડિંગમાં બનાવવામાં આવશે. તેના પ્લાન પણ સરકારમાં મુકવામાં આવ્યા છે તેમજ લોકોને 2022 સુધીમાં સારવાર મળી રહે તે માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ પહેલા જ લોકોને સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.તેના માટે નિષ્ણાંત ડોકટરોની પણ નિમણૂંક કરવામાં આવશે અને સામાન્ય બિમારીની સારવાર દર્દીઓને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કેસ વધતા હોઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે દર્દીઓને સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે જ ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં ડિસેમ્બર મહિનાથી ઓપીડી શરૂ કરવા માટે અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. એઈમ્સમાં ઓપીડી શરૂ થતાં જ સિવિલમાં ઓપીડીનાં ટ્રાફિકમાં ઘટાડો થશે. બન્ને સ્થળે સારવાર થવાથી સિવિલમાં પણ દર્દીઓ ઓછા થતા વધુ સારી સારવાર આપી શકાશે.