47 વર્ષીય અશોકભાઈ વાલજીભાઈ ઝાલા નામના ગામના સરપંચ કુવાડવાથી સુર્યારામપરા ગામે રાત્રીના કાર લઈને ઓક્સિજન બાટલો લેવા જઈ રહ્યા હતા
રાણપુર ગામ નજીક પહોંચતા અચાનક સામેથી ટ્રક આવી જતાં તેમણે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દીધો
સારવાર કારગત નિવડે તે પહેલા અશોકભાઈનું હોસ્પિટલમાં મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો
મૃતક આજથી કુવાડવા ખાતે જ મિત્ર કનુભાઈના કોમ્પ્લેક્ષમાં ગામના કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર મળી રહે તે માટે ખાસ હોસ્પિટલ શરૂ કરવાના હતા
WatchGujarat. કોરોનાની મહામારી વચ્ચે પોઝીટીવ દર્દીના સગાઓમાં ભારે દોડધામ મચી છે. તેમજ માણસોના જીવ બચાવવા દોડધામ કરી રહેલા વાહન ચાલકો વચ્ચે નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી આવી છે. ત્યારે કુવાડવાથી સુર્યારામપરા ગામે કોરોનાગ્રસ્ત માતા માટે ઓક્સિજન બાટલો લઈ જતા ટ્રક સાથે સર્જાયેલા અકસ્માતમાં સૂર્યરામપરાનાં સરપંચનું મોત નિપજ્યું છે. દુર્ઘટનાનાં અરેરાટીભર્યા ફોટાઓ પણ સામે આવ્યા છે. જેમાં તેઓનાં હાથ ટ્રક સાથે ચોંટી ગયા હોવાનું જોઈ શકાય છે.
જાણવા મળતી વિગતો અનુસાર, સુર્યારામપરા ગામે રહેતા 47 વર્ષીય અશોકભાઈ વાલજીભાઈ ઝાલા નામના ગામના સરપંચ કુવાડવાથી સુર્યારામપરા ગામે રાત્રીના કાર લઈને ઓક્સિજન બાટલો લેવા જઈ રહ્યા હતા. ત્યારે રાણપુર ગામ નજીક પહોંચતા અચાનક સામેથી ટ્રક આવી જતાં તેમણે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેને લઈને કાર દિવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈને તાત્કાલિક સારવાર માટે થઈ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા અશોકભાઈનું હોસ્પિટલમાં મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પ્રાથમિક પૂછતાછમાં મૃતક અશોકભાઈ ઝાલા ગામના સરપંચ હોવાની સાથે ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ હતા. તેમને સંતાનમાં બે પૂત્ર અને એક પૂત્રી છે. તેઓ જમીન લે-વેચનો ધંધો કરવાની સાથે કુવાડવામાં ગેરેજ ધરાવતા હતા. તેમના માતા કોરોના પોઝીટી આવ્યા હોવાથી હોમ આઈસોલેટ હતા. માતાને ઓક્સિજનની જરૂર પડતા તેઓ કુવાડવાથી માતા માટે ઓક્સિજનનો બાટલો લઈ ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે મૃતક અશોકભાઈ આજથી કુવાડવા ખાતે જ મિત્ર કનુભાઈના કોમ્પ્લેક્ષમાં ગામના કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર મળી રહે તે માટે ખાસ હોસ્પિટલ શરૂ કરવાના હતા.
47 વર્ષીય અશોકભાઈ વાલજીભાઈ ઝાલા નામના ગામના સરપંચ કુવાડવાથી સુર્યારામપરા ગામે રાત્રીના કાર લઈને ઓક્સિજન બાટલો લેવા જઈ રહ્યા હતા
રાણપુર ગામ નજીક પહોંચતા અચાનક સામેથી ટ્રક આવી જતાં તેમણે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દીધો
સારવાર કારગત નિવડે તે પહેલા અશોકભાઈનું હોસ્પિટલમાં મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો
મૃતક આજથી કુવાડવા ખાતે જ મિત્ર કનુભાઈના કોમ્પ્લેક્ષમાં ગામના કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર મળી રહે તે માટે ખાસ હોસ્પિટલ શરૂ કરવાના હતા
WatchGujarat. કોરોનાની મહામારી વચ્ચે પોઝીટીવ દર્દીના સગાઓમાં ભારે દોડધામ મચી છે. તેમજ માણસોના જીવ બચાવવા દોડધામ કરી રહેલા વાહન ચાલકો વચ્ચે નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી આવી છે. ત્યારે કુવાડવાથી સુર્યારામપરા ગામે કોરોનાગ્રસ્ત માતા માટે ઓક્સિજન બાટલો લઈ જતા ટ્રક સાથે સર્જાયેલા અકસ્માતમાં સૂર્યરામપરાનાં સરપંચનું મોત નિપજ્યું છે. દુર્ઘટનાનાં અરેરાટીભર્યા ફોટાઓ પણ સામે આવ્યા છે. જેમાં તેઓનાં હાથ ટ્રક સાથે ચોંટી ગયા હોવાનું જોઈ શકાય છે.
જાણવા મળતી વિગતો અનુસાર, સુર્યારામપરા ગામે રહેતા 47 વર્ષીય અશોકભાઈ વાલજીભાઈ ઝાલા નામના ગામના સરપંચ કુવાડવાથી સુર્યારામપરા ગામે રાત્રીના કાર લઈને ઓક્સિજન બાટલો લેવા જઈ રહ્યા હતા. ત્યારે રાણપુર ગામ નજીક પહોંચતા અચાનક સામેથી ટ્રક આવી જતાં તેમણે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેને લઈને કાર દિવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈને તાત્કાલિક સારવાર માટે થઈ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા અશોકભાઈનું હોસ્પિટલમાં મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પ્રાથમિક પૂછતાછમાં મૃતક અશોકભાઈ ઝાલા ગામના સરપંચ હોવાની સાથે ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ હતા. તેમને સંતાનમાં બે પૂત્ર અને એક પૂત્રી છે. તેઓ જમીન લે-વેચનો ધંધો કરવાની સાથે કુવાડવામાં ગેરેજ ધરાવતા હતા. તેમના માતા કોરોના પોઝીટી આવ્યા હોવાથી હોમ આઈસોલેટ હતા. માતાને ઓક્સિજનની જરૂર પડતા તેઓ કુવાડવાથી માતા માટે ઓક્સિજનનો બાટલો લઈ ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે મૃતક અશોકભાઈ આજથી કુવાડવા ખાતે જ મિત્ર કનુભાઈના કોમ્પ્લેક્ષમાં ગામના કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર મળી રહે તે માટે ખાસ હોસ્પિટલ શરૂ કરવાના હતા.