દર્દીનું મૃત્યુ થયા બાદ તેને એક કરવામાં 150 કરતા વધુનો સ્ટાફ કાર્યરત
ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોના સગાઓની ફરિયાદ આવતા તંત્રએ પોલીસને જાણ કરી
શંકાસ્પદ 17 જેટલા એટેન્ડન્ટ છૂટા કરી દેવાયા
WatchGujarat. શહેરમાં એકતરફ કોરોનાનો કાળો કેર વરસી રહ્યો છે. બીજીતરફ આ મહામારીમાં માનવતા નેવે મૂકી મૃતદેહ પરથી સોનાનાં દાગીના સહિતની વસ્તુઓ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને ઝડપી લીધા છે. અને તેમના વિરૂદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા ડી. જી નાકરાણીએ આ અંગે યુનિવર્સિટી પોલીસમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, દર્દીનું મૃત્યુ થયા બાદ તેને એક કરવાનું કામ એટેન્ડન્ટ કરતા હોય છે. જેમાં હાલ 150 કરતા વધુનો સ્ટાફ કાર્યરત છે. આ તમામનું સુપરવિઝન સિંગ ગોવિંદસિંહ નામની વ્યક્તિ કરે છે. ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોના સગાઓની ફરિયાદ આવતા પોતે પોલીસને જાણ કરી છે.
આ દરમિયાન શંકાસ્પદ 17 જેટલા એટેન્ડન્ટ છૂટા કરી દેવાયા હતા. જો કે તેઓનો પગાર બાકી હોવા છતાંય વિક્રમ, મહેન્દ્ર અને મામા નામના આ ત્રણેયે હાલ નવા મોબાઈલ - વસ્તુઓની ખરીદી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસને બોલાવી રૂમની તલાશી લેતા એક મોબાઇલ, હાથમાં પહેરવાની બે વીટી, રુદ્રાક્ષની માળા તેમજ રૂ. 32,500ની રોકડ પણ મળી આવી છે. હાલ તો પોલીસે આ ત્રણેયને સકંજામાં લઇ તેઓની આકરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેઓ આ રીતે કેટલા સમયથી ચોરી કરતા હતા? અને અત્યાર સુધી કેટલી ચોરી કરી છે ? સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે.
દર્દીનું મૃત્યુ થયા બાદ તેને એક કરવામાં 150 કરતા વધુનો સ્ટાફ કાર્યરત
ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોના સગાઓની ફરિયાદ આવતા તંત્રએ પોલીસને જાણ કરી
શંકાસ્પદ 17 જેટલા એટેન્ડન્ટ છૂટા કરી દેવાયા
WatchGujarat. શહેરમાં એકતરફ કોરોનાનો કાળો કેર વરસી રહ્યો છે. બીજીતરફ આ મહામારીમાં માનવતા નેવે મૂકી મૃતદેહ પરથી સોનાનાં દાગીના સહિતની વસ્તુઓ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને ઝડપી લીધા છે. અને તેમના વિરૂદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા ડી. જી નાકરાણીએ આ અંગે યુનિવર્સિટી પોલીસમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, દર્દીનું મૃત્યુ થયા બાદ તેને એક કરવાનું કામ એટેન્ડન્ટ કરતા હોય છે. જેમાં હાલ 150 કરતા વધુનો સ્ટાફ કાર્યરત છે. આ તમામનું સુપરવિઝન સિંગ ગોવિંદસિંહ નામની વ્યક્તિ કરે છે. ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોના સગાઓની ફરિયાદ આવતા પોતે પોલીસને જાણ કરી છે.
આ દરમિયાન શંકાસ્પદ 17 જેટલા એટેન્ડન્ટ છૂટા કરી દેવાયા હતા. જો કે તેઓનો પગાર બાકી હોવા છતાંય વિક્રમ, મહેન્દ્ર અને મામા નામના આ ત્રણેયે હાલ નવા મોબાઈલ - વસ્તુઓની ખરીદી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસને બોલાવી રૂમની તલાશી લેતા એક મોબાઇલ, હાથમાં પહેરવાની બે વીટી, રુદ્રાક્ષની માળા તેમજ રૂ. 32,500ની રોકડ પણ મળી આવી છે. હાલ તો પોલીસે આ ત્રણેયને સકંજામાં લઇ તેઓની આકરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેઓ આ રીતે કેટલા સમયથી ચોરી કરતા હતા? અને અત્યાર સુધી કેટલી ચોરી કરી છે ? સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે.