શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા અને 120 પોઝીટીવ કેસ નોંધાયા
કોરોના કેસો વધતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું અને જરૂરી વ્યવસ્થાઓ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ
ઇન્જેક્શનનો જથ્થો રાજકોટને ઓછો મળી રહ્યો હોઈ અધિકારીઓ સાથે વાત પણ કરવામાં આવી - મેડિકલ સ્ટોર્સ એસો. પ્રમુખ મયૂરસિંહ જાડેજા
WatchGujarat. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રક્ષક ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. જેમાં રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સારવારમાં ઉપયોગી ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. એક તરફ તંત્ર દ્વારા સબ સલામત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ હકીકત કંઇક ઓર જ ઇશારો કરી રહી છે. કેસો વધતા તંત્ર અને નવા ચુંટાયેલા પ્રતિનીધીઓ હવે યુદ્ધના ધોરણે તમામ વ્યવસ્થા તૈયાર કરવા કામે લાગ્યા છે.
શહેરમાં કોરોનાનાં સતત વધતા સંક્રમણ વચ્ચે કોરોના દર્દીઓ માટે સંજીવની સમાન ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાનું સામે આવ્યું હતું. કેમિસ્ટ એસોસિએશન દ્વારા આ અંગે કલેક્ટર તંત્રને જાણ પણ કરવામાં આવી હતી. જો કે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ વોચ ગુજરાતને જણાવ્યા મુજબ હાલ 220 રેમડેસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ છે. તેમજ સીએમનાં આદેશથી આજે સાંજ સુધીમાં વધુ જથ્થો પણ મળી જશે. ત્યારે ઇન્જેક્શનની અછતનો કોઈ સવાલ નથી. તો બીજીતરફ રેસકોર્સ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મેયર પ્રદીપ ડવે પણ દવા-ઇન્જેક્શન કે બેડનાં અભાવે શહેરીજનોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી છે. સાથે જ લોકોને માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરી વેકસીનેશન માટે આગળ આવવા અપીલ પણ તેમણે કરી છે.
અત્રે નોંધનીય છે કે, નવ નિયુક્ત મેયર પ્રદિપ ડવે તાજેતરમાં પીપીઇ કીટ પહેરીને કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત લીધી હતી. અને તેમના હાલ ચાલ પુછ્યા હતા. તથા બસમાં મુસાફરી કરતા લોકોને માસ્ક વહેંચીને મિડીયામાં છવાઇ ગયા હતા. પોતાની લોકપ્રિયતાનો આંક ઉચો કરવા માટે એક તરફ મેયર દ્વારા ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરમાં કોરોના કેસો વધતા જરૂરી ઇન્જેક્શનની કટોકટી સર્જાઇ હતી. જેને લઇને તેઓ આજે પણ મિડીયા સમક્ષ ખોંખારીને કશું કહી શક્યા નથી.
રાજકોટ રેમડેસિવિર ઇન્જેક્શન આઉટ ઓફ સ્ટોક હોવાની બૂમ ઉઠી હતી
રાજકોટમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો હોવાનું સામે આવ્યું હતું. શહેરના કોઈપણ મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક નહીં હોવાનું ખુલતા દોડધામ મચી હતી. અને બે દિવસથી ઇન્જેક્શનનો માલ ન મળતો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જેને લઈને કેમિસ્ટ એસોસીએશન દ્વારા આઉટ ઓફ સ્ટોકની બૂમ ઉઠી હતી. રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિયએશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખૂબ અગત્યતા ધરાવે છે. હાલમાં આ ઇન્જેક્શનનો જથ્થો રાજકોટને ઓછો મળી રહ્યો હોઈ અધિકારીઓ સાથે વાત પણ કરવામાં આવી છે.
ST વિભાગનાં કર્મચારીઓ માટે યોજાયો વેક્સિનેશન કેમ્પ
શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે 120 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને લઈને તંત્ર દ્વારા વેકસીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ST વિભાગનાં કર્મચારીઓ માટે ખાસ વેકસીનેશનનો કેમ્પ યોજાયો હતો. જેમાં મેયર પ્રદીપ ડવ ખાસ હાજર રહ્યા હતા. રાજકોટ સેન્ટ્રલ ઝોન બસ સ્ટેશન ખાતેનાં આ કેમ્પમાં એસ.ટી.ના ડ્રાઇવર-કંડકટર અને વહીવટી વિભાગના કર્મચારીઓને પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમજ બસ સ્ટેશન ખાતે આવનાર 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓનું પણ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કોરોના કેસો વધતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું અને જરૂરી વ્યવસ્થાઓ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ
ઇન્જેક્શનનો જથ્થો રાજકોટને ઓછો મળી રહ્યો હોઈ અધિકારીઓ સાથે વાત પણ કરવામાં આવી - મેડિકલ સ્ટોર્સ એસો. પ્રમુખ મયૂરસિંહ જાડેજા
WatchGujarat. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રક્ષક ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. જેમાં રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની સારવારમાં ઉપયોગી ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. એક તરફ તંત્ર દ્વારા સબ સલામત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ હકીકત કંઇક ઓર જ ઇશારો કરી રહી છે. કેસો વધતા તંત્ર અને નવા ચુંટાયેલા પ્રતિનીધીઓ હવે યુદ્ધના ધોરણે તમામ વ્યવસ્થા તૈયાર કરવા કામે લાગ્યા છે.
શહેરમાં કોરોનાનાં સતત વધતા સંક્રમણ વચ્ચે કોરોના દર્દીઓ માટે સંજીવની સમાન ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાનું સામે આવ્યું હતું. કેમિસ્ટ એસોસિએશન દ્વારા આ અંગે કલેક્ટર તંત્રને જાણ પણ કરવામાં આવી હતી. જો કે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ વોચ ગુજરાતને જણાવ્યા મુજબ હાલ 220 રેમડેસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ છે. તેમજ સીએમનાં આદેશથી આજે સાંજ સુધીમાં વધુ જથ્થો પણ મળી જશે. ત્યારે ઇન્જેક્શનની અછતનો કોઈ સવાલ નથી. તો બીજીતરફ રેસકોર્સ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મેયર પ્રદીપ ડવે પણ દવા-ઇન્જેક્શન કે બેડનાં અભાવે શહેરીજનોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી છે. સાથે જ લોકોને માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરી વેકસીનેશન માટે આગળ આવવા અપીલ પણ તેમણે કરી છે.
અત્રે નોંધનીય છે કે, નવ નિયુક્ત મેયર પ્રદિપ ડવે તાજેતરમાં પીપીઇ કીટ પહેરીને કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત લીધી હતી. અને તેમના હાલ ચાલ પુછ્યા હતા. તથા બસમાં મુસાફરી કરતા લોકોને માસ્ક વહેંચીને મિડીયામાં છવાઇ ગયા હતા. પોતાની લોકપ્રિયતાનો આંક ઉચો કરવા માટે એક તરફ મેયર દ્વારા ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરમાં કોરોના કેસો વધતા જરૂરી ઇન્જેક્શનની કટોકટી સર્જાઇ હતી. જેને લઇને તેઓ આજે પણ મિડીયા સમક્ષ ખોંખારીને કશું કહી શક્યા નથી.
રાજકોટ રેમડેસિવિર ઇન્જેક્શન આઉટ ઓફ સ્ટોક હોવાની બૂમ ઉઠી હતી
રાજકોટમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો હોવાનું સામે આવ્યું હતું. શહેરના કોઈપણ મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક નહીં હોવાનું ખુલતા દોડધામ મચી હતી. અને બે દિવસથી ઇન્જેક્શનનો માલ ન મળતો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જેને લઈને કેમિસ્ટ એસોસીએશન દ્વારા આઉટ ઓફ સ્ટોકની બૂમ ઉઠી હતી. રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિયએશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખૂબ અગત્યતા ધરાવે છે. હાલમાં આ ઇન્જેક્શનનો જથ્થો રાજકોટને ઓછો મળી રહ્યો હોઈ અધિકારીઓ સાથે વાત પણ કરવામાં આવી છે.
ST વિભાગનાં કર્મચારીઓ માટે યોજાયો વેક્સિનેશન કેમ્પ
શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે 120 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને લઈને તંત્ર દ્વારા વેકસીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ST વિભાગનાં કર્મચારીઓ માટે ખાસ વેકસીનેશનનો કેમ્પ યોજાયો હતો. જેમાં મેયર પ્રદીપ ડવ ખાસ હાજર રહ્યા હતા. રાજકોટ સેન્ટ્રલ ઝોન બસ સ્ટેશન ખાતેનાં આ કેમ્પમાં એસ.ટી.ના ડ્રાઇવર-કંડકટર અને વહીવટી વિભાગના કર્મચારીઓને પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમજ બસ સ્ટેશન ખાતે આવનાર 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓનું પણ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.