કોરોનાની સારવાર માટે સંજીવની ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ફરી એકવાર મોટા ભાગના મેડિકલ સ્ટોર્સમાં સમાપ્ત
સ્મશાનમાં કોવિડ ગાઈડલાઇન અનુસાર કરવામાં આવતા અંતિમસંસ્કારનો આંકડો ઘણો મોટો હોય તંત્ર આંકડા છુપાવતું હોવાનું નકારી શકાય તેમ નથી
3,400 ઇન્જેક્શનનો જથ્થો ફાળવી દીધાના માત્ર બે દિવસમાં રાજકોટમાં ફરી ઈન્જેક્શનની અછત સર્જાઈ
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના સામેની લડાઈ માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર હોવાના દાવાઓ કરી રહ્યું છે. જો કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ જ આ દાવાને ખોખલા સાબિત કરી રહ્યા છે. ત્યારે 24 કલાકમાં વધુ 16 દર્દીઓએ કોરોનાની સારવાર વચ્ચે જીવ ગુમાવતા ફફડાટ વધ્યો છે. બીજીતરફ પોઝીટીવ કેસની કુલ સંખ્યા પણ 20 હજારને પાર થઈ ચૂકી છે. જેને લઈને સબ સલામતનાં તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે. રવિવારે પણ ફરી એકવાર કોરોનાનાં દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટમાં કોરોનાની સારવાર માટે સંજીવની ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ફરી એકવાર મોટા ભાગના મેડિકલ સ્ટોર્સમાં સમાપ્ત થયો છે. રવિવારે રેમડેસિવર ઇન્જેક્શનની અછત અંગે વિકાસ મેડિકલ સ્ટોરના સંચાલકે કહ્યું હતું કે, આજે રજામાં સ્ટોકીસ્ટ શોપ બંધ હોવાથી 100 જેટલા લોકોને ઇન્જેક્શન ન મળવાથી પરત મોકલવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શનની અછત અંગેનો અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા બાદ 3400 ઇન્જેક્શનનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. પરંતુ તેના માત્ર બે દિવસમાં રાજકોટમાં ફરી ઈન્જેક્શનની અછત સર્જાઈ છે.
રાજકોટમાં રવિવારે કોરોનાની સારવાર દરમિયાન 14 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જે પૈકી માત્ર બે દર્દીના મોત કોરોનાને કારણે થયા હોવાનું ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો શનિવારે 13 પૈકી એકપણ મોત કોરોનાથી નહીં થયું હોવાનું જાહેર થયું હતું. જો કે સ્મશાનમાં કોવિડ ગાઈડલાઇન અનુસાર કરવામાં આવતા અંતિમસંસ્કારનો આંકડો ઘણો મોટો હોય તંત્ર આંકડા છુપાવતું હોવાનું નકારી શકાય તેમ નથી. રવિવારે શહેરમાં 233 કેસ અને જિલ્લામાં 43 એમ કુલ 276 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેમજ શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20003 અને જિલ્લામાં 7769 થઇ છે.
પોઝીટીવ કેસોની સતત વધતી સંખ્યાને કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે. અને હાલ દરરોજના 200થી વધુ પોઝીટીવ કેસ આવે છે ત્યારે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં મળીને માત્ર 585 બેડ ઉપલબ્ધ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જો પોઝીટીવ કેસોની સંખ્યા આ રીતે વધતી રહેશે તો ત્રણ દિવસમાં તમામ બેડ ફૂલ થઈ જવાની પૂરતી શક્યતા છે. તો બીજીતરફ તંત્ર દ્વારા કોરોનાને રોકવા માટે રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને ઠેર-ઠેર વેકસીનેશનનાં કેમ્પો યોજવામાં આવી રહ્યા છે.
કોરોનાની સારવાર માટે સંજીવની ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ફરી એકવાર મોટા ભાગના મેડિકલ સ્ટોર્સમાં સમાપ્ત
સ્મશાનમાં કોવિડ ગાઈડલાઇન અનુસાર કરવામાં આવતા અંતિમસંસ્કારનો આંકડો ઘણો મોટો હોય તંત્ર આંકડા છુપાવતું હોવાનું નકારી શકાય તેમ નથી
3,400 ઇન્જેક્શનનો જથ્થો ફાળવી દીધાના માત્ર બે દિવસમાં રાજકોટમાં ફરી ઈન્જેક્શનની અછત સર્જાઈ
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના સામેની લડાઈ માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર હોવાના દાવાઓ કરી રહ્યું છે. જો કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ જ આ દાવાને ખોખલા સાબિત કરી રહ્યા છે. ત્યારે 24 કલાકમાં વધુ 16 દર્દીઓએ કોરોનાની સારવાર વચ્ચે જીવ ગુમાવતા ફફડાટ વધ્યો છે. બીજીતરફ પોઝીટીવ કેસની કુલ સંખ્યા પણ 20 હજારને પાર થઈ ચૂકી છે. જેને લઈને સબ સલામતનાં તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે. રવિવારે પણ ફરી એકવાર કોરોનાનાં દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટમાં કોરોનાની સારવાર માટે સંજીવની ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ફરી એકવાર મોટા ભાગના મેડિકલ સ્ટોર્સમાં સમાપ્ત થયો છે. રવિવારે રેમડેસિવર ઇન્જેક્શનની અછત અંગે વિકાસ મેડિકલ સ્ટોરના સંચાલકે કહ્યું હતું કે, આજે રજામાં સ્ટોકીસ્ટ શોપ બંધ હોવાથી 100 જેટલા લોકોને ઇન્જેક્શન ન મળવાથી પરત મોકલવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શનની અછત અંગેનો અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા બાદ 3400 ઇન્જેક્શનનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. પરંતુ તેના માત્ર બે દિવસમાં રાજકોટમાં ફરી ઈન્જેક્શનની અછત સર્જાઈ છે.
રાજકોટમાં રવિવારે કોરોનાની સારવાર દરમિયાન 14 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જે પૈકી માત્ર બે દર્દીના મોત કોરોનાને કારણે થયા હોવાનું ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો શનિવારે 13 પૈકી એકપણ મોત કોરોનાથી નહીં થયું હોવાનું જાહેર થયું હતું. જો કે સ્મશાનમાં કોવિડ ગાઈડલાઇન અનુસાર કરવામાં આવતા અંતિમસંસ્કારનો આંકડો ઘણો મોટો હોય તંત્ર આંકડા છુપાવતું હોવાનું નકારી શકાય તેમ નથી. રવિવારે શહેરમાં 233 કેસ અને જિલ્લામાં 43 એમ કુલ 276 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેમજ શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20003 અને જિલ્લામાં 7769 થઇ છે.
પોઝીટીવ કેસોની સતત વધતી સંખ્યાને કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે. અને હાલ દરરોજના 200થી વધુ પોઝીટીવ કેસ આવે છે ત્યારે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં મળીને માત્ર 585 બેડ ઉપલબ્ધ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જો પોઝીટીવ કેસોની સંખ્યા આ રીતે વધતી રહેશે તો ત્રણ દિવસમાં તમામ બેડ ફૂલ થઈ જવાની પૂરતી શક્યતા છે. તો બીજીતરફ તંત્ર દ્વારા કોરોનાને રોકવા માટે રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને ઠેર-ઠેર વેકસીનેશનનાં કેમ્પો યોજવામાં આવી રહ્યા છે.