નોટબંધી લાગુ કર્યાને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે
રદ થયેલી ચલણી નોટ એક્સચેન્જ કરી કમિશન મેળવવા અંગેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ બની
WatchGujarat. કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016 ના રોજ નોટ બંધી લાગુ કરી હતી. ત્યારે નોટબંધી લાગુ કર્યાને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. જો કે આમ છતાં અવારનવાર રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી રદ કરવામાં આવેલી રૂપિયા 500 અને 1000 ના દરની રદ થયેલી ચલણી નોટો મળી રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત રદ થયેલી રૂપિયા 500ના દરની 36 લાખ રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડા રહેતો હરેશભાઈ જેસીંગભાઇ ચાવડા નામનો વ્યક્તિ પોતાના પિતરાઈ સાથે રાજકોટ શહેરમાં રદ કરવામાં આવેલી ચલણી નોટો એક્સચેન્જ કરવા આવ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. અને મેહુલ ઉર્ફે મૌલિક બાબરીયા કે જે ધોરાજી ગામનો છે તે રદ થયેલી ચલણી નોટ એક્સચેન્જ કરી કમિશન મેળવવાનો હોવાનું જાણવા મળ્યું હતું.
જેને પગલે વોચ ગોઠવવામાં આવી હતી. અને આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતાં બંસીધર કાંટાની સામે આવેલા રામ પાર્કના ખૂણેથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અને તેમની પાસે રહેલી 36 લાખ રૂપિયાની રદ કરવામાં આવેલી ચલણી નોટો પણ કબ્જે કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછમાં પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે મેહુલ અને હરેશ છેલ્લા એક-દોઢ વર્ષથી એકબીજાના પરિચયમાં છે. ત્યારે હરેશ એ પોતાની પાસે કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલી ચલણી નોટ હોવાનું મેહુલને જણાવ્યું હતું. જે સંદર્ભે મેહુલે હરેશ મેં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માં મારું સેટિંગ છે જ્યાં હું તને રદ થયેલી ચલણી નોટ બદલાવી આપીશ. ત્યારે મેહુલે કરેલી વાતમાં આવી હરેશે 36 લાખ રૂપિયાની રદ થયેલી ચલણી નોટ પોતાના ભાઈ દિલીપને ત્યાં મૂકી હતી.
નોટબંધી લાગુ કર્યાને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે
રદ થયેલી ચલણી નોટ એક્સચેન્જ કરી કમિશન મેળવવા અંગેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ બની
WatchGujarat. કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016 ના રોજ નોટ બંધી લાગુ કરી હતી. ત્યારે નોટબંધી લાગુ કર્યાને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. જો કે આમ છતાં અવારનવાર રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી રદ કરવામાં આવેલી રૂપિયા 500 અને 1000 ના દરની રદ થયેલી ચલણી નોટો મળી રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત રદ થયેલી રૂપિયા 500ના દરની 36 લાખ રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડા રહેતો હરેશભાઈ જેસીંગભાઇ ચાવડા નામનો વ્યક્તિ પોતાના પિતરાઈ સાથે રાજકોટ શહેરમાં રદ કરવામાં આવેલી ચલણી નોટો એક્સચેન્જ કરવા આવ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. અને મેહુલ ઉર્ફે મૌલિક બાબરીયા કે જે ધોરાજી ગામનો છે તે રદ થયેલી ચલણી નોટ એક્સચેન્જ કરી કમિશન મેળવવાનો હોવાનું જાણવા મળ્યું હતું.
જેને પગલે વોચ ગોઠવવામાં આવી હતી. અને આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતાં બંસીધર કાંટાની સામે આવેલા રામ પાર્કના ખૂણેથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અને તેમની પાસે રહેલી 36 લાખ રૂપિયાની રદ કરવામાં આવેલી ચલણી નોટો પણ કબ્જે કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછમાં પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે મેહુલ અને હરેશ છેલ્લા એક-દોઢ વર્ષથી એકબીજાના પરિચયમાં છે. ત્યારે હરેશ એ પોતાની પાસે કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલી ચલણી નોટ હોવાનું મેહુલને જણાવ્યું હતું. જે સંદર્ભે મેહુલે હરેશ મેં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માં મારું સેટિંગ છે જ્યાં હું તને રદ થયેલી ચલણી નોટ બદલાવી આપીશ. ત્યારે મેહુલે કરેલી વાતમાં આવી હરેશે 36 લાખ રૂપિયાની રદ થયેલી ચલણી નોટ પોતાના ભાઈ દિલીપને ત્યાં મૂકી હતી.