કૃષિબિલ અંગે રાજકોટ ખાતે 'ખેડૂત સંમેલન' બોલાવાયું
આંબલિયાએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરાયા હતા.
ભારત સરકારે દેશની જનતા અને ખાસ કરીને ખેડૂતોને સીધી અસર કરતા કાયદાઓ ઓર્ડીનન્સ સ્વરૂપે લાવી, બાદ કાયદા સ્વરૂપે અમલમાં મુક્યા - પાલ આંબલિયા
WatchGujarat. શહેરની મિન્ટ હોટલ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિલ્હી ખેડૂત આંદોલન અગ્રણી અમરજીતસિંઘ અને ઇન્દ્રપાલ ખાસ હાજર રહ્યા હતા. આ તકે આંબલિયા દ્વારા ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરાયા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, કૃષિબિલ અંગે રાજકોટ ખાતે 'ખેડૂત સંમેલન' બોલાવાયું હતું. પરંતુ ગુજરાતની ભાજપ સરકારે રાજ્યમાં અનડિકલેર્ડ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જી દીધી છે. સાથે જ હાલમાં 200 કરતા વધુ ખેડૂતો નજરકેદ હોવાનો સણસણતો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે દેશની જનતા અને ખાસ કરીને ખેડૂતોને સીધી અસર કરતા કાયદાઓ ઓર્ડીનન્સ સ્વરૂપે લાવી, બાદ કાયદા સ્વરૂપે અમલમાં મુક્યા છે. જેને લઈને કાયદાઓ અંગે દેશની સંસદમાં વિસ્તૃત ચર્ચા થયેલ નથી. તેમજ નામદાર સુપ્રિમ કોર્ટે પણ આ કાયદાના અમલમાં ટેમ્પરરી રોક લગાવી છે. છતાં ભાજપનાં નેતાઓ આ બધા કાયદાઓના ફાયદા જણાવવા ઠેર-ઠેર ખેડૂત સંમેલન યોજી રહ્યા છે. પણ આવું જ ખેડૂત સંમેલન યોજતા અમને રોકવામાં આવી રહ્યા છે. લોકશાહીમાં પોતાની વાત રજૂ કરવાનો સૌને અધિકાર મળવો જોઈએ.
દિલ્હી ખેડૂત આંદોલનના અગ્રણી અમરજીતસિંઘે કહ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રીને જો ખરેખર વિશ્વાસ હોય કે રાજ્યના ખેડૂતો ખુશ છે. તો આંદોલન કરવા છૂટ કેમ નથી આપતા ? એક વખત આ માટેની છૂટ આપશે તો ખ્યાલ આવશે કે ખરેખર ખેડૂતો ખુશ છે કે તેનામાં આક્રોશ છે. આંદોલન વિશે જણાવતા તેમણે કહ્યું કે, આ આંદોલન પંજાબથી શરૂ થયું છે. દિલ્હી બોર્ડર પર અલગ અલગ રાજ્યોના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ખેડૂતો કૃષિ કાયદાને મોત સમાન માની રહ્યાં છે. હાલમાં રાજકોટના ખેડૂતો સાથે બેઠક ચાલી રહી છે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવનાર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારના આ કૃષિબિલો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ પ્રજા વિરોધી પણ છે. કારણ કે આ બધા બિલો લાગુ થયા બાદ મોંઘવારી આસમાને પહોંચવાની દહેશત છે. જેમાં પ્રજા પીસાય નહીં તે માટે 57 દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર કૃષિબિલ વિરોધી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે સામાન્ય પ્રજા પણ આ આંદોલનમાં જોડાશે તો સરકાર બિલ પાછુ ખેંચવા મજબૂર થશે તે નિશ્ચિત છે. જો ખેડૂત બીલ અમલી થશે તો ખેડૂતો પતી જશે અને અદાણી-અંબાણી જેવી કંપનીઓ નફાખોરી કરશે.
કૃષિબિલ અંગે રાજકોટ ખાતે 'ખેડૂત સંમેલન' બોલાવાયું
આંબલિયાએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરાયા હતા.
ભારત સરકારે દેશની જનતા અને ખાસ કરીને ખેડૂતોને સીધી અસર કરતા કાયદાઓ ઓર્ડીનન્સ સ્વરૂપે લાવી, બાદ કાયદા સ્વરૂપે અમલમાં મુક્યા - પાલ આંબલિયા
WatchGujarat. શહેરની મિન્ટ હોટલ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિલ્હી ખેડૂત આંદોલન અગ્રણી અમરજીતસિંઘ અને ઇન્દ્રપાલ ખાસ હાજર રહ્યા હતા. આ તકે આંબલિયા દ્વારા ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરાયા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, કૃષિબિલ અંગે રાજકોટ ખાતે 'ખેડૂત સંમેલન' બોલાવાયું હતું. પરંતુ ગુજરાતની ભાજપ સરકારે રાજ્યમાં અનડિકલેર્ડ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જી દીધી છે. સાથે જ હાલમાં 200 કરતા વધુ ખેડૂતો નજરકેદ હોવાનો સણસણતો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે દેશની જનતા અને ખાસ કરીને ખેડૂતોને સીધી અસર કરતા કાયદાઓ ઓર્ડીનન્સ સ્વરૂપે લાવી, બાદ કાયદા સ્વરૂપે અમલમાં મુક્યા છે. જેને લઈને કાયદાઓ અંગે દેશની સંસદમાં વિસ્તૃત ચર્ચા થયેલ નથી. તેમજ નામદાર સુપ્રિમ કોર્ટે પણ આ કાયદાના અમલમાં ટેમ્પરરી રોક લગાવી છે. છતાં ભાજપનાં નેતાઓ આ બધા કાયદાઓના ફાયદા જણાવવા ઠેર-ઠેર ખેડૂત સંમેલન યોજી રહ્યા છે. પણ આવું જ ખેડૂત સંમેલન યોજતા અમને રોકવામાં આવી રહ્યા છે. લોકશાહીમાં પોતાની વાત રજૂ કરવાનો સૌને અધિકાર મળવો જોઈએ.
દિલ્હી ખેડૂત આંદોલનના અગ્રણી અમરજીતસિંઘે કહ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રીને જો ખરેખર વિશ્વાસ હોય કે રાજ્યના ખેડૂતો ખુશ છે. તો આંદોલન કરવા છૂટ કેમ નથી આપતા ? એક વખત આ માટેની છૂટ આપશે તો ખ્યાલ આવશે કે ખરેખર ખેડૂતો ખુશ છે કે તેનામાં આક્રોશ છે. આંદોલન વિશે જણાવતા તેમણે કહ્યું કે, આ આંદોલન પંજાબથી શરૂ થયું છે. દિલ્હી બોર્ડર પર અલગ અલગ રાજ્યોના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ખેડૂતો કૃષિ કાયદાને મોત સમાન માની રહ્યાં છે. હાલમાં રાજકોટના ખેડૂતો સાથે બેઠક ચાલી રહી છે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવનાર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારના આ કૃષિબિલો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ પ્રજા વિરોધી પણ છે. કારણ કે આ બધા બિલો લાગુ થયા બાદ મોંઘવારી આસમાને પહોંચવાની દહેશત છે. જેમાં પ્રજા પીસાય નહીં તે માટે 57 દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર કૃષિબિલ વિરોધી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે સામાન્ય પ્રજા પણ આ આંદોલનમાં જોડાશે તો સરકાર બિલ પાછુ ખેંચવા મજબૂર થશે તે નિશ્ચિત છે. જો ખેડૂત બીલ અમલી થશે તો ખેડૂતો પતી જશે અને અદાણી-અંબાણી જેવી કંપનીઓ નફાખોરી કરશે.