સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે રસિકભાઈ શીંગાળા નામના ખેડૂતે નવતર પ્રયોગ શરૂ કર્યો
તિબેટીયન સાઉન્ડ થેરેપીથી ખેતી કરી છોડવાનો વિકાસ સારી રીતે સંભવિત બનવાનો ખેડુતનો દાવો
મોટી સંખ્યામાં રંગીલા રાજકોટિયનો તેમના શાકભાજી ખરીદવા તરફ આકર્ષાયા
WatchGujarat. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હાલ ઓર્ગેનિક ફાર્મિંગનું ક્લચર વધ્યું છે. અને લોકો ઓર્ગનિક ફાર્મિંગ દ્વારા ઉગાડેલા શાકભાજી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તો શહેરના ખેડૂતે ઓર્ગેનિક ફાર્મિંગમાં સાઉન્ડની ખાસ થેરેપી આપીને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. ખેડૂતનો દાવો પણ છે કે, આ પદ્ધતિથી શાકભાજીનાં છોડવાઓનો વિકાસ સારી રીતે સંભવિત બની રહે છે.
શહેરની મધ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે રસિકભાઈ શીંગાળા નામના ખેડૂતે આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં તેઓ પોતાની પત્ની અને સ્વજનો સાથે ખેતી કરે છે. જેથી લોકો સારી ગુણવત્તાનાં ઓર્ગેનિક શાકભાજી મેળવી શકે. ઓર્ગનિક ફાર્મિંગમાંથી તૈયાર થતા આ શાકભાજીનું તેઓ પોતાના ફાર્મની બહારથી વેચાણ કરે છે. અને મોટી સંખ્યામાં રંગીલા રાજકોટિયનો તેમના શાકભાજી ખરીદવા લાગ્યા છે.
https://youtu.be/EwmlDa6ggqE
રસિકભાઈ શીંગાળાનાં કહેવા મુજબ, કેમિકલ યુક્ત દવા અને ખાતર ખુબ મોંઘા હોય છે. અને આ સાથે જ તેના કારણે માણસમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને ઓર્ગેનિક રીતે શાકભાજીની ખેતી કરવાનો મને વિચાર આવ્યો હતો. જેમાં પત્ની અને પરિવારનો પણ સહયોગ મળતા આ ખેતી શરૂ કરી હતી. જો કે બાદમાં તિબેટીયન સાઉન્ડ થેરેપી વિશે જાણવા મળ્યું હતું. જેને લઈને શાકભાજીની ખેતીને સાઉન્ડ થેરેપી આપવાનું શરૂ કર્યું છે.
આ સાઉન્ડ થેરેપી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, તિબેટીયન સાઉન્ડ થેરેપી એ રૂટ થેરેપી પણ છે. જેમાં બાઉલ અને ધ્વનિના ઇન્સ્ટ્રુમેન્ટથી એક સાઉન્ડની એક ફ્રિકવન્સી આપવામાં આવે છે. જીવ શ્રુષ્ટિની ઉત્પત્તિ સાઉન્ડ અને વાઈબ્રેશનથી થઇ હોવાના ખાસ ઉદ્દેશથી તિબેટમાં આ સિસ્ટમ ડેવલોપ થઇ છે. થેરેપીથી છોડવા કે વનસ્પતિનો વિકાસ થાય છે. સાથે જ શરીરના અને વનસ્પતિ સૃષ્ટિનાં કોઈપણ રોગ મટાડી શકાય છે. એક સપ્તાહમાં 2 થી 3 દિવસ 45 મિનિટથી એક કલાક આ થેરેપી આપવામાં આવે છે. તેમજ થેરેપી દ્વારા તૈયાર થયેલ શાકભાજી ખાવાથી શરીર પણ નિરોગી રહેતું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ સામે આવ્યું કે મધુર ધ્વનિ સાંભળવાથી માણસમાં રહેલું સ્ટ્રેસનું સ્તર ઘટી જાય છે. આ જ રિસર્ચ વૃક્ષો અને છોડવા ઉપર પણ થયો છે. જેમાં તારણ આવ્યું છે કે સકારાત્મક ધ્વનિ થી છોડવાનો વિકાસ અન્ય કરતા સારો અને પ્રબળ હોય છે. ત્યારે હાલમાં રસિકભાઈ શીંગાળા ટમેટા, ગાજર,બીટ, મરચા, પાલક, આમળા, ગોબી, રીંગણાં, વટાણા સહીત અનેક શાકભાજીની ખેતી કરે છે. એટલું જ નહીં આ તમામ શાકભાજી માટે તેઓ કોઈ ખાતર કે કેમિકલ નહીં પરંતુ માત્ર સાઉન્ડ થેરેપીનો ઉપયોગ કરે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે રસિકભાઈ શીંગાળા નામના ખેડૂતે નવતર પ્રયોગ શરૂ કર્યો
તિબેટીયન સાઉન્ડ થેરેપીથી ખેતી કરી છોડવાનો વિકાસ સારી રીતે સંભવિત બનવાનો ખેડુતનો દાવો
મોટી સંખ્યામાં રંગીલા રાજકોટિયનો તેમના શાકભાજી ખરીદવા તરફ આકર્ષાયા
WatchGujarat. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હાલ ઓર્ગેનિક ફાર્મિંગનું ક્લચર વધ્યું છે. અને લોકો ઓર્ગનિક ફાર્મિંગ દ્વારા ઉગાડેલા શાકભાજી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તો શહેરના ખેડૂતે ઓર્ગેનિક ફાર્મિંગમાં સાઉન્ડની ખાસ થેરેપી આપીને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. ખેડૂતનો દાવો પણ છે કે, આ પદ્ધતિથી શાકભાજીનાં છોડવાઓનો વિકાસ સારી રીતે સંભવિત બની રહે છે.
શહેરની મધ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે રસિકભાઈ શીંગાળા નામના ખેડૂતે આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં તેઓ પોતાની પત્ની અને સ્વજનો સાથે ખેતી કરે છે. જેથી લોકો સારી ગુણવત્તાનાં ઓર્ગેનિક શાકભાજી મેળવી શકે. ઓર્ગનિક ફાર્મિંગમાંથી તૈયાર થતા આ શાકભાજીનું તેઓ પોતાના ફાર્મની બહારથી વેચાણ કરે છે. અને મોટી સંખ્યામાં રંગીલા રાજકોટિયનો તેમના શાકભાજી ખરીદવા લાગ્યા છે.
રસિકભાઈ શીંગાળાનાં કહેવા મુજબ, કેમિકલ યુક્ત દવા અને ખાતર ખુબ મોંઘા હોય છે. અને આ સાથે જ તેના કારણે માણસમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને ઓર્ગેનિક રીતે શાકભાજીની ખેતી કરવાનો મને વિચાર આવ્યો હતો. જેમાં પત્ની અને પરિવારનો પણ સહયોગ મળતા આ ખેતી શરૂ કરી હતી. જો કે બાદમાં તિબેટીયન સાઉન્ડ થેરેપી વિશે જાણવા મળ્યું હતું. જેને લઈને શાકભાજીની ખેતીને સાઉન્ડ થેરેપી આપવાનું શરૂ કર્યું છે.
આ સાઉન્ડ થેરેપી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, તિબેટીયન સાઉન્ડ થેરેપી એ રૂટ થેરેપી પણ છે. જેમાં બાઉલ અને ધ્વનિના ઇન્સ્ટ્રુમેન્ટથી એક સાઉન્ડની એક ફ્રિકવન્સી આપવામાં આવે છે. જીવ શ્રુષ્ટિની ઉત્પત્તિ સાઉન્ડ અને વાઈબ્રેશનથી થઇ હોવાના ખાસ ઉદ્દેશથી તિબેટમાં આ સિસ્ટમ ડેવલોપ થઇ છે. થેરેપીથી છોડવા કે વનસ્પતિનો વિકાસ થાય છે. સાથે જ શરીરના અને વનસ્પતિ સૃષ્ટિનાં કોઈપણ રોગ મટાડી શકાય છે. એક સપ્તાહમાં 2 થી 3 દિવસ 45 મિનિટથી એક કલાક આ થેરેપી આપવામાં આવે છે. તેમજ થેરેપી દ્વારા તૈયાર થયેલ શાકભાજી ખાવાથી શરીર પણ નિરોગી રહેતું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ સામે આવ્યું કે મધુર ધ્વનિ સાંભળવાથી માણસમાં રહેલું સ્ટ્રેસનું સ્તર ઘટી જાય છે. આ જ રિસર્ચ વૃક્ષો અને છોડવા ઉપર પણ થયો છે. જેમાં તારણ આવ્યું છે કે સકારાત્મક ધ્વનિ થી છોડવાનો વિકાસ અન્ય કરતા સારો અને પ્રબળ હોય છે. ત્યારે હાલમાં રસિકભાઈ શીંગાળા ટમેટા, ગાજર,બીટ, મરચા, પાલક, આમળા, ગોબી, રીંગણાં, વટાણા સહીત અનેક શાકભાજીની ખેતી કરે છે. એટલું જ નહીં આ તમામ શાકભાજી માટે તેઓ કોઈ ખાતર કે કેમિકલ નહીં પરંતુ માત્ર સાઉન્ડ થેરેપીનો ઉપયોગ કરે છે.