ફાયર વિભાગ દ્વારા આવતીકાલથી ફાયર એનઓસી મુદ્દે શાળાઓમાં ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે
તાજેતરમાં હાઈકોર્ટે જે શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોય તેને બંધ કરાવવાનો આદેશ આપતા તંત્રએ આજથી હોસ્પિટલો અને શાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે - ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર
મોટા ભાગની સ્કૂલો-હોસ્પિટલો ફાયર એનઓસી વિહોણી છે - મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ
WatchGujarat. ફાયર NOC મુદ્દે મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. હાઈકોર્ટે ફરીથી પણ સ્કૂલોમાં ચેકીંગ કરી NOC વિનાની સ્કૂલો બંધ કરાવવા સૂચના આપી છે. જેને લઈને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે આવી સ્કૂલો સામે કડક કાર્યવાહીનાં આદેશો આપ્યા છે. સાંજે આ માટે ફાયર વિભાગ સાથે સમિક્ષા મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની તપાસમાં જાણવા મળ્યા અનુસાર હાલ શહેરમાં આવેલી 400 કરતા વધુ સ્કૂલો પૈકી માત્ર 120 પાસે ફાયર NOC છે. ત્યારે હવે આગામી દિવસોમાં બાકીની સ્કૂલો વિરુદ્ધ સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરે કહ્યું હતું કે, અગાઉ શહેરની તમામ સરકારી-ખાનગી શાળાઓને પણ નોટિસો પાઠવવામાં આવી હતી. બાદમાં અમૂક સ્કૂલોએ નિયમ મુજબ અરજી કરી એનઓસી મેળવી છે. જ્યારે બાકીના યુનિટોએ આજ સુધી એનઓસી મેળવી નથી. છતા ફાયર વિભાગ દ્વારા તેઓને સમય આપી એનઓસી મેળવવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ, તાજેતરમાં હાઈકોર્ટે જે શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોય તેને બંધ કરાવવાનો આદેશ આપતા રાજકોટ મહાનગરપાલિકા તંત્રએ આજથી હોસ્પિટલો અને શાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યા મુજબ, મોટા ભાગની સ્કૂલો-હોસ્પિટલો ફાયર એનઓસી વિહોણી છે. પરિણામે હાઈકોર્ટના આદેશ બાદ કોર્પોરેશનની આ પ્રથમ જવાબદારી બનતી હોય આવતીકાલથી ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે શાળાઓમાં ચેકીંગ હાથ ધરાયું તેમાં ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેમને નોટિસ અપાઈ હોય અને નોટિસની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવી શાળાઓમાં કાલથી ચેકીંગ હાથ ધરવામાં આવશે. અને નિયમ મુજબ, ફાયર સેફ્ટીના સાધનો વસાવેલા નહીં હોય કે એનઓસી મેળવેલ નહીં હોય તેવી તમામ શાળાઓને સીલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગ દ્વારા આવતીકાલથી ફાયર એનઓસી મુદ્દે શાળાઓમાં ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવનાર છે. સાથે કોમર્શિયલ બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલો કે જેમની પાસે માર્જીનની જગ્યા નથી. તેઓને એક્ઝીટ ગેઈટ માટે લોખંડની ફોલ્ડીંગ સીડી મૂકવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈ અનેક હોસ્પિટલોમાં લોખંડની સીડી મૂકવાનું કામ શરૂ કરાયું છે. ત્યારે આગામી દિવસોમાં ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગોમાં આવેલ હોસ્પિટલોમાં લોખંડની ફોલ્ડીંગ સીડી મુદ્દે પણ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે.
ફાયર વિભાગ દ્વારા આવતીકાલથી ફાયર એનઓસી મુદ્દે શાળાઓમાં ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે
તાજેતરમાં હાઈકોર્ટે જે શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોય તેને બંધ કરાવવાનો આદેશ આપતા તંત્રએ આજથી હોસ્પિટલો અને શાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે - ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર
મોટા ભાગની સ્કૂલો-હોસ્પિટલો ફાયર એનઓસી વિહોણી છે - મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ
WatchGujarat. ફાયર NOC મુદ્દે મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. હાઈકોર્ટે ફરીથી પણ સ્કૂલોમાં ચેકીંગ કરી NOC વિનાની સ્કૂલો બંધ કરાવવા સૂચના આપી છે. જેને લઈને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે આવી સ્કૂલો સામે કડક કાર્યવાહીનાં આદેશો આપ્યા છે. સાંજે આ માટે ફાયર વિભાગ સાથે સમિક્ષા મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની તપાસમાં જાણવા મળ્યા અનુસાર હાલ શહેરમાં આવેલી 400 કરતા વધુ સ્કૂલો પૈકી માત્ર 120 પાસે ફાયર NOC છે. ત્યારે હવે આગામી દિવસોમાં બાકીની સ્કૂલો વિરુદ્ધ સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરે કહ્યું હતું કે, અગાઉ શહેરની તમામ સરકારી-ખાનગી શાળાઓને પણ નોટિસો પાઠવવામાં આવી હતી. બાદમાં અમૂક સ્કૂલોએ નિયમ મુજબ અરજી કરી એનઓસી મેળવી છે. જ્યારે બાકીના યુનિટોએ આજ સુધી એનઓસી મેળવી નથી. છતા ફાયર વિભાગ દ્વારા તેઓને સમય આપી એનઓસી મેળવવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ, તાજેતરમાં હાઈકોર્ટે જે શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોય તેને બંધ કરાવવાનો આદેશ આપતા રાજકોટ મહાનગરપાલિકા તંત્રએ આજથી હોસ્પિટલો અને શાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યા મુજબ, મોટા ભાગની સ્કૂલો-હોસ્પિટલો ફાયર એનઓસી વિહોણી છે. પરિણામે હાઈકોર્ટના આદેશ બાદ કોર્પોરેશનની આ પ્રથમ જવાબદારી બનતી હોય આવતીકાલથી ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે શાળાઓમાં ચેકીંગ હાથ ધરાયું તેમાં ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેમને નોટિસ અપાઈ હોય અને નોટિસની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવી શાળાઓમાં કાલથી ચેકીંગ હાથ ધરવામાં આવશે. અને નિયમ મુજબ, ફાયર સેફ્ટીના સાધનો વસાવેલા નહીં હોય કે એનઓસી મેળવેલ નહીં હોય તેવી તમામ શાળાઓને સીલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગ દ્વારા આવતીકાલથી ફાયર એનઓસી મુદ્દે શાળાઓમાં ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવનાર છે. સાથે કોમર્શિયલ બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલો કે જેમની પાસે માર્જીનની જગ્યા નથી. તેઓને એક્ઝીટ ગેઈટ માટે લોખંડની ફોલ્ડીંગ સીડી મૂકવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈ અનેક હોસ્પિટલોમાં લોખંડની સીડી મૂકવાનું કામ શરૂ કરાયું છે. ત્યારે આગામી દિવસોમાં ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગોમાં આવેલ હોસ્પિટલોમાં લોખંડની ફોલ્ડીંગ સીડી મુદ્દે પણ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે.