બેસણામાં કારમાં બેઠા-બેઠા જ સંબંધીઓએ સદગતને ફૂલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
લોકોએ આ નવતર અભિગમની સરાહના કરી
WatchGujarat હાલ કોરોના મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ અનિવાર્ય બન્યું છે. ત્યારે શહેરનાં કોરાટ પરિવારે પોતાના સ્વજનનાં અવસાન બાદ અનોખા ડ્રાઈવથ્રુ બેસણાનું આયોજન કર્યું હતું. શહેરનાં મોટા મૌવા ખાતે આવેલ સેરેમની ક્લબ ખાતે યોજાયેલા આ બેસણામાં કારમાં બેઠા-બેઠા જ સંબંધીઓએ સદગતને ફૂલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લોકોએ કોરાટ પરિવારનાં આ નવતર અભિગમની સરાહના કરી હતી.
https://youtu.be/aF_Hi5ELsYs
જાણવા મળતી વિગતો મુજબ, મોટામવામાં કોરાટ પરિવારના વડીલ કાળીબેન ઘુસાભાઇ કોરાટનું 19 નવેમ્બરે અવસાન થયું હતું. અવસાન બાદ પરિવારને સાંત્વના પાઠવવા બેસણાનું આયોજન કરાયું હતું. જેમાં સ્વજનો કારમાંથી નીચે ઉતર્યા વિના જ સદગતને શ્રદ્ધાંજલિ આપી શકે. અને પરિવારના તમામ સભ્યો પણ દૂરથી આવનાર સ્વજનને સારી રીતે નિહાળી શકે તેવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
મૃતકના પૌત્ર અને ભાજપના આગેવાન વિજય કોરાટે જણાવ્યું હતું કે, આ ઉઠમણામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જ બેસણામાં આવતા લોકો કારમાંથી સીધા શ્રદ્ધાંજલિ પાઠવી રવાના થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ પરિવારના સભ્યો માટે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરી હતી. તેની આગળથી સાંત્વના પાઠવવા આવેલા લોકો પોતાની કારમાં બેઠા-બેઠા ચાલુ કારમાં જ હાથ જોડી પરિવારને સાંત્વના પાઠવી ત્યાંથી જતા રહ્યા હતા.
બેસણામાં કારમાં બેઠા-બેઠા જ સંબંધીઓએ સદગતને ફૂલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
લોકોએ આ નવતર અભિગમની સરાહના કરી
WatchGujarat હાલ કોરોના મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ અનિવાર્ય બન્યું છે. ત્યારે શહેરનાં કોરાટ પરિવારે પોતાના સ્વજનનાં અવસાન બાદ અનોખા ડ્રાઈવથ્રુ બેસણાનું આયોજન કર્યું હતું. શહેરનાં મોટા મૌવા ખાતે આવેલ સેરેમની ક્લબ ખાતે યોજાયેલા આ બેસણામાં કારમાં બેઠા-બેઠા જ સંબંધીઓએ સદગતને ફૂલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લોકોએ કોરાટ પરિવારનાં આ નવતર અભિગમની સરાહના કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, મોટામવામાં કોરાટ પરિવારના વડીલ કાળીબેન ઘુસાભાઇ કોરાટનું 19 નવેમ્બરે અવસાન થયું હતું. અવસાન બાદ પરિવારને સાંત્વના પાઠવવા બેસણાનું આયોજન કરાયું હતું. જેમાં સ્વજનો કારમાંથી નીચે ઉતર્યા વિના જ સદગતને શ્રદ્ધાંજલિ આપી શકે. અને પરિવારના તમામ સભ્યો પણ દૂરથી આવનાર સ્વજનને સારી રીતે નિહાળી શકે તેવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
મૃતકના પૌત્ર અને ભાજપના આગેવાન વિજય કોરાટે જણાવ્યું હતું કે, આ ઉઠમણામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જ બેસણામાં આવતા લોકો કારમાંથી સીધા શ્રદ્ધાંજલિ પાઠવી રવાના થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ પરિવારના સભ્યો માટે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા કરી હતી. તેની આગળથી સાંત્વના પાઠવવા આવેલા લોકો પોતાની કારમાં બેઠા-બેઠા ચાલુ કારમાં જ હાથ જોડી પરિવારને સાંત્વના પાઠવી ત્યાંથી જતા રહ્યા હતા.