રાજકોટ. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. જેને પગલે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ ગઇકાલથી જ પાંચ દિવસની મુલકાતે આવ્યા છે. દરમિયાન તેઓ તબક્કા વાઇઝ તંત્રવાહકો સાથે બેઠકો યોજી ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન આજે 108 લાંબો સમય સુધી હોસ્પિટલમાં ઉભેલી જોઈને અધિકારીઓને ખખડાવ્યા હતા. અને મ્યુ.કમિશ્નર, ડે.કમિશ્નર સહિતનાં અધિકારીઓ સાથે મુલાકાતો યોજી જરૂરી સૂચનાઓ આપી તંત્રને દોડતું કર્યું છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અગાઉ બે વખત રાજકોટ આવી ચુક્યા છે. પ્રથમવાર તેમણે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી હતી. અને બીજી વખત કોરોના સંક્રમણની સમીક્ષા કરી હતી. ત્યારે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આદેશથી તેઓ ફરી પાંચ દિવસની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતનાં આજે બીજા દિવસે તેમણે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ જામનગર, સુરેન્દ્રનગર સહિતનાં શહેરોની પણ મુલાકાત લઇ પરિસ્થિતી અંગે નવી રણનીતી બનાવે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા એક મહિનાથી દરરોજ 60-90 કેસ આવી રહ્યા છે. તેમની શહેરમાં હાજરી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે આજે પણ બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 42 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે જયંતિ રવિએ તંત્રને કેસની સંખ્યાથી નહીં ડરીને ટેસ્ટ વધારવાની સૂચના આપી છે. સાથે જ ખાનગી કોવીડ હોસ્પિટલો, ધનવંતરી રથ, દવાઓ સહિતની બાબતો અંગેની સમીક્ષા કરીને ચોતરફથી તંત્રને દોડતું કર્યું છે.
https://youtu.be/qyRORigdsW0
રાજકોટ. શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. જેને પગલે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ ગઇકાલથી જ પાંચ દિવસની મુલકાતે આવ્યા છે. દરમિયાન તેઓ તબક્કા વાઇઝ તંત્રવાહકો સાથે બેઠકો યોજી ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન આજે 108 લાંબો સમય સુધી હોસ્પિટલમાં ઉભેલી જોઈને અધિકારીઓને ખખડાવ્યા હતા. અને મ્યુ.કમિશ્નર, ડે.કમિશ્નર સહિતનાં અધિકારીઓ સાથે મુલાકાતો યોજી જરૂરી સૂચનાઓ આપી તંત્રને દોડતું કર્યું છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અગાઉ બે વખત રાજકોટ આવી ચુક્યા છે. પ્રથમવાર તેમણે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી હતી. અને બીજી વખત કોરોના સંક્રમણની સમીક્ષા કરી હતી. ત્યારે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આદેશથી તેઓ ફરી પાંચ દિવસની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતનાં આજે બીજા દિવસે તેમણે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ જામનગર, સુરેન્દ્રનગર સહિતનાં શહેરોની પણ મુલાકાત લઇ પરિસ્થિતી અંગે નવી રણનીતી બનાવે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા એક મહિનાથી દરરોજ 60-90 કેસ આવી રહ્યા છે. તેમની શહેરમાં હાજરી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે આજે પણ બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 42 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે જયંતિ રવિએ તંત્રને કેસની સંખ્યાથી નહીં ડરીને ટેસ્ટ વધારવાની સૂચના આપી છે. સાથે જ ખાનગી કોવીડ હોસ્પિટલો, ધનવંતરી રથ, દવાઓ સહિતની બાબતો અંગેની સમીક્ષા કરીને ચોતરફથી તંત્રને દોડતું કર્યું છે.