ગતરોજ હેમંત ચૌહાણની પોલીસે ટુંક સમય માટે અટકાયત કરી હોવાના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા.
વર્ષ 2015માં વાઇરલ થયેલી ઓડિયોક્લિપનો મામલો ફરી એક વખત વિવાદમાં આવ્યો હતો.
હેમંત ચૌહાણે પાંચ વર્ષ અગાઉ સ્ટુડિયો સંચાલકને મારવાની ધમકી આપી હોવાની ઓડિયોક્લિપ વાયરલ થઇ હતી.
રાજકોટ. ગાયક કલાકર હેમંત ચૌહાણની અટકાયત બાદ તેઓને ટુંક સમયમાં જ પોલીસે છોડી દેવાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. સમગ્ર મામલે પ્રેસકોંફરન્સ યોજી હેમંત ચૌહાણે ખુલાસો કર્યો હતો. જેમાં પોતાની અટકાયત-ધરપકડની વાતને અફવા ગણાવી હતી. સાથે જ સ્ટુડિયો સંચાલક દ્વારા પોતાને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અને તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલો 2015 નો છે. જેમાં બે ઓડિયોક્લિપ વાઈરલ થઈ હતી. એ પૈકી રસિકભાઈનું તો અવસાન થઈ ચૂક્યું છે. પરંતુ તેમનો દીકરો મારા સહિત અનેક કલાકારોને ખોટી રીતે હેરાન કરે છે. જેને લઈ તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરવાનો નિર્ણય લીધો છે. જો કે ઓડિયોક્લિપમાં પોતે ગાળો બોલ્યા હતા કે નહીં ? તેવો સવાલ પત્રકારો દ્વારા પૂછવામાં આવતા જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
નોંધનીય છે કે, ગઈકાલે એ-ડિવિઝન પોલીસે ભજન ગાયક હેમંત ચૌહાણની અટકાયત કરી હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા હતા. જેમાં જણાવ્યા અનુસાર પાંચ વર્ષ અગાઉ હેમંત ચૌહાણે ફોન પર સ્ટુડિયો સંચાલકને મારવાની ધમકી આપી હતી. જેની ઓડિયોક્લિપ પણ વાયરલ થઈ હતી. અને આ મામલે તેમની અટકાયત કર્યા બાદ થોડી જ કલાકોમાં જામીન પર છોડવામાં આવ્યા હતા.
- ગતરોજ હેમંત ચૌહાણની પોલીસે ટુંક સમય માટે અટકાયત કરી હોવાના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા.
- વર્ષ 2015માં વાઇરલ થયેલી ઓડિયોક્લિપનો મામલો ફરી એક વખત વિવાદમાં આવ્યો હતો.
- હેમંત ચૌહાણે પાંચ વર્ષ અગાઉ સ્ટુડિયો સંચાલકને મારવાની ધમકી આપી હોવાની ઓડિયોક્લિપ વાયરલ થઇ હતી.
રાજકોટ. ગાયક કલાકર હેમંત ચૌહાણની અટકાયત બાદ તેઓને ટુંક સમયમાં જ પોલીસે છોડી દેવાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. સમગ્ર મામલે પ્રેસકોંફરન્સ યોજી હેમંત ચૌહાણે ખુલાસો કર્યો હતો. જેમાં પોતાની અટકાયત-ધરપકડની વાતને અફવા ગણાવી હતી. સાથે જ સ્ટુડિયો સંચાલક દ્વારા પોતાને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અને તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલો 2015 નો છે. જેમાં બે ઓડિયોક્લિપ વાઈરલ થઈ હતી. એ પૈકી રસિકભાઈનું તો અવસાન થઈ ચૂક્યું છે. પરંતુ તેમનો દીકરો મારા સહિત અનેક કલાકારોને ખોટી રીતે હેરાન કરે છે. જેને લઈ તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરવાનો નિર્ણય લીધો છે. જો કે ઓડિયોક્લિપમાં પોતે ગાળો બોલ્યા હતા કે નહીં ? તેવો સવાલ પત્રકારો દ્વારા પૂછવામાં આવતા જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
નોંધનીય છે કે, ગઈકાલે એ-ડિવિઝન પોલીસે ભજન ગાયક હેમંત ચૌહાણની અટકાયત કરી હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા હતા. જેમાં જણાવ્યા અનુસાર પાંચ વર્ષ અગાઉ હેમંત ચૌહાણે ફોન પર સ્ટુડિયો સંચાલકને મારવાની ધમકી આપી હતી. જેની ઓડિયોક્લિપ પણ વાયરલ થઈ હતી. અને આ મામલે તેમની અટકાયત કર્યા બાદ થોડી જ કલાકોમાં જામીન પર છોડવામાં આવ્યા હતા.